SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ ૦ સૂર્યનો તડકો પણ પુદ્ગલપ્રેરિત છે. Q જ્ઞાનાવરણ આદિ કર્મો પુદ્ગલસર્જિત છે. ૦ ઔદારિક, વૈક્રિય, આહા૨ક, તેજસ અને કાર્પણ-શરીરો પણ પુદ્ગલચિત છે. ષડ્ દ્રવ્યોમાં લય ૦ જીવાત્માની શ્વાસોચ્છ્વાસની ક્રિયા પુદ્ગલપ્રેરિત છે. ૦ આપણાં બધાં સુખ-દુઃખ પુદ્ગલોનું પ્રદાન છે. ૦ જીવન પર અનુગ્રહ કરનારાં ઘી-દૂધ આદિ દ્રવ્યો પૌદ્દગલિક છે. ૦ મૃત્યુના કારણભૂત દ્રવ્યો ઝેર વગેરે પણ પૌદ્ગલિક છે. આ બધા પુદ્દગલ સ્કંધરૂપ બની જીવદ્રવ્ય સાથે જોડાય છે ત્યારે જ આ બધાં કાર્યો નિષ્પન્ન થાય છે. સુખ-દુઃખનાં દ્વન્દ્વ પણ જીવમાં જે ઉત્પન્ન થાય છે, તે પુદ્ગલ-દ્રવ્યના નિમિત્તે ઉત્પન્ન થાય છે. હવે થોડી વાતો ‘કાળદ્રવ્ય'ની કરી લઈએ. ૦ સ્ત્રી યોગ્ય સમયે ગર્ભ ધારણ કરે છે, પુત્રને જન્મ આપે છે, આ કાળનો પ્રભાવ છે. O દૂધમાંથી દહીં બને છે, દહીંમાંથી માખણ બને છે, ઘી બને છે, આ કાળનું કામ છે. ૦ જમીનમાંથી અંકુર ફૂટે છે, છોડ થાય છે, તેના ૫૨ ફળ આવે છે, તેમાં પ્રેરક છે કાળદ્રવ્ય. ૦ કાળા વાળ ધોળા થાય છે, નવું વસ્ત્ર જૂનું થાય છે, આ છે કાળનો પરિણામ. O છ ઋતુઓનું વિભાગીકરણ પણ કાળકૃત છે. ૦ અતીત-અનાગત અને વર્તમાનનો વ્યવહાર કાળકૃત છે. ૦ મોટા-નાનાનો વ્યવહાર પણ કાળકૃત છે. For Private And Personal Use Only ૦ દ્રવ્યમાં રૂપ-૨સ-ગંધ આદિમાં પરિવર્તન કાળદ્રવ્યના લીધે થાય છે. ૦ જીવમાં જ્ઞાન-દર્શનાદિ ઉપયોગનું પરિવર્તન પણ કાળકૃત હોય છે. આ રીતે કાળદ્રવ્ય સમગ્ર વિશ્વ પર છવાયેલું છે. હવે ચેતનદ્રવ્ય ‘જીવ’ અંગે થોડી વિચારણા કરીને પત્ર પૂર્ણ કરીશ.
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy