SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો પ્રમાણ વાક્યમાં વાક્ય દુર્નય વાક્યથી દૂરીકૃત હોય છે દુર્નય વાક્યોની કોઈ ભૂમિકા નથી.) વિશેષમાં.... પ્રમાણ વાક્ય સકલદેશાત્મક છે, નય વાક્ય વિકલદેશાત્મક છે. દુર્નય વાક્ય ન સકલ દેશાત્મક છે, કે ન તો વિકલદેશાત્મક છે. પરંતુ સર્વથા હેય હોવાથી બહિષ્કૃત જ છે. સકલાદેશઃ સકલાદેશ ક્યારે થાય, તે જણાવતાં નયપ્રકાશસ્તવમાં કહ્યું છે કેઃ “एकस्मिन्नैव हि घटादिवस्तुनि, कालादिभिरष्टभिः कृत्वाऽभेदवृत्त्या प्रमाणप्रतिपन्ना अनन्ता अपि धर्मा यौगपद्येन यदाऽभिधीयते तदा सकलादेशो भवति । એક જ ઘટાદિ વસ્તુમાં કાલાદિ આઠ દ્વારા અભેદવૃત્તિથી પ્રમાણવાક્ય દ્વારા પ્રતિપક્ષ (ગ્રાહ્ય) અનંતા ધર્મ પણ જ્યારે એક સાથે કહેવામાં આવે છે, ત્યારે સકલાદેશ થાય છે. સકલાદેશ સાધક આઠ અંગ જણાવતાં કહ્યું છે કે..... વે પુન: વ્હાલાય:? હ્રાત:, ગર્ભરૂપમ્, અર્થ: સમ્બન્ધ:, ૩૫ાર:, મુળિવેશ:, સંસર્ગ:, શબ્દઃ કૃતિા - (૧) કાલ, (૨) આત્મ સ્વરુપ, (વસ્તુના પર્યાય)(૩) અર્થ, (આધાર) (૪) સંબંધ, (અવિષ્યગ્ ભાવ) (૫) ઉપકાર, (વસ્તુની પ્રવૃત્તિ) (૬) ગુણીદેશ, (વસ્તુનું ક્ષેત્ર) (૭) સંસર્ગ અને (૮) શબ્દ (વસ્તુનો વાચક). હવે કાલાદિના વિધાન દ્વારા અભેદ વૃત્તિથી કઈ રીતે પ્રમાણ પ્રતિપત્ર અનંતા ધર્મોનું યુગપત્ વિધાન (કથન) થાય છે, તે જોઈશું. (૧) કાલેન અભેદવૃત્તિ : સૌ પ્રથમ એ પ્રશ્ન થાય છે કે, અભેદવૃત્તિથી એક જ વસ્તુમાં યુગપત્, વિરુદ્ધ ધર્મનો ગ્રહ કઈ રીતે થઈ શકે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy