SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ડિગ્રી કહું છું ને, તે ‘હું’ ૩૫૬ ડિગ્રીમાં, તેને હોય આ બધું. પ્રશ્નકર્તા : એ ૩૫૬ ડિગ્રીવાળું કોણ છે ? દાદાશ્રી : એ જ આ જ્ઞાની પુરુષ છે ને ! પ્રશ્નકર્તા : તો એની આ વાણી છે ? ૧૨૩ દાદાશ્રી : ના, આ વાણી તો એની ય નહીં. એ તો માલિકીપણું માની બેઠા’તા. માલિકીપણું છોડી દીધું છે, છતાં ૩૫૬ ડિગ્રી છે. કારણ કે એમને જગત કલ્યાણ કરવાનો ભાવ છે. પ્રશ્નકર્તા : એ ભાવના આધારે આ કલ્યાણ થાય એવી વાણી નીકળે છે ? દાદાશ્રી : ના. માલિકીપણું છોડ્યું એટલે એવી વાણી નીકળે છે. કલ્યાણ કરવામાં વાંધો નથી. પણ માલિકીપણું છોડો ને તમારો ભાવ પૂરો થશે. એ તો ભગવાન મહાવીરને ય માલિકીપણું છૂટેલું, તે દેશના નીકળી પછી એની મેળે જ વાગ્યા કરે. પ્રશ્નકર્તા : આપની જે વાણી નીકળે છે દેશના રૂપે, એ પહેલાંના કોઈ ભાવના આધારે હશે ? દાદાશ્રી : પહેલાં પુરુષાર્થ કરેલો. પહેલાં ભાવના કરેલી કે વાણી આવી ભૂલવાળી ના હોવી જોઈએ, ભૂલ વગરની વાણી થવી જોઈએ. તે એનું ફળ આ હવે આવ્યું, એટલે અમે એનાથી મુક્ત થયા. પ્રશ્નકર્તા : હવે હજુ એક-બે અવતાર રહ્યા આપના, તો આથી પણ ઊંચા કલ્યાણના નિમિત્ત થવાની માટે કંઈ નવી વાણી થતી હશે ને મહીં ? દાદાશ્રી : આ છે તે જ નવી વાણી, આથી બીજી ઊંચી વાણી ના હોય. અમારે હઉ એ વાંચવી પડે. પ્રશ્નકર્તા : આવતા ભવોમાં પણ આ ભાવનાં પરિણામ જ આવ્યા કરશે ? દાદાશ્રી : હા. છેલ્લા અવતારોમાં સાયકલિંગ હોય. એટલે એક પછી વાણીનો સિદ્ધાંત એક એને સંયોગ બેસતો જ આવે. સાયકલ મળતી જ આવે. બ્રેક ડાઉન ના હોય. બધા ઊંચા સંજોગોનું મિલન થાય, છેલ્લા અવતારોમાં. નહીં તો પહેલાં તો નર્યું બ્રેક ડાઉન આવે. ઘડીકમાં ગાંડું આવે. ઘડીકમાં ડાહ્યું આવે. આ એક પછી એક સ્ટેશન જુદી જ જાતનાં આવે, સાયકલની પેઠ ! ભગવાત, કેવળ જ્ઞાત સ્વરૂપ ! ૧૨૪ પ્રશ્નકર્તા : આપનાં જ્ઞાનવાક્યોમાં વિરોધાભાસ નથી. બધા નયની ઉપર છે. લોકો બધા વ્યુપોઈન્ટથી જુએ છે અને આપનું આ વ્યુપોઈન્ટની ઉપરનું છે. દાદાશ્રી : કેવળજ્ઞાન છે, બળ્યું ! ને વ્યુપોઈન્ટનું તો કેવળજ્ઞાન ના થયું હોય ત્યાં સુધી. અને કેવળજ્ઞાન થયું એટલે વ્યુપોઈન્ટ જ રહ્યો નહીંને, ૩૬૦ ડિગ્રી ! હું પોતે ૩૫૬ ડિગ્રીમાં છું, પણ આ જ્ઞાન ૩૬૦ ડિગ્રીનું છે. પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? દાદાશ્રી : આ ‘દાદા ભગવાન’ એ જ ૩૬૦ ડિગ્રી છે. પ્રશ્નકર્તા : પણ ભગવાન જે બોલે, એ તો તમારી મારફત જ બોલે ને ? દાદાશ્રી : ના, ભગવાન બોલી શકે જ નહીં ને ! અને હું ય ના બોલી શકું. પ્રશ્નકર્તા : તમે કહો છો કે દાદા ભગવાન ૩૬૦ ડિગ્રીના ને તમે ૩૫૬ ડિગ્રીના. એ તો અમે માનીએ, પણ ૩૫૬ ડિગ્રીની મારફત ૩૬૦ ડિગ્રીનું જ્ઞાન કેવી રીતે નીકળે ? દાદાશ્રી : એ ૩૫૬ ડિગ્રી મારફત નથી નીકળતું. આ તો ઓરિજિનલ ટેપરેકર્ડ મારફત નીકળે છે. આ માલિકી વગરની વાણી છે. નથી આ ‘દાદા ભગવાન’ની વાણી અને આ ‘મારી’ય વાણી હોય. ‘દાદા ભગવાન'ની વાણી હોય તો ‘દાદા ભગવાન’ બારસો રૂપિયાના (!) થઈ
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy