SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત ૨૧૧ પ્રશ્નકર્તા : દાદા પાસે વાણી સાંભળવા મળે, દર્શન કરવા મળે, પણ જો અમારી આડાઈ ના નીકળતી હોય તો ? દાદાશ્રી : એ એટલો માર ખાયા કરે. અમે ખટપટીયા છીએ. એટલે મારી ઠોકીને તમને સીધા કરીએ છીએ. તમને મારી ઠોકીને સમજણ પાડીને, તમને સીધા કરીને, પછી દવા પીવડાવી દઈએ અને ભગવાન મહાવીર એવી દવા ના પાય. અક્રમ વિજ્ઞાની એકલાં જ કહી શકે. બાકી જે કહેનારા હતા, તે બોલવાની સત્તા ન્હોતી એમને. જે કહેનાર હતા તીર્થંકર સાહેબો, એમને બોલવાની સત્તા ન્હોતી. એ સંપૂર્ણ વીતરાગ હતા. એટલે ખટપટીયા ન્હોતા. ખટપટીયાને બોલવાની છુટ બધી. અમને સત્તા ય છે અને ખટપટે ય છે, બેઉ છે. એટલે લોકોને કામ લાગે. પ્રશ્નકર્તા : એ પહેલાનાં નહીં બોલેલા, એનું કારણ શું? જ્ઞાતી બોલે, નિર્ભીકપણે ! અમને તો અપાર કરુણા હોય. અમને સહુ નિર્દોષ જ દેખાય. કારણ અમે જાતે નિર્દોષ દ્રષ્ટિ કરીને આખા ય જગતને નિર્દોષ જોઈએ છીએ ! તાત્ત્વિક દ્રષ્ટિએ જોઈએ તો દોષ કોઈનો ય નથી, સંજોગો એવા છે તેથી. પણ આ અમે કડક બોલીએ છીએ, તે સામા માટે સંપૂર્ણ કરુણા હોવાથી, એનો રોગ કાઢવા બોલીએ છીએ. - અમે ચોખું જ કહી દઈએ. કારણ કે અમારે ઘાટ નથી, લાલચ નથી. તારું હિત એ જ અમારે જોવાનું છે. તારા પર અમને અપાર કરુણા હોય, તેથી જ અમે તો નગ્ન સત્ય કહી દઈએ. આ જગતને અમે એકલાં જ નગ્ન સ્વરૂપે કહીએ છીએ. અમે કઠણ બોલીએ. જ્ઞાનીના શાથી કઠણ શબ્દો હોય ? કારણ કે તેઓ નિર્ભીકપણે બોલે છે અને જગત આખું બીકનું માથું બોલે છે. ઉપર બાપો છે તેની બીક લાગે, કર્મ બંધાશે તેની બીક લાગે ! જ્યારે જ્ઞાની પુરુષને તો કોઈ જાતની બીક જ નથી. જ્ઞાની તો વર્લ્ડના ગમે તે માણસને જે ફેક્ટ છે તે કહી દે. કારણ કે જેને કશું જ જોઈતું નથી, પછી શું ? જેને કશું જોઈતું હોય તેને તો લાલચને માટે બીક રાખવી પડે. જ્ઞાનીને તો વર્લ્ડની કોઈ ચીજ જોઈતી નથી, એમને બીક હોતી હશે ? એ તો વર્લ્ડના માલિક કહેવાય !!! ફેક્ટ (સત્ય) વસ્તુ નહીં જાણવી જોઈએ ? ક્યાં સુધી આ લૌકિક વાતો જાણશો ? અલૌકિક જાણ્યા સિવાય બધો છૂટકારો નહીં થાય, ભય નહીં જાય ! વીતરાગ થવાનું છે તો ભય જશે, નહીં તો જગતમાં ભય લાગ્યા જ કરે. બધાંને ભય લાગે. કોઈએ નવી સાયન્ટિફિક (વૈજ્ઞાનિક). શોધખોળ કરેલી હોય, રાત્રે આપણી જોડેની રૂમમાં એ ગોઠવણી કરી આવે ને પેલું જો વિચિત્ર શબ્દ બોલે તો આપણે જાણીએ કે ભૂત આવ્યું, તે આખી રાત ઊંઘ ના આવે. એટલો બધો ભડકાટ-ભય રહ્યા કરે. હવે ક્યાં સુધી આમાં પોષાય બધું ? અમને ભય કેમ નથી ? કારણ કે અમારું બિલકુલ કરેક્ટ છે. જેનું બિલકુલ કરેક્ટ છે, એને જગતમાં ભય શો ? ભય તો કોને હોય કે મહીં દાદાશ્રી : કહ્યું ને, એમને બોલવાની સત્તા નહોતી, ખટપટીયા ોતા એટલે ખટપટીયા થાય ત્યારે બોલે. તે પાછાં એમને બે અવતાર કરવા પડે. તે પેલા લોકો એવું કરે નહીં. પ્રશ્નકર્તા : આપની જે વાણી છે, જે ખટપટીયા વીતરાગની વાણી કહેવાય, તો મહાવીર ભગવાનની દેશના એમ તો ના કહે, ‘તું પાંસરો રહે, અગર તારી આડાઈ છોડી દે !” દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : તો એવું જ્યારે એ ના કહે તો મહાવીર ભગવાનની દેશનામાં જો અમે ગયા હોય તો અમે તો પાછાં જ આવીએ. દાદાશ્રી : પણ એ દેશના ખાલી સાંભળવાની જ છે. આ તો તૈયાર માલ હોય ને, તે આમાંથી બે શબ્દ કાઢી લે. બીજો કાચો માલ તો કાચો જ રહ્યો. કાચો માલ તે પાછો જ જવાનો.
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy