SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો (૪) પંચકરૂપ વિશેષગ્રાહી નેગમનય : કારક સહિત અગાઉ બતાવેલ ચતુષ્કને ગ્રહણ કરવાવાળો પંચકરૂપ વિશેષગ્રાહી નૈગમનાય છે. પૂર્વોક્ત શ્લોકમાં (કે જે ટિપ્પણી-28માં બતાવ્યું છે તેમાં પાંચ વિકલ્પ જણાવ્યા છે. તત્વાર્થ સૂત્રની ટીકામાં અગાઉ બતાવેલા પંચક ઉપરાંત “શબ્દ” ને વધારીને ષકરૂપ વિશેષગ્રાહી નૈગમનયનો પ્રકાર બતાવ્યો છે. અર્થાત્ જાતિ, વ્યક્તિ, લિંગ, સંખ્યા, કારક અને શબ્દઃ આ છે માં “ઘટ' પદની શક્તિને માનવાવાળા અધ્યવસાય વિશેષને ષકરૂપ વિશેષગ્રાહી નૈગમનય કહે છે. આ નયની માન્યતા મુજબ શબ્દથી પણ જ્ઞાન સંભવિત છે. એટલે જાતિ વગેરેની જેમ તેમાં પણ પદની શક્તિ છે. અહીંયાં જેમ ઘટને લઈને એક, બે, ત્રણ વગેરે વિકલ્પ બતાવ્યા, તેમ જગતનાં બધાં પદાર્થોનાં પૂર્વરીતિથી વિકલ્પ બનાવીને નિગમનયના ભેદોને સમજી શકાય છે, હવે અન્ય ગ્રંથોના આધારે ભિન્ન-ભિન્ન અપેક્ષાએ નગમનયના ત્રણ પ્રકાર બતાવે છે. -નૈગમનયના ત્રણ પ્રકાર : શ્રીદેવસેનગણિત નયચક્રાલાપપદ્ધતિ ગ્રંથમાં નેગમનયના ત્રણ પ્રકાર જણાવ્યા છે. नैगमस्त्रेधा - भूतभाविवर्तमानकालभेदात्। अतीते वर्तमानारोपणं यत्र स भूतनैगमः। यथा अद्य दीपमालिकायां अमावास्यायां महावीरो मोक्षं गतः। भाविकाले वर्तमानारोपणं यत्र स भाविनैगमः। यथा अर्हन् सिद्ध एव। कर्तुमारब्धं ईषन्निष्पन्नं अनिष्पन्नं वा वस्तु निष्पन्नवत् कथ्यते यत्र स વર્તમાનામ: યથા - ગ્રોને પથ્થો નગમનયના ત્રણ પ્રકાર છે : (૧) જ્યાં અતીતમાં વર્તમાનકાળનો આરોપ કરવામાં આવે છે, તે ભૂતનેગમ છે, જેમ કે, આજે દિવાળીઅમાવસ્યાના દિવસે પ્રભુ મહાવીર મોક્ષે ગયાં હતા. (પ્રભુ મહાવીર
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy