________________
. . . દેવચંદ્ર. ' , ૧. જન્મ, દીક્ષા આદિ સંબંધી વિગતે અભાવ ,
ઉક્ત મહાત્મા કયાં, જ્યારે જન્મ્યા, માત પિતા કોણ હતા તથા દીક્ષા કયારે લીધી હતી, સમાધિસ્થ કયારે થયા, તે સંબંધી બીલકુલ વિગતે મળતી નથી. તેઓ અધ્યાત્મરસિક અને મહાન અદ્ભુત જ્ઞાનશાળી હતા તે વિષે બીલકુલ સંદેહ નથી તેની ખાત્રી તેમની વિદ્યમાન કૃતિઓ છે કે જે દરેકનું સૂક્ષ્મ પરિશીલન કરવાથી તુરતજ જણાઈ આવે છે.
૨. ગચ્છ અને ગુરૂ પરંપરા , તેઓ ખરતરગચ્છને વિભૂષિત કરતા હતા. તેમની ગુરૂપરંપરા નીચે પ્રમાણે છે.
કેટિક–ખરતરગચ્છઋજિનચંદ્રસૂરિ.. ' ' . પુણ્યપ્રધાનપાધ્યાય
સુમતિસાગરેપાધ્યાય
સાધુરંગ
સાધુરંગ
રાજસાગરવાચક
જ્ઞાનધર્મપાઠક
' દીપચંદપાઠક
, દેવચંદ્રજી
૩ સમયનિર્ણય. , , કયારે દીક્ષા લીધી, જ્યારે સમાધિસ્થ થયા વગેરે હકીક્ત હમણાં જે જે સાધને ઉપલબ્ધ છેતે પરથી બીલકુલ મળી શકતી નથી. જે મળે છે તે પરથી એટલુંજ કહી શકાય કે અમુક સમયમાં વિદ્યમાન હતાં.
ખરતગચ્છના ૬૧ મી પાટે આવેલા છઠ્ઠા કે ૬૫ મી. પાટે આવેલા સાતમા જિનચંદ્ર તે તપાસવાનું રહે છે,