SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ ૧૩૩ તો ૨૫૦૦ થી વધારે વર્ષ પહેલાં મોક્ષે ગયા હતા. પ્રભુના અતીતકાલીન નિર્વાણગમનનો આરોપ આજના દિવસ (વર્તમાન) માં કરવો, તેને ભૂતનેગમ કહેવાય છે. અહીંયાં અતીતમાં વર્તમાનનો ઉપચાર કરવામાં આવ્યો છે. (૨) ભાવિકાળમાં વર્તમાનનો આરોપ કરવો, તેને ભાવિનેગમ કહેવાય છે. જેમ કે, અરિહંત સિદ્ધ જ છે. અરિહંત (ચાર અઘાતી કર્મનો નાશ કરીને) ભવિષ્યમાં સિદ્ધ થવાવાળા છે, વર્તમાનમાં તે સિદ્ધ નથી. તો પણ વર્તમાનમાં અરિહંતને સિદ્ધ કહેવા તે ભાવિનૈગમનયની અપેક્ષાએ છે. (૩) કરવાને માટે આરંભ થયેલી વસ્તુ થોડીક નિષ્પન્ન થઈ ગઈ હોય, અથવા અનિષ્પન્ન હોય, તો પણ ત્યાં વસ્તુ નિષ્પન્ન થઈ ગઈ છે, એ રીતે કહેવામાં આવે છે, તે વર્તમાન નૈગમનય કહેવાય છે. જેમ કે, ભાત ચડેલાં જ ન હોય કે થોડાં જ ચડેલા હોય, ત્યારે ‘‘ઓવન પચ્યતે’ એવો પ્રયોગ થાય, તે વર્તમાન નૈગમનયની અપેક્ષાએ છે. -અન્ય રીતે ત્રણ પ્રકાર : स नैगमस्त्रिप्रकार: आरोपांशसंकल्पभेदात् । तत्र चतु: प्रकार : आरोप: द्रव्यारोप- गुणारोप- कालारोप- कारणाद्यारोपभेदात् । तत्र गुणे द्रव्यारोपः पञ्चास्तिकायवर्तनागुणस्य कालस्य द्रव्यकथनं एतद् गुणे द्रव्यारोपः ॥ १ ॥ ज्ञानमेवात्मा अत्र द्रव्ये गुणारोपः ।।२ ।। वर्तमानकाले च अतीतकालारोपः अद्यैव दीपोत्सवे वीरनिर्वाणं, वर्तमानकाले अनागतकालारोपः अद्यैव पद्मनाभनिर्वाणं, कारणे कार्यारोप : बाह्यक्रियायाः धर्मत्वं धर्मकारणस्य धर्मत्वेन कथनम् । सङ्कल्पो द्विविध: स्वपरिणामरूप: कार्यान्तरपरिणामश्च । अंशोऽपि द्विविधः भिन्नोऽभिन्नश्चेत्यादि । (नयचक्रसार) -
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy