SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ વાણીનો સિદ્ધાંત કે ટેપરેકર્ડ છે. બીજી તો વાતો ય ના કરાય. આવી વાત હોય જ નહીં ને ! મતિ જ પહોંચે નહીં ત્યાં આગળ. વાણીનો સિદ્ધાંત ૧૨૧ હોય તો પણ પૂર્વભવનાં જ હોય. પણ લોકોને પૂર્વભવ સમજણ પડે નહીં એટલે ઊંધું બાફી નાખે. આ તો ૫૮માં આ જ્ઞાન ઊભું થયું પણ પેલું તો તૈયાર હતું ત્યારે ને ? તૈયારનું જ્ઞાન આ થયેલું છે ને ? પ્રશ્નકર્તા : આ કર્મ, કર્મફળ, કર્મફળ પરિણામ એના જેવું? દાદાશ્રી : પેલું કર્મ કહેવાય. કૉઝીઝ એ કર્મ કહેવાય. અને ૫૮માં આ બધું કર્મફળ કહેવાય. પહેલું એ અને તેનું આ વાણી બધું કર્મફળ પરિણામ આવ્યું. એટલે આ બધા ગુણાકાર મળવા બધા મુશ્કેલ છે ને અને આપણને સમજણ પાડતા વાર લાગે. એટલું બધું બ્રેઈન ફરી વળવું બહુ મુશ્કેલ. પ્રશ્નકર્તા : આપે કહેલું છે ને, વાણી એ ડિસ્ચાર્જનું ય ડિસ્ચાર્જ છે. દાદાશ્રી : હા. પહેલાં પરિણામ જુદાં હતાં. પણ કૉઝીઝ તો એનાં હતાં જ. એટલે અમારા મનમાં એમ તો રહે જ કે આપણી પાસે કંઈક છે, નાનપણથી રહે. પ્રશ્નકર્તા : એ કૉઝીઝનાં પરિણામ સ્વરૂપે અંદર રહે ? દાદાશ્રી : હા, એના આધારે સિલકમાં છે. કંઈક ખખડે છે. એટલે તેર વર્ષની ઉંમરમાં ‘માથે ભગવાન ના જોઈએ મારે' એમ રહ્યા કરે. એટલે કે અમારે પરિણામ ઊભાં થયાં એટલે કૉઝીઝ તો હતાં જ ને ! એટલે મનમાં કંઈ ખુમારી તો હોય જ કે મારી પાસે ‘કંઈક છે' એવી ખુમારી હોય. આ તો સાયન્ટિસ્ટો જ સમજે ! મતિ પહોંચે એવી જગ્યા જોઈએ અને તે જ્ઞાની તો ફોડ પાડે પણ તમારી મતિ આમાં પહોંચે નહીં. અમથા વલખાં મારે એટલું જ. કૂદાકૂદ કરે એટલું જ. કોઈની મતિ પહોંચે નહીં. આ મતિ પહોંચે એવી જગ્યા જ ન હોય. અને આનો ફાયદો જરૂર જ નહીં ને ! અને આ તો બધું અર્થ વગરનું. આ તો એક જાતની વગર કામની મગજમારી છે. અને આ જરૂરી નહીં કે અંદર શું વાત છે એ જાણવાની. કોઈ પૂછે ય નહીં. આ લોકોને સમજણ પડે નહીં. લોકો ઉલટાં બાફે. પ્રશ્નકર્તા ઃ આજે નહીં તો પાંચસો વર્ષે, કો'ક તો નીકળશે ને ? દાદાશ્રી : ના, એ ઊલટું ગૂંચવાશે. મતિ પહોંચે નહીં એવી આ જગ્યાઓ કહેવાય. તે અમે તો કેવળ જ્ઞાતા-દ્રષ્ટા જ ! પ્રશ્નકર્તા: જ્યાં સુધી આ વાણી નીકળી રહી છે ત્યાં સુધી આ શુભાશુભ ભાવને જાણનારો રહે છે, એવું ખરું ? દાદાશ્રી : વાણી નીકળે તો તે પણ ! વાણી નીકળે તો શુભાશુભ ભાવને જાણનારો. પણ આને વાણી નીકળી કહેવાય નહીં. અમારી વાણી બધી ટેપરેકર્ડ છે આ તો ! અને અમે ને તીર્થકર બોલીએ નહીં. હું ય જ્ઞાતા-દ્રષ્ટામાં રહું છું ને તીર્થંકરો ય જ્ઞાતા-દ્રષ્ટામાં રહે. બીજે તો છે ને બધો બુદ્ધિનો ડખો છે. આમાં કશું વળે નહીં. એટલે બુદ્ધિ વગરના માણસ પાસે વાત આપણે સાંભળી, એમના કહ્યા પ્રમાણે રહીએ, એટલે બધું પતી જાય. નહીં તો એમાં પાર નહીં આવે. કારણ, કલ્યાણકારી વાણીતું ! પ્રશ્નકર્તા : જગત કલ્યાણની ભાવના છે, એ કોને છે ? દાદાશ્રી : આત્માને એ ભાવના જ ના હોય ! આ હું જેને ૩૫૬ આવી વાતો તો અમારી પાસે સીધી કરવાની હોય તો જ કામની. નહીં તો બફાઈ જાય ઊંધું. લોક ઊંધું સમજે. કારણ કે એવી મતિ પહોંચે નહીં અને અમથા (અમસ્તા) મહીં આ શબ્દને ઘાલીને કાઢવાનું શું છે ? જ્યાં મતિ ના પહોંચે એવી વાતો છે આ બધી. શબ્દને તો જે વાણી છે ને, એનું તો અમે સાયન્ટિસ્ટ જેવાને મતિ પહોંચે એટલા સારું બોલેલા
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy