SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ નયવાદ ૧૦૧ નયપ્રકાશસ્તવ ગ્રંથમાં જણાવ્યું છે કે, “ચાન્ચેવ ઘટ!” આ સ્થાને ઘટમાં જે કાળે અસ્તિત્વ ધર્મ છે, તે જ કાળે તે જ ઘટમાં જ બાકીના નાસ્તિત્વાદિ ધર્મ પણ છે. તેથી કાલેન અભેદવૃત્તિ છે અર્થાત્ એક જ કાળમાં એક જ ઘટમાં અસ્તિત્વ-નાસ્તિત્વ ધર્મ સાથે રહે છે. એકકાલેન તે બંને વચ્ચે અભેદ છે, અર્થાત્ એકકાલાવચ્છેદન અસ્તિત્વ અને તેનાથી વિરુદ્ધ નાસ્તિત્વાદિ ધર્મોની વચ્ચે એક જ ઘટ વસ્તુમાં સાથે રહેલા હોવાથી) અભેદ છે અને તેથી જ કાલેન અભેદવૃત્તિથી તે બધા ધર્મોનું એક સાથે કથન થાય છે. અહીંયાં બીજો એક પ્રશ્ન ઉભો થાય છે કે, અસ્તિત્વની સાથે જેનો વિરોધ નથી એવા અવિરુદ્ધ દ્રવ્યવાદિ ધર્મોની એકત્ર (ઘટ વસ્તુમાં) હોઈ શકે છે. પરંતુ સર્વથા વિરુદ્ધ એવા નાસ્તિત્વાદિ ધર્મોની એક જ ઘટ વસ્તુમાં કાલેન અભેદવૃત્તિ કઈ રીતે શક્ય છે? - આ પ્રશ્નના સમાધાનમાં જણાવ્યું છે કે, જે કાળમાં અસ્તિત્વ ધર્મનું નિરૂપણ કરવામાં આવે છે તે કાળે ઘટમાં નાસ્તિત્વ ધર્મ પણ વિદ્યમાન છે અર્થાત્ “ચાવ ઘટ:” એવું વિધાન કરવામાં આવે છે, ત્યારે અસ્તિત્વના સમાનાધિકરણ અનંતા ધર્મોનું (ઘટવાદિ અનંતા ધર્મોનું) પ્રતિપાદન કરવામાં આવે છે. કારણ કે, ઘટતાદિ અનંતા ધર્મોથી વિશિષ્ટ જ ઘટની સત્તાનો યોગ છે. અન્યથા (તે કાળમાં ઘટવાદિ અનંતા ધર્મોથી વિશિષ્ટ ઘટનું પ્રતિપાદન કરેલું માનવામાં ન આવે તો) ઘટના અસત્ત્વની આપત્તિ આવીને ઊભી રહે. તેથી અસ્તિત્વમાં સમાનાધિકરણ અનંત ધર્મોનું પણ તે જ કાળમાં પ્રતિપાદન થાય જ છે, તેથી કાલેન અભેદવૃત્તિ છે. (૨) આત્મરૂપેણ અમેદવૃત્તિ : આત્મરૂપ અર્થાત્ વસ્તુનો પર્યાય. વસ્તુના પર્યાયથી અભેદવૃત્તિ. વસ્તુના પર્યાય દ્વારા અભેદવૃત્તિથી અનંતા ધર્મોનું યુગપતું કથન થાય છે. જેમ “અસ્તિત્વ ઘટનો પર્યાય છે. તેમ તેનાથી અતિરિક્ત અન્ય ધર્મ
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy