SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૧૨૫ ૧૨૬ વાણીનો સિદ્ધાંત જ જાણકારી કાઢશે. અમુક ભાગ બાકી છે, એટલે બુદ્ધિમાં છે. “અમે બોલીએ છીએ ને અમે આ બધું બોલીએ છીએ’, ત્યાં સુધી એ બુદ્ધિમાં છે. પ્રશ્નકર્તા : આ ટેપ અત્યારે નીકળે છે, એ પાછલી બુદ્ધિના આધારે ? દાદાશ્રી : હા, તે દહાડે ટેપ થયેલું. પ્રશ્નકર્તા ઃ તો અત્યારે આ ટેપ એટલું બધું હાઈ લેવલનું બોલી શકે છે ? દાદાશ્રી : એ તો હાઈ લેવલનું ટેપ થઈને જ આવેલી છે. પ્રશ્નકર્તા: તો એ બુદ્ધિ વડે, તે દહાડે એવી હાઈ લેવલ પર ગયેલી ? ગયા ! આ ‘દાદા ભગવાન' તો પોતે જ ‘કેવળજ્ઞાન સ્વરૂપ” છે, ૩૬૦ ડિગ્રીનું આ જ્ઞાન છે. પ્રશ્નકર્તા: તો અમારામાં ય ૩૬૦ ડિગ્રીનું કેવળજ્ઞાન સ્વરૂપ છે? દાદાશ્રી : હા, એ જ છે. પ્રશ્નકર્તા: તો એ બહાર કેમ નથી નીકળતું ? દાદાશ્રી : બહાર શાનું નીકળે ? હજુ તો ગલીપચી ક્યાં થાય છે ? એ ગલીપચી જોઈ લેવી. એ તો ડિસ્ચાર્જ રસો તૂટશે તેમ તેમ પેલું આપણને દેખાશે. તમને કેવળજ્ઞાન સ્વરૂપ આપ્યું છે. પણ મેં કહ્યું છે ને કે મને પચ્યું નથી ને તમને પણ પચશે નહીં. બાકી મેં કેવળજ્ઞાન સ્વરૂપ આપ્યું છે. બુદ્ધિની ય કરામત તો જુઓ ! એક ભાઈ મને કહે છે, “બુદ્ધિ વગર શીખવાડી ના શકે.” મેં કહ્યું, ‘વાત સાચી છે. બુદ્ધિવાળા જ શીખવાડી શકે.ત્યારે એ મને કહે, ‘તો તમે શિખવાડી શી રીતે શકો છો ?” મેં કહ્યું, ‘આ ટેપરેકર્ડ શીખવાડે છે.’ કારણ કે જે દહાડે બુદ્ધિ હતીને, તે દહાડે આ ટેપરેકર્ડ તૈયાર થઈ હતી. હવે અમારી બુદ્ધિ જતી રહી. એટલે તે ટેપરેકર્ડ આજે કામ કરે છે. અને આ તો બુદ્ધિજન્ય જ્ઞાન છે, તે આ ટેપરેકર્ડમાં નીકળે છે. પ્રશ્નકર્તા : તો પછી આ બુદ્ધિ ૩૬૦ ડિગ્રીનું વિજ્ઞાન નીકળે એટલી બધી ટોપ પર ગયેલી તે દહાડે ? દાદાશ્રી : ના જાય. પ્રશ્નકર્તા: તો પછી ? દાદાશ્રી : ૩૫૬ ડિગ્રી ઉપર છે. તો ચાર ડિગ્રી મારું ઓછું છે. પ્રશ્નકર્તા: આપે કહેલું કે એટલી બધી મારી વાણી ઊંચી નીકળશે, એવું કોઈ નિમિત્ત ભેગું થશે ત્યારે, આ ડિગ્રીની વાત પણ નીકળી જશે. દાદાશ્રી : હા, વાત બધી નીકળશે. એટલે અમુક સિવાય બીજી બધી દાદાશ્રી : હા, ગયેલીને ! ગયેલી ત્યારે તો આ ટેપ આવી નીકળી. નહીં તો જ્ઞાનમાં અવાય શી રીતે ? પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિ પણ એકદમ ટેપ થઈ જઈ શકે છે ? દાદાશ્રી : હા. અહીં વડોદરાથી ૮૦મો માઈલ જોઈ લઈએ, એટલે આપણે અમદાવાદ બહુ ખોળવાનું હોય ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યાં આવ્યો જ હોય એનો કિનારો. ના આવ્યો હોય ? એટલે બુદ્ધિ આવી ટોપ ઉપર જાય, જાણે કે હવે પેલું જ્ઞાન તો આવી જ રહ્યું છે સામું. પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન એટલે બુદ્ધિ એકદમ છેલ્લી ડિગ્રી સુધી પેરેલલ જઈ શકે એવું છે ? દાદાશ્રી : હા, બુદ્ધિ તો વિવરણ કરે ને તો બહુ કામ કાઢે. પણ કોઈ માણસ એટલું બધું વિવરણ કરી શકે નહીં ને !
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy