SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૧૫૫ ૧૫૬ વાણીનો સિદ્ધાંત દાદાશ્રી : વાણીને આ અનુભવીઓએ, શાસ્ત્રકારો કે જે અનુભવી કહેવાય, એમણે શું કહ્યું, ‘આત્માના હેતુ માટે જે બોલાય, તેને મૌન કહ્યું.” અને લોકો આ વાણીને મૌન કહે છે. પણ બીજું કંઈ પણ સંકેત ચાલુ છે, ત્યાં સુધી મૌન નથી.’ એમ ભગવાને કહ્યું. સંકેત કરે છે ને ? બધા અનેક જાતના, એને મૌન ના કહેવાય. મૌન આને કહ્યું છે કે આ દાદા આખો દહાડો બોલે છે. શાથી એમ ? કારણ કે એમાં સંસારી વાત નથી હોતી. સંસારલક્ષી વાત નથી હોતી. આત્મલક્ષી હોય છે. જે વાતો સંસારને અંગે હોય, તે ય પણ છેવટે આત્મલક્ષી હોય છે. માટે એને મૌન કહ્યું. વાણીનો કંટ્રોલ કોઈ દહાડો કરો છો તમે ? પ્રશ્નકર્તા : પ્રયત્ન કરીએ છીએ. અહંકારે કરીને જે કંઈ પણ કરવામાં આવે છે, એનું ફળ પુણ્યમાં આવે છે, મુક્તિ નહીં. એટલે આવતે ભવ જરા સારી વાણી નીકળશે, સારી વાતો નીકળશે, જે એવું તેવું સારું મળશે, ને મઝા કરવાની પછી ! ત વાણી બંધ, ઠેઠ મોક્ષ સુધી ! પ્રશ્નકર્તા આત્માની પ્રતીતિ થાય, ત્યારે વાણી બંધ ના થઈ જાય ? દાદાશ્રી : વાણી બંધ થઈ જાય, તો આત્માની પ્રતીતિ થઈ જ નથી. આ અંધારાયુગમાં ઠોકી બેસાડેલું આ લોકોની પર, તે આટલું જ જરા અમથું દેખતો હોય, એને સર્વદર્શી કહ્યા ! દેખતો હોય આટલું જ. કારણ કે કોઈ એટલું ય દેખતો ન હતો. એટલે પછી બધાં શું કરે છે ?! એને પછી સર્વદર્શી (!) કહ્યા. એ એવાં વાક્યો છે બધાં. એ ચાલે નહીં. પોલું ચાલતું હશે ત્યાં આગળ ?! ‘વાણી બંધ થઈ ગઈ, ફલાણું બંધ થઈ ગયું.” તે કશું બંધ થતું હશે ? એનો એ જ. એ પોતે જુદો પડી ગયો. વાણી બંધ કરવાની હોય નહીં. બધું ખાવાનું-પીવાનું, દાળ-ભાતલાડવા-શાક બધું ખાવાનું ?! આ તો બધા લોકોને મૂંઝવી માર્યા છે, મૂળ રસ્તો નહીં જાણવાથી. વસ્તુઓનો ત્યાગ કરવાનો નથી, મૂછનો ત્યાગ કરવાનો છે. માણસથી વસ્તુઓનો ત્યાગ શી રીતે થઈ શકે ? કેટલે સુધી કરી શકશે ? આત્માર્થે બોલે, તે મૌત ! પ્રશ્નકર્તા : બધા એવું માને છે કે સાયલેન્સ ઈઝ ગોલ્ડન ! એટલે મૌન રાખવું સુવર્ણ છે’ અને ‘બોલવું’ એ શક્તિનો વ્યય થાય છે. દાદાશ્રી : આ ઓગણ્યાએંસીમું વર્ષ મને બેસવાનું થયું ત્યારે દસ કલાક દરરોજે ય હું બોલું છું. દિવાળીને દહાડે વધારે બોલું છું, છતાં આ મીન કહેવાય છે. દાદાશ્રી : હા, પ્રયત્ન કરો. અને ભગવાને તો અમે બોલ બોલ કરીએ તો ય આ વાણીનો સંયમ કહ્યો. અમે બોલીએ તો ય મૌન ! ભગવાને શું કહ્યું કે જ્યાં સંસારી વાણી નથી, આત્મા-પરમાત્માની વાણી છે, એને મૌન કહેવું. સંસારી વાણીને વાણી કહેવી. ત્યારે ભગવાન ડાહ્યા હશે કે ગાંડા હશે ? કેવા ડાહ્યા છે ! આત્મા-પરમાત્મા સિવાય સંસારની વાણી જ ના હોય નહીં. એટલે અમે બધું બોલીએ, એ બધું મૌનમાં જાય. સંસાર હેતુ માટે મૌન લીધું હોય તો ય કહે છે કે મૌન નથી, અમૌન છે. આત્મહેતુ માટે ચોવીસે ય કલાક બોલે, જે કંઈ પણ બોલે તો એ સંપૂર્ણ મોન છે. આત્માસંબંધી વાણી બોલવી, એને શાસ્ત્રકારોએ મૌન શાથી કહ્યું? કે એની દેહ પર અસર જ પડતી નથી. અમે આખો દહાડો બોલીએને, તે અસર પડતી હોય તો તો ખલાસ કરી નાખે માણસને. પ્રશ્નકર્તા : આત્માની વાતચીત થતી હોય ને, એક અડતાલીસ મીનીટ થઈ જાય તો પછી માણસ હળવો ફૂલ જેવો લાગે. દાદાશ્રી : પેલામાં તો બહુ શક્તિ વપરાઈ જાય. સંસારી વાણીમાં તો એકદમ શક્તિ ડિસ્ચાર્જ થયા કરે. અને આ શક્તિ ડિસ્ચાર્જ ના કરે અને શરીરને ય અસર ના થાય. કારણ કે આમાં પોતાના અંગત સ્વાર્થને માટે હોતી નથી એ અને સ્વ-પર હિતકારી હોય. આત્મજ્ઞાની પાસે બધી વાત સ્વપર હિતકારી હોય. સ્વનું હિત તો કરે જ, પણ પરનું ય હિત કરે. પ્રશ્નકર્તા : એટલે વાણીનો વધુ પડતો ઉપયોગ કરવાથી સવાંશ મટીને અંશ થઈ જવાય છે.
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy