SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ પણ શ્રીમદ્દ દેવચંદ્ર ઔપણ રચેલ છે એમ કહેવાય છે. આ સ્વર્ગસ્થા શેઠ ભીમશી માણેકે છપાવેલ છે, તેમાં નય, નિક્ષેપ આદિ અનેક સૂક્ષ્મ બાબતે દરેક સ્તવનમાં બતાવેલ છે, તેથી તત્ત્વના ગ્રાહક દરેક જેને તે વાંચવાની સાથે બહુ મનન કરવા યોગ્ય છે. . “ . : - “અતીત જિન સ્તવન વીશી—આ વીશ સ્તવને પણ તત્વના રહસ્યથી પૂર્ણ છે. 'આને વિશેષ સ્પષ્ટતાથી મનન કરી શકાય. તેને માટે તેના અર્થ કરી રા. મનસુખલાલ હરિલાલે પિતાના “સુમતિ પ્રકાશ” નામના હમણાં જ બહાર પાડવાના ગ્રંથમાં પ્રકટ કરેલ છે. * * વીશ વિહમાન જિન સ્તવન – શ્રી સીમંધર આદિ મહાવિદેહાદિ ક્ષેત્રમાં વિચરતા વશજિન ભગવાનપર વીશ સ્તવન કરેલ છે, આ પણ અર્થ સાથે ઉક્ત ગ્રંથમાં બહાર પડવાના છે. * ધ્યાનમાળા –આમાં ધ્યાનને વિષય તેના પ્રકાર સાથે સારી રીતે ચર્ચા છે. સ્નાત્ર પૂજા – આ પૂજા પ્રચલિત છે, અને પ્રભુનું સ્નાત્ર કરવામાં જે ઉચ્ચભાવના પ્રકટ થવી જોઈએ તે દ્રવ્ય અને ભાવથી આમાં જણાવેલ છે. - નવપદ પૂજા –આ પૂજા હમણું જે સ્વરૂપમાં છે તેવું સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં તેમાં ત્રણની કૃતિઓનું સંમિલન છે. ૧ શ્રીમદ્દ યશે વિજય છ ૨. શ્રી જ્ઞાન વિમલસૂરિ ૩, શ્રી દેવચંદ્રજી પ્રથમના બે સમકાલીન હતા એ નિર્વિવાદ છે, શ્રી દેવચંદ્રજી તે વખતે હતા કે નહિ તે તેમનું ચરિત્ર ગ્ય ઉપલબ્ધ થતું ન હોવાથી કહી શકાતું નથી. , . છુટક સ્તવન સજ કાય–ઘણું હશે પણ હાલમાં ત્રણ ઉપલબ્ધ છે, ૧ શ્રી વિરપ્રભુનું દિવાલીનું સ્તવન તેમાં વીરવિરહ બહુ કરૂણાદ્ધ રીતે વર્ણવેલ છે. ૨ સમકિત નવિ લહ્યું—એ સઝાય છે તેમાં પ્રથમ સમકિત અને પછી ક્રિયા એમ પ્રતિપાદન કરેલ છે. ૩ “આજ લાહે લીજીએ, . કાલ કોણે રે દીઠી એ નામની વૈરાગ્યોત્પાદક સઝાય છે. આવી રીતે જે કૃતિઓ ઉપલબ્ધ થઈ શકી છે તે અહીં રેખરૂપે ધેલ છે, બીજું જે કંઈ હોય તે તે તુરત પ્રકટ થવાની જરૂર છે.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy