SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૨ ૧૩ ૨૧૨ વાણીનો સિદ્ધાંત ગોલમાલ હોય તેને ભય હોય, નહીં તો આ જગતમાં ભય શો ? કોઈ લાલચ એને ના હોય એવું નહીં, એટલે એવા તો અહીં આવે ત્યારથી હું એને ચપોડું કે, “પાંસરો રહેજે. અનંત અવતારથી માર ખાધો, પણ તો ય લાલચ જતી નથી. અહીં આવ્યા પછી તારું ઠેકાણું ના પડે, તો શું કામનું ?” અમારી, ‘જ્ઞાની પુરુષ'ની વાણી વીતરાગ વાણી હોય, એટલે વીતરાગતાના ચાબખા હોય. એ વાગે બહુ, અસર બહુ કરે. પણ દેખાય નહીં મારીએ તીર, લાગે ફૂલ ! એક મોટા ઓફીસર હતા, તો ય મેં કહી દીધું. કારણ કે અમારે તારી પાસે જોઈતું નથી કશું. સત્ય સાંભળવું હોય તો સાંભળ અને પછી ગાળ દેવી હોય તે દેજે. તારું મગજ ચઢી જાય તો ગાળ દેજે. પણ તું એકવાર સાંભળ. એનું મગજ ખસી જાય ત્યારે શું કરવાનું આપણે ? અને અમારે તો વિરોધી હોય તો ય એ જુદો ના લાગે. અમને એકતા લાગે અને પેલો જુદો અનુભવે પણ અમને એકતા લાગે. અમે એ દુમન જોડે જુદું અનુભવીએ તો અમને એની પર અભાવ થાય. અભાવ અમને હોય નહીં. મોંઢે શબ્દ અમારે કડક નીકળે વખતે, પણ અનુભવમાં જુદું નહીં. મોંઢે શબ્દ નીકળે છે એ પૌગલિક બાબત, પણ અંદર વીતરાગતા હોય અમને ! જે રોગ હોય એ “જ્ઞાની પુરુષ' દેખાડે, બીજો કોઈ દોષ ના દેખાડે. કારણ કે અમને પેલાનો રોગ મટાડવો છે. ડોક્ટર દર્દીનો રોગ વધારે કે મટાડે ? અને અમે આ ક્યાં અમારા સારું કહીએ છીએ ? આ તો તમારા માટે “સ્પેશ્યલી’ અને તે ય વીતરાગતાથી કહીએ છીએ. શબ્દ કઠણ ના હોય તો રોગ નીકળે નહીં. કઠણ શબ્દ વગર રોગ નીકળે નહીં. રોગ શેનાથી નીકળે ? કણ શબ્દો અને વીતરાગતા ! શબ્દો કઠણ કેવા, તે આમ સાંધા તોડી નાખે એવા કઠણ અને છતાં સંપૂર્ણ વીતરાગતા !! જ્ઞાતીતી કરુણા, કડકાઈમાં ય ! પ્રશ્નકર્તા : ઘણી વખત આપ અમને કહો છો કે ‘તું ડફોળ છે, તારામાં અક્કલ નથી, તું કોથળા જેવો છે, વેંચું તો ચાર આના ય ન આવે.” ત્યારે અમને એમ લાગે છે કે આપ કરુણા વરસાવી રહ્યા છો. દાદાશ્રી : એવું છે, કે અમારું મગજ ખરાબ હોય નહીં કે આવી વાણી અમારી નીકળે. આવી વાણી નીકળવા માટે અમારી મહીં બહુ જબરજસ્ત “એડજસ્ટમેન્ટ કરવું પડે છે. કારણ કે આ વાણી આવી બોલાય નહીં. છતાં બોલીએ તો સામાનું પુણ્ય હોય ત્યારે અમારાથી બોલાય. ત્યારે અમે તમને કંઈક કડક શબ્દો કહીએ તો એ તમારો રોગ કાઢી નાખે. એ શબ્દો જ રોગ કાઢી નાખે. ત્યારે કેટલાંક લોક કહે છે, “અમને કહો, કહો.” અરે, શેનું કહે પણ ? આ ટેપરેકર્ડ બોલે છે. મારા હાથમાં સત્તા જ નથી રહી. કહેવાનું મારા હાથમાં જ ક્યાં છે ? પ્રશ્નકર્તા : તમે સામાના ઉત્કર્ષ માટે વઢો તો શું ખોટું ? દાદાશ્રી : અમે ઉદય પ્રમાણે ચાલીએ. વઢીએ નહીં. કડકાઈ, ઝનૂન વિતાતી.. અમે વઢીએ તો ય રાગ-દ્વેષ ના થાય, એ ચોક્કસ ! ભગવાને રાગ-દ્વેષનો વાંધો ઉઠાવ્યો છે અને સામાને દુઃખ થાય એ ના ચાલે. કંઈ દુ:ખ થાય એવું તમને કશું લાગ્યું છે અમારા શબ્દોથી ? પ્રશ્નકર્તા: ના. દાદાશ્રી : આ બધું હું બોલું છું ને, તે એની માટે એક બેન શું કહે છે ? ‘દાદા બોલે છે કડક, પણ એની પાછળ ઝનૂન નથી.” તમને સમજાયું એ, કે ઝનૂન નથી એવું ? પ્રશ્નકર્તા : પ્રેમ છે. દાદાશ્રી : હા, પ્રેમ છે. ઝનૂન હોય ત્યાં સાંભળવાની જરૂર નહીં. ઝનૂન તો ઊઘાડો અહંકાર છે. હિંસકતામાં ઝનૂન હોય અને અહિંસકતામાં ઝનૂન ના હોય. અમારી વાણી ગમે એટલી કડક હોય, પણ
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy