SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ' - - - - પુદ્ગલ વર્ગનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું કહે છે કે, ન્યૂટને ગુરૂવાકર્ષણને આવિષ્કાર કર્યો તે આવિષ્કારને અર્થ એ નથી કે પૃથ્વીમાં આકર્ષણ ગુણ ન હતા અને ન્યૂટને તેને ઉત્પન્ન કર્યો. આકર્ષણ ગુણ તે જ્યારથી પૃથ્વી છે ત્યારથી મજુદ હતું. પરંતુ ન્યૂટનથી પહેલાંના કાળમાં વૈજ્ઞાનિક તે જાણતા ન હતા. એટલે એવા પ્રાકૃતિક નિયમની જાણકારીનું નામ જ આવિષ્કાર કહેવાયું. વૃક્ષના મૂળમાં પાણી સીંચવાથી આખા વૃક્ષમાં પાણું પહોંચી જાય છે, એ પ્રાકૃતિક નિયમ હતો અને છે. પરંતુ સર જગદીશચંદ્રબોઝે તેના કારણની જાણકારી પ્રાપ્ત કરી તે પણ વિજ્ઞાનને એક આવિષ્કાર થ. એ પ્રમાણે દરેક આવિષ્કા પર વિચાર કરીએ તે આવિષ્કારિત સર્વ બાબતે અગે વિજ્ઞાનની ભૂતકાલીન અનભિજ્ઞતાજ સાબીત થાય છે. પરમાણુ અંગે પણ તે રીતે જ સમજવું. * વર્તમાન વિજ્ઞાનની માન્યતા છે કે, પરમાણુવાદના આવિષ્કારક ઈસ્વી પૂર્વે ૪૬૦-૩૭૦ માં થઈ ગયેલ ડેમેટસ છે. પરંતુ ભારત વર્ષમાં પરમાણુનો ઈતિહાસ તેનાથી. પણ આજે વર્ષ પૂર્વને મળે છે. પરમાણુના વિષયમાં સુવ્યવસ્થિત વિવેચન જૈન દર્શનમાં સદાને માટે મળે છે. પરમાણુવાદની માનેલી હકિકત અગે જૈન શાસનમાં થઈ ગયેલ વીસે તીર્થકરેના કથનમાં અન્ય લેશમાત્ર પણ ફેરફાર થવા પામ્યું નથી. એટલું જ નહિ પણ જૈન દેશનની માન્યતાનુસાર પૂર્વે થઈ ગયેલ એનંત ચાવીસી.
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy