SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૧૫૧ ૧૫૨ વાણીનો સિદ્ધાંત પ્રશ્નકર્તા : પણ જો બોલીએ તો વધારે અસર કરે. આવેશ આવે ત્યારે કદાચ બોલી જઈએ તો વધારે અસર કરે અને મૌનથી એ અસર તો ના થાય ને ? જોઈએ નહીં. જેટલી ચંચળતા ઓછી થાય એટલી સારી. સહેજ પણ ચંચળ પરિણામ જ્યાં સુધી હોય ત્યાં સુધી મૌન ના કહેવાય. ઊંધું બોલવું, એના કરતાં એવું મૌન સારું છે. ઊંધું બોલવામાં તો શક્તિ બહુ વપરાઈ જાય છે. એના કરતાં સંજ્ઞા કરીને જરા શક્તિ ઓછી વપરાય. પ્રશ્નકર્તા : એ સ્થળ મૌન લેવા માટે ખોરાકનો કંઈ ફેરફાર કરવો પડેને? દાદાશ્રી : ખોરાકમાં ફેરફારની જરૂર નહીં. આ જગ્યાએ તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરજોને, એટલે તમને હેલ્પ થશે. બીજો કોઈ ઉપાય નથી. બહાર મૌત, મહીં હોંકાણ ! પ્રશ્નકર્તા તો મૌન એનું નામ, કે બોલવાની ઇચ્છા જ ન ઊગે ? દાદાશ્રી : બોલવાની ઈચ્છા ક્યારે ન ઊગે ? કે કંઈ ધક્કો વાગ્યો હોય ત્યારે ! કો'કના તરફથી ધક્કો (તરછોડ) લાગ્યો હોય ને એણે આવડું ચોપડાવી દીધું હોય, તો પછી એની જોડે બોલવાનું મન જ ના થાય અને ગલીપચી કરે તો તરત બોલે. ‘આવો, આવો સાહેબ’, તો એ બોલે એની દાદાશ્રી : એ ના થાય, અસર થતી અટકી જાય. પણ અંદર ને અંદર એ કાવાદાવા કર્યા કરે, બોલીએ તો સામાને તરત અસર થાય. ને પેલું અંદરની લોકોને ખબર ના પડે ને ! આમ બોલીએ તો ભડકો થયો કહેવાય. એટલે ત્યાં બોલવું તેના કરતાં મૌન સારું છે. કશું બોલે તો ઊંધું થઈ જાય એના કરતાં ના બોલે તો સારું છે. એક દહાડો તો પાંસરો રહ્યો. અને મૌન રહે તો પાંચ જણને ઠપકા તો ના આપે, ભસ ભસ ના કરે ને ! એટલે વૈખરી વાણી એકલી બંધ થાય. પેલું બધું મહીં ચાલુ જ હોય. આમ મૌન રાખે ને મહીં તો ગાળો હઉ દે. આ તો બરકત હોય નહીં ને વગર કામના બધાનામાં બોલ બોલ કરીએ, તેનો શો અર્થ છે ? બધી લાઈનમાં કંઈ બરકત હોય માણસની ? એકાદ લાઈનમાં હોય વખતે માણસને, પછી મોટા માણસો બોલે એ વાત જુદી છે. વ્યવહારમાં મોટા માણસ હોય, એને તો કોઈ વઢનાર ના હોય. પણ આપણે તો આગળ વધવાનું છે ને !! એટલે જેને આગળ વધવાનું છે, તેણે તો પૂરેપૂરું મૌન થઈ જવું જોઈએ. જેટલું મૌન પકડશે, એટલી બુદ્ધિ ઠેકાણે આવશે. જેટલા સેન્સીટીવ હોય, તેણે મૌન રાખવાની જરૂર. સાચું મૌત, તે આ ! પ્રશ્નકર્તા મૌનનો ખરો અર્થ શું છે, એ સમજાવશો. દાદાશ્રી : ચાર પ્રકારની વાણીમાંથી એકુંય વાણી ન બોલવી. મોઢેથી ન બોલવું અગર તો કોઈ જાતનાં ઈશારા ન કરવા, આંખનો ઈશારો કે હાથનો ઈશારો કશું કરવું નહીં. એ સ્થળ મૌન કહેવાય અને સાચું મૌન કયું કહેવાય ? આત્મા-પરમાત્મા સંબંધી આખો દહાડો ય વાત કરે અને સંસારસંબંધી એક શબ્દ ય બોલે નહીં, તો એ સાચું મૌન છે. નહીં તો ત્યાં સુધી શૂળ મૌન પાળવું સારું છે, એ ય બહુ હિતકારી છે. કારણ કે વાણીમાં બહુ શક્તિ વપરાઈ જાય છે, ઘણી શક્તિ વેડફાઈ જાય મેળે. પ્રશ્નકર્તા : કોઈ ગુસ્સો કરતો હોય અને મૌન લીધું હોય, તો એ વખતે તો બોલાય જ નહીં ને ! એટલે ક્રોધ ના થાય ને ? દાદાશ્રી : પણ એ મહીં ગુસ્સો કર્યા કરે ને ! પ્રશ્નકર્તા: પણ વાણીથી જે કર્મો બંધાય, એ તો અટકી ગયા ને? દાદાશ્રી : મહીં ગુસ્સો કરે ને, એટલે કોઈ કર્મ અટકે નહીં. કશું અટકે નહીં. આ અજ્ઞાની જે જે કરે ને, એ બધું એમ ને એમ અંધારામાં જાય. પ્રશ્નકર્તા : મૌનથી સ્થૂળ તો અટકે ને ! દાદાશ્રી : પણ આમ મહીં તો કષાયમાં જ રહેતો હોય ને !
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy