SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ૨ જેનદર્શનને મહત્ત્વના સિદ્ધાંતો પણ ઘટના જ પર્યાય છે. તેથી અસ્તિત્વની અન્ય ધર્મોની સાથે અભેદવૃત્તિ છે. (૩) અર્થભેદવૃત્તિ : અર્થ એટલે આધાર. જેવી રીતે, ઘટ વસ્તુ “અસ્તિત્વ ધર્મનો આધાર છે, તેવી રીતે તેનાથી અતિરિક્ત અન્ય ધર્મોનો પણ ઘટ આધાર છે, તેથી અર્થભેદવૃત્તિ છે. (૪) સંબંધાભેદવૃત્તિ : અવિષ્યમ્ (અપૃથ) ભાવને સંબંધ કહેવામાં આવે છે. જેમ ઘટમાં અસ્તિત્વનો અવિષ્પગુ ભાવ છે, તેમ તે સિવાયના અન્ય ધર્મોનો પણ ઘટમાં સંબંધ છે જ. તેથી સંબંધાભેદવૃત્તિ છે. (૫) ઉપકારભેદવૃત્તિ : જે ઘટમાં લોકપ્રવૃત્તિ સ્વરૂપ ઉપકાર અસ્તિત્વન કરવામાં આવે છે, તે જ ઉપકાર અન્ય ધર્મો દ્વારા પણ થાય છે. કારણ કે, સકલ ધર્મથી વિશિષ્ટ ઘટમાં જ લોકપ્રવૃત્તિ થાય છે, તેથી ઉપકારાભેદવૃત્તિ છે. (૬) ગુણીદેશાભેદવૃત્તિ : ગુણી ઘટ, તેનો દેશ = ક્ષેત્ર ભૂતલાદિ, તે ભૂતલાદિનો આશ્રય કરીને જેમ ઘટમાં “અસ્તિત્વ ધર્મનો સદ્ભાવ છે, તેમ અન્ય ધર્મોનો પણ સભાવ છે તેથી ગુણીદેશભેદવૃત્તિ છે. (૭) સંસર્ગભેદવૃત્તિ : ભેદ પ્રાધાન્ય હોવા છતાં પણ સંબંધ થાય તેને સંસર્ગ કહેવામાં આવે છે. તેથી જે ઘટમાં અસ્તિત્વનો સંસર્ગ છે, તે જ ઘટમાં અન્ય ધર્મોનો પણ સંસર્ગ છે જ. તેથી સંસર્ગભેદવૃત્તિ. અહીંયાં યાદ રાખવું કે, સંબંધ અને સંસર્ગમાં અંતર (ભેદ) છે. સંસર્ગમાં ભેદ પ્રાધાન્ય હોય
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy