SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત ૧૧૩ દાદાશ્રી : એ બીજી શી રીતે નીકળે ? નહીં તો વિચાર્યા વગર તો એક વાક્ય બોલાય જ નહીં. પણ આ વકીલો ય બોલે છે, ફેંકયા રાખે છે ને ! માટે બસ, પહેલાં ટેપરેકર્ડ થયેલું છે ! પ્રશ્નકર્તા : તો આ વિગત બધી પહેલાં તૈયાર થઈ ગઈ હતી ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : આ વાણી તો એક્કેક્ટ અક્રમ વિજ્ઞાનની જ નીકળે છે. તે પહેલાંનાં ભવમાં દાદા અક્રમ વિજ્ઞાન..... દાદાશ્રી : તૈયાર પહેલાં થઈ ગયેલું. પ્રશ્નકર્તા : દાદા, તમારે જ્યારે આ ટેપ થયું, ત્યારે આ અક્રમ વિજ્ઞાન ક્યાં હતું તમારી પાસે ? દાદાશ્રી : અક્રમ વિજ્ઞાનનો સવાલ નથી. અક્રમ વિજ્ઞાન તો હતું જ ને મારી પાસે. પ્રશ્નકર્તા ઃ ક્યારથી હતું ? દાદાશ્રી : જ્યારથી આ ટેપ થયું, તે પહેલાંથી. પ્રશ્નકર્તા : એ દર્શનમાં આવી ગયું, તે વખતે અક્રમ વિજ્ઞાન ? દાદાશ્રી : આવેલું ને ! આ કંઈ ગમ્યું નથી. પ્રશ્નકર્તા : ધારો કે ગયા ભવમાં ક્રમિક હોય અને દર્શનમાં અક્રમ હોય પણ વાણી તો ક્રમિકની જ નીકળે. દાદાશ્રી : વાણી ? પ્રશ્નકર્તા: ક્રમિકનાં હિસાબો જ નીકળે. જો એવી એની રેકર્ડ ટેપ થઈ ગયેલી હોય તો. દાદાશ્રી : ના, ના, એક્રમની વાણી પાર વગરની નીકળે. પ્રશ્નકર્તા : એ તો અત્યારે ? દાદાશ્રી : એ અત્યારે, પણ પહેલાં હતી તો નીકળે ને ! પહેલાં હતી તો આવી ને, કંઈ ઓચિંતી આવી નથી ! અમારે કોઈને પૂછવું ના પડે. એનો અર્થ એ કે અમારે વિચારવું ના પડે, વિચારેલું હોય તો ય નકામું જાય. અમને વિચાર હોય જ નહીં ને ! નિર્વિચાર દશા હોય. ફેર દર્શતતે સૂઝમાં ! પ્રશ્નકર્તા : આ દર્શન અને વાણી એનો શો સંબંધ છે ? સૂઝ પડી જવી, દર્શનમાં આવવું અને વાણી બોલવી. દાદાશ્રી : બધે ય સંબંધ છે. પ્રશ્નકર્તા : પણ વાણી જે સૂચવતી હોય છે, એ તો એક પર્ટીક્યુલર દર્શન હોય છે ને ? દાદાશ્રી : એ બુદ્ધિનું દર્શન હોય છે ! પ્રશ્નકર્તા : એ બુદ્ધિનું હોય છે ? દાદાશ્રી : સૂઝ ન હોય. સૂઝ તો સાચી વસ્તુ જ છે. સૂઝ પડતી પડતી છેવટે છે તે સંપૂર્ણ કેવળજ્ઞાન થાય. સૂઝમાંથી શરૂઆત થાય છે. સૂઝ વધતી જાય. પ્રશ્નકર્તા : અત્યારે એવું પણ કહ્યું કે જે દેખાય છે એ શબ્દ દ્વારા બહાર નીકળે છે. દાદાશ્રી : પણ એ વાણી નીકળી એટલે વાણી આમ જોઉં તો મને દેખાય છે. એ જ પ્રમાણે દેખાય એટલે તાળો મળે. એવું છે, બધી હોટલોમાં પેસવા જેવું નથી. નહીં તો આ તો ફર્સ્ટ કલાસ હોટલો બધી. મહીં પેસીએ તો આપણે ભૂલી જઈએ કે શું કરવા આવ્યા છીએ તે. કામ કરવાનું રહી જાય અને હોય ત્યાં ત્રણ દહાડાનો ટાઈમ, ત્રણ દહાડાની રજા હોય તે પૂરી થઈ જાય. કરવાનું કામ રહી જાય.
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy