SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૧૫૩ ૧૫૪ વાણીનો સિદ્ધાંત છે, એવું એમને પોતાને કેવી રીતે લાગ્યું ? દાદાશ્રી : પોતાને લાગે જ ને. પોતે જુદા છે. આ ખોટું થઈ રહ્યું છે તે ય જાણે અને સારું થયું છે તે ય જાણે. કારણ કે ખરેખર આમાં પોતે જુદો છે. આ તો એક જાતની બડબડ કરવાની ટેવ હોય, તે મૌન લે. એટલે આ વૈખરી એટલી બંધ થાય. બીજું બધું મહીં અંતરદાહ ચાલુ જ હોય. પ્રશ્નકર્તા : મૌન વખતે અંદર-બહાર અંતરદાહ ન હોય એવું ન બને ? છે. એટલે સ્થળ મૌન પાળવું, બહુ ઉત્તમ વસ્તુ છે. છેવટે નિશાનીઓ કરીને ઈશારાઓ કરીને ય સ્થળ મૌન પાળવું બહુ સારું છે. એકલી વૈખરી વાણી બંધ કરશોને તો ય બહુ ફાયદાકારક છે. એવું મૌન તો બહુ ફાયદો કરે. અનંત અવતારનું પાપ ધૂળધાણી કરીને કાઢી નાખે. મૌન એ બહુ સારામાં સારું છે. બોલ બોલ કરવાની કુટેવ ! પ્રશ્નકર્તા : મારી ઈચ્છા મૌન રહેવાની છે. દાદાશ્રી : પણ ફાયદો શું ? પ્રશ્નકર્તા : હું જરૂર કરતાં વધારે બોલું છું. એટલે મારે મૌનની ઈચ્છા છે. દાદાશ્રી : તો મૌન રહોને ! પ્રશ્નકર્તા : પણ મારાથી મૌન રહેવાતું નથી. હું આ બહુ બોલબોલ કેમ કરું છું ? દાદાશ્રી : એવું છે ને, આ દુનિયામાં બધા બોલે છે. તે મનમાં એમ જાણે છે કે “હું બોલું છું” પણ એ જુદી વસ્તુ છે. તમારા હાથમાં સત્તા જ નથી. એ તો અમે અમુક આશીર્વાદ આપીએ એટલે એ ઓછું થઈ જાય. બાકી તમારી ઈચ્છા ના હોય તો ય બોલી જવાય. આખા જગતને ય બોલી જવાય છે. આ વકીલો હઉ બોલી જાયને, એટલે કોઈનું ચાલે નહીં. પણ મનમાં ભાવ થયો કે “આ ખોટું છે', ત્યારથી ફેરફાર થવાની તૈયારી થાય. એટલે અહીં આવજો, આશીર્વાદ આપીશું. સ્થળ મૌન ધૂળ અહંકારને બહુ વેરણ-છેરણ કરી નાખે છે. આ સંસારની જંજાળ જ શબ્દમાંથી ઊભી થયેલી છે. મૌનથી તો ખૂબ જ શક્તિઓ વધી જાય. સુધરે મૌતથી વૈખરી ! પ્રશ્નકર્તા : હું બહુ બોલ બોલ કરું છું અને મારે હવે મૌન રહેવું દાદાશ્રી : અંતરદાહ તો હોય જ. આ દુનિયામાં અંતરદાહ ના હોય એવો માણસ જ નહીં હોય. એ તો આ કાળમાં આપણા આ અક્રમ જ્ઞાનને પ્રતાપે અંતરદાહ ન હોય તેવાં થયા છે ! ગુપ્ત રહે અહંકાર, મૌતમાં ? પ્રશ્નકર્તા : મૌન રાખે તો પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય ? દાદાશ્રી : મૌન રાખે તો વધારે બંધાય. કારણ કે મૌનનો અહંકાર છે એને, કે ‘હું મૌન રાખું છું.’ તેનાથી કર્મ બંધાય. પ્રશ્નકર્તા : મૌનમાં અહંકાર રહે, એમ ? દાદાશ્રી : મૌન લેનારો જ અહંકારી હોય, તો જ લે ને ! આત્મા તો મૌન જ છે. પોતે અહંકારે કરીને કહે છે કે “મારે મૌન લેવું છે.” એક તો મૌન લેનારો, અહંકારે કરીને મૌન લેવું, એનું નામ મૌન લેનારો. ને મુનિ થનારો, એકનો એક જ છે. બાકી, મુનિ તો ત્યાં જોયેલા ને ? હવે એ મુનિઓ બધા મૌન લઈને પછી શું કરે ? નિરીક્ષણ કરે મહીં. એટલે શું મહીં ચાલી રહ્યું છે ને, એ બધું જોયા કરે, બહાર ચાલી રહ્યું છે તે. એટલે એને સાક્ષીભાવ કહે છે ને ? નિરીક્ષણ કરીને સાક્ષીભાવ કરે. પણ બધું અહંકારે કરીને કરેલું.
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy