SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૧૪૩ ૧૪૪ વાણીનો સિદ્ધાંત દાદાશ્રી : પ્રજ્ઞા જુએ છે, એ જ ડિરેક્ટ પ્રકાશ છે. બધું પ્રજ્ઞાશક્તિનું જ છે કામ. તે બધું કામ પૂરું થાય એટલે પ્રજ્ઞાશક્તિ મહીં પેસી જાય. અને આપણને તો પાછલાં કર્મો છે, ને હવે શું થાય છે? આપણે બોલ નાખીએ, આમ નીચે ફેંકયો અને એકદમ હવે આપણને ક્ષાયક સમકિત થઈ ગયું. તેથી એ બોલ બંધ થઈ જાય ? ના, ફરી પાછો પડે, ફરી પાછો પડે. લોક તો જાણે કે લાયક સમકિત થઈ ગયું એટલે બધું ઊડી ગયું. કશું ઊડે નહીં. જેટલા જોશથી બોલ ફેંકેલો એટલા જોશથી ઊંચો ઉછળશે. પ્રશ્નકર્તા : આપે કહ્યું કે આ દર્શનમાં ય નથી આવ્યું. દર્શનમાં આવ્યું હોતને તો જ્ઞાનમાં આવે અને ચારિત્રમાં આવે. એ દર્શન આપ કોને કહેવા માગો છો ? દાદાશ્રી : આ અમે સમજાવ સમજાવ કરીએ છીએ, એ દર્શનમાં આવે. અમે સમજાવીએ એટલે તમને પ્રતીતિ બેસે અને પ્રતીતિ બેસે તો આગળ ચાલે. શરૂઆત સમજથી... આ હું જોઈને વાત કરું છું ને ત્યારે તમે અમારી વાતથી જોઈ શકો ને સમજી શકો. જેટલું સમજાય છે એ બધું જોવામાં જાય છે. જે જોયું એ સમજાયું અને જાણ્યું એ અનુભવ્યું. અનુભવ થયા પછી જાણ્યું કહેવાય. ત્યાં સુધી જ્ઞાન કહેવાય નહીં, ત્યાં સુધી દર્શન કહેવાય. દ્રશ્યને જોયું એ જોયું કહેવાય, એને દર્શન કહેવાય. અને પેલું જોય-જ્ઞાતા સંબંધી જાયું તે અનુભવ થવો જોઈએ. એ જાણ્યા પછી બીજું જાણવાનું નથી આ જગતમાં. પ્રશ્નકર્તા : આપ સમજાવો છો એ સમજ અને પોતાના સ્વરૂપની સમજ, એમાં કનેકશન શું છે ? દાદાશ્રી : પોતાના સ્વરૂપની સમજ તો બેઠી. પણ એની રક્ષા માટે બીજી સમજ નહીં જોઈએ ? એને પણ જ્ઞાન કહે છે. તમને એવી સમજ પાડી કે આ જગતનું સત્ય એ રીલેટિવ સત્ય છે. તો આ સમજ પાડી એ ય જ્ઞાન છે. સમજ, એનું નામ દર્શન. સમજ શબ્દનો અર્થ જ દર્શન. ને દર્શનનો અર્થ જ સમજ. તેથી તો અમે કહીએ છીએ કે સમજ સમજ કરો. આ વાત સમજી લીધી પછી તમને સમજાયને કે આપણી ભૂલ થઈ છે અને ભૂલ થઈ એવું જાણે એટલે ભૂલ ભાંગે. પડઘા વાણીતા પ્રશ્નકર્તા : હમણાં આપનું બોલવાનું બંધ થયું. વાત પૂરી થઈ એટલે હવે આમ આપ સ્થિર રહો, ત્યારે આપને શું બધું દેખાતું હોય ? દાદાશ્રી : સહજ સ્થિતિમાં હોઈએ અમે. પ્રશ્નકર્તા : જ્ઞાનમાં શું હોય, તમને તે વખતે ? દાદાશ્રી : પોતાનું જ હોય. પ્રશ્નકર્તા : પણ શું હોય ? દાદાશ્રી : જુદી જુદી વસ્તુઓ હોય. તે પણ બહુ વાર ગયા પછી હોય. તરત ને તરત એવું ના થાય. તરત તો પડઘા પડે ! પ્રશ્નકર્તા : એમાં શું હોય ? દાદાશ્રી : જુદું ના દેખવા દે. પ્રશ્નકર્તા : એ પડઘા વાણીના પડે ? દાદાશ્રી : હા. આખી રાત મહીં પદો સંભળાયા કરે. દહાડે પદો બોલ્યા હોય તો આખી રાત મહીં એના પડઘા ચાલે. મહીં એક્કેક્ટ સંભળાય હલે. તેનું તે જ તાલ-બાલ બધું. એ પડઘા પછી હેરાન કરે ને ! જુદું ના દેખવા દે, તેથી અમે કંઈ ગુપૂર્ણિમા કે જન્મજયંતી જેવો પ્રસંગ હોય ત્યારે વાત ના કરીએ ને ! પ્રશ્નકર્તા : વાણીના પડઘા પડે, તે પોતાને છૂટું ના રહેવા દે. એ
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy