SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૧૧૫ ૧૧૬ વાણીનો સિદ્ધાંત પ્રથમ દર્શન, પછી ટેપિંગ ! પ્રશ્નકર્તા : પણ જે આપની ટેપ નીકળે, તે ઘડીએ આપને જે અંદર દર્શન ખૂલી ગયું છે, તો એ ટેપમાં એક્કેક્ટ નીકળવા માટે, એ દર્શન કંઈ કામ કરતું હશે ? દાદાશ્રી : આ તો એ દર્શનના આધારે ટેપ થાય. એટલે દર્શન પહેલું ને ટેપ પછી. નહીં તો ટેપ જ જ્ઞાની કહેવાય. તો તો મારે ટેપ પાસેથી સાંભળવાનું રહ્યું.(!) પ્રશ્નકર્તા : આ તો સહજ જ નીકળે ને ? દાદાશ્રી : સહજ, સહજ. પ્રશ્નકર્તા : સહજ જ નીકળે ? એમાં કંઈ કરવું પડે નહીં ? દાદાશ્રી : એનું નામ ટેપ ને ! એને હું જાતે જોઈને બોલું છું. વાંચેલું નથી બોલતો. જાતે આ આંખે નથી જોતો પણ જે દર્શન મહીં ઊભું થયું છે, તેના આધારે બોલું છું. અમને યાદગીરી નહીં ! આ ટેપરેકર્ડ સહેજે નીકળે. આમાં કશો પ્રયત્ન નહીં, પ્રયાસે ય નહીં. યાદગીરી તો મને છે જ નહીં. કોઈ આટલી ય યાદગીરી મને નથી. આજે શું વાર થયો છે, તે મારે પૂછવું પડે. તારીખ શું થઈ, એ પૂછવી પડે. એ યાદગીરી નથી તેથી ને ! આજે તારીખ પૂછી હોય, તે પાછું કાલે તારીખ પૂછું. ત્યારે કાલની તારીખ યાદ નથી ? ત્યારે કહે, નથી યાદ. એનું કારણ શું ? યાદગીરી નથી. યાદગીરી એ ગાંડપણ છે કે ડહાપણ છે ? પછી એનો જ્ઞાનમાં જવાબ એ આવ્યો કે યાદગીરી એ શેનું પરિણામ છે ? મેમરી ઈઝ ધ રીઝલ્ટ ઓફ રાગ-દ્વેષ (યાદગીરી એ રાગવૈષનું પરિણામ છે), જેને રાગ-દ્વેષ ના હોય એને મેમરી (યાદગીરી) ના હોય. જેને શાસ્ત્ર પર રાગ હોય તો શાસ્ત્ર બધું મોંઢે. આ ટેપરેકર્ડ હમણાં શું બોલી ? પ્રશ્નકર્તા : મેમરી ઈઝ ધ રીઝલ્ટ ઓફ રાગ-દ્વેષ. દાદાશ્રી : અમને મેમરી જ નહીં ને બિલકુલ ! ચાલ્મીરી તહીં, વીઝનમાં દેખીતે ! અમને તો કહે છે કે તમને શી રીતે પછી આ ખબર પડે છે બધી? તો અમને દેખાય. તમે કહો કે તે દહાડે આપણે જાત્રામાં ગયા હતા ને આવું થયું હતું, તે બરોબર કે નહીં ? ત્યારે હું કહું કે બરોબર છે. પણ અમે દેખાયેલું કહીએ અને તમે યાદગીરીમાં કહો. બોલતાંની સાથે દેખાય આમ, એક્ઝક્ટનેસ “જેમ છે તેમ' દેખાય. પ્રશ્નકર્તા: દર્શનમાં આવે બધું ? દાદાશ્રી : દેખાય. દર્શનમાં નહીં. આમ એક્કેક્ટ દેખાય. પ્રશ્નકર્તા : દર્શનમાં એ દેખાય શેનાથી ? ચિત્તથી ? દાદાશ્રી : ચોખ્ખું કલીયર થયેલું દેખાય. આખું ય ટ્રાન્સપરન્ટ (પારદર્શક) છે. આખું બિલકુલ યૉર. પ્રશ્નકર્તા : એમાં ઉપયોગ મૂકવો પડે ? દાદાશ્રી : સહજ જ દેખાય. ઉપયોગ મૂકનારો કોણ ? એ ઉપયોગ મૂકનાર જુદો હોય. પ્રશ્નકર્તા : એક વાત આપની એવી નીકળી હતી કે અમારે દર્શન ઊભું થાય છે ને પછી આ રેકર્ડ નીકળે છે. જ્યારે આ મશીનને દર્શન હોતું નથી. નહીં તો પછી આમાં ને આમાં ફેર નથી. - દાદાશ્રી : એ તો સંજોગોના હિસાબે દર્શન શબ્દ કહ્યો હશે. પેલું જે દર્શન તમે કહેવા માગો છો ને એ દર્શન ને આ દર્શનમાં બહુ ફેર હોય. એવું બોલે નહીં ને બોલે તો અમુક દર્શન એટલે દેખાય છે અમને આવું, એવા સેન્સમાં કહું છું.
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy