SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ ૧ ૩ ૧ - વિશેષગ્રાહી નેગમનયના પ્રકાર : વિશેષગ્રાહી નય દ્વિક, ત્રિક, ચતુષ્ક અને પંચકરૂપ છે. તત્ત્વાર્થભાષ્યટીકાના આધારે તે પ્રકારનું સ્વરૂપ હવે વિચારીશું. (૧) દ્ધિકરૂપ વિશેષગ્રાહી નૈગમનય31): ઘટમાં રહેલી ઘટત્વ જાતિને અને ઘટરૂ૫ વ્યક્તિને વસ્તુરૂપમાં સ્વીકારે તે દ્વિકરૂપ વિશેષગ્રાહી નગમનાય છે. “ઘટ' પદની શક્તિ ઘટત્વ જાતિ અને “ઘટ” વ્યક્તિ બંનેમાં જે સ્વીકાર કરે છે, તે જાતિ અને વ્યક્તિ ઉભયને વસ્તુના રૂપમાં સ્વીકાર કરે છે. તેની આ માન્યતા દ્વિકરૂપ વિશેષગ્રાહી નેગનયની (૨) ત્રિકરૂપ વિશેષગ્રાહી નેગમનય ઃ ઘટત્વ જાતિ, ઘટરૂપ વ્યક્તિ અને “ઘટ’ શબ્દના લિંગને વસ્તુરૂપમાં સ્વીકાર કરવાવાળા અધ્યવસાય વિશેષને ત્રિકરૂપ વિશેષગ્રાહી નેગમનય કહેવાય છે. “ઘટ' પદની શક્તિ ઘટત્વ, ઘટ વ્યક્તિ અને લિંગ, આ ત્રણમાં સ્વીકાર કરવાવાળાઓની માન્યતા આ નયની છે, અર્થાત્ ઘટપદના વાચ્યના રૂપમાં ઘટત, ઘટ અને લિંગ, આ ત્રણેય ગણીને તે ત્રણેયને વસ્તુના રૂપમાં સ્વીકાર કરવાવાળા દર્શનનો અભિપ્રાય વિશેષ આ નયનો છે. (૩) ચતુષ્કરૂપ વિશેષગ્રાહી મૈગમનય : સંખ્યાદિ સહિત અગાઉ બતાવેલા ત્રિકને ગ્રહણ કરવાવાળો ચતુષ્કરૂપ વિશેષગ્રાહી નેગમનય છે. ઘટત્વ જાતિ, ઘટ વ્યક્તિ, ઘટ શબ્દનું લિંગ અને ઘટની સંખ્યા : આ ચારને “ઘટ' પદથી ગ્રહણ કરવાવાળાનો અધ્યવસાય વિશેષ ચતુષ્ક વિશેષગ્રાહી નગમનાય છે. 31. દ્વિમિતિ નાતિતી ત્યર્થ:
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy