SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ' " ૫ કવિ અને જ્ઞાની.' ઉપરની દર્શાવેલી સર્વ કૃતિઓ વિચારતાં જે છાપ હૃદયને પડે છે, તે એ છે કે તેઓશ્રી શુદ્ધ અંતરાત્માના સ્વરૂપે હતા. જે જે વાણુરૂપે હૃદયને આવિર્ભાવ નીકળેલો જોઈએ છીએ, તે વિચારતાં સ્પષ્ટ જણાય છે કે તેઓશ્રી અદ્ભુત, વિર, અધ્યાત્મજ્ઞાની હતા. પિતાના સમયમાં ગચ્છભેદ, ગચ્છના ઝઘડા ઘણુ હતા તે તેમના ચંદ્રાનન જિનના સ્તવન માં આબેહુબ જણાવે છે, છતાં તે પર પિતાને કરૂણા આવતાં પિતાને શુદ્ધ સ્વરૂપના શોધકને ક માર્ગ ઈષ્ટ છે તેના ઉત્તરમાં તટસ્થતા અકપાયતા, શુદ્ધ આત્મધર્મમાં રમણતા એ માર્ગ સ્વીકાર્યો છે. જ્ઞાનની ઉત્તમ કોટિ તે દરેક સ્થલે જાજ્વલ્યમાન જ રહે છે. પિતાના સમયની સ્થિતિ અને પિતાની અતિરિક ભાવસ્થિતિ તે તેમના કાવ્યમા રહસ્યને ખોજનારને તુરતજ માલૂમ પડી આવે છે, અને તેપર લખવા ધારે તે ઘણું જણાવી શકે તેમ છે. • , ૬ તેમના ગુરૂ શ્રી દીપચંદ્ર ગુરૂ પ્રત્યે ચરિત્રનાયક બહુ પ્રેમ, ભક્તિ, બહુમાન, આઝાધારકતા રાખતા, અને તેમની સાથે રહી પોતે ઘણે સ્થળે વિહાર કરેલ છે, અને ગુરૂએ સંવત ૧૭૮૮ માં શત્રુંજય પર શ્રી કુંથુનાથ ભગવાનની પ્રતિષ્ઠા અને સમવસરણની પ્રતિષ્ઠા કરી છે. તેમજ અમદાવાદમાં સહસ્ત્રફણાની પ્રતિષ્ઠા કરી છે. શ્રી દેવચંદ્રજીએ પિતે સંવત ૧૭૯૪ માં શત્રુંજય પર પ્રતિષ્ઠા કરી છે એવું શિલાલેખ પરથી જણાય છે. , ૭ વિહાર શ્રી દેવચંછ પિતાને ગુરૂ શ્રી દીપચંદ્ર પાઠક સાથે શત્રુંજય, અમદાવાદ, ઘણે સ્થળે વિહાર કરેલ છે, તેમની કૃતિઓપરથી જણાય છે કે જેસલમીર, મેટા કોટા, અમદાવાદ, નવાનગર, પાલીતાણુ, લીંબડી ભાવનગર વગેરે વગેરે સ્થળે ચોમાસાં તથા વિહાર કરેલ છે. તેમાં પણ લીંબડી એક શાંતિસ્થાન પિતાનું હેય નહિ તેમ ત્યાં ઘણું વખત સુધી રહી માસાં કરી શાંતિના ફલરૂપે પિતાની કૃતિઓ કરી છે લીંબડીમાં
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy