SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ પ્રકરણ ૫ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ ૬૭. વરતુપાળનાં જીવન અને કાર્યની રૂપરેખા જોયા પછી આપણે એના સાહિત્યમંડળના કવિપંડિત તરફ આવીએ. એમના જીવન વિશેની ઉપલબ્ધ હકીકતમાંથી જાણવા મળે છે કે આ લેકે વસ્તુપાળના સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા, પોતાની કાવ્યરચનાઓ વડે તેઓ વસ્તુપાળને કેવી રીતે પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હતા, તથા મંત્રી એમની રચનાઓની કેવી રીતે કદર કરતો હતો. આપણે એ પણ જોઈશું કે એ કવિઓમાંના કેટલાકે વસ્તુપાળનાં પરાક્રમો અને એનાં સત્કૃત્યે વર્ણવવા માટે સ્વતંત્ર કાવ્યો રચ્યાં હતાં તથા અમુક વિશિષ્ટ વિષય ઉપરના ગ્રન્થ મંત્રીની ખાસ વિનંતિથી લખાયા હતા. આ કવિપંડિતે પરસ્પરના સંપર્કમાં કેવી રીતે આવતા હતા, પરસ્પરને સહાય કરતા હતા, એકબીજાની સ્પર્ધા કરતા હતા, એ પણ આપણે જોઈશું. આ લેકે એક વિદ્યામંડળરૂપે હતા અને માત્ર આકસ્મિક આગંતુક નહાતા એ તુરત જોઈ શકાય એમ છે. પરંતુ આ કવિપંડિતને વાઘેલા રાજ્યદરબારના સાહિત્યમંડળ તરીકે નહિ, પણ વસ્તુપાળના સાહિત્યમંડળ તરીકે ઓળખાવવાનું કઈ રીતે યોગ્ય છે એવો પ્રશ્ન કદાચ થશે. આ લેકે ધોળકાના દરબારમાં આવતા હતા તથા હરિહર, નાનાક અને અરિસિંહને વિશે બન્યું છે તેમ ( પેરા ૮૧, ૮૭, ૯૬ ) રાજા પાસેથી કેટલીક વાર પ્રીતિદાન મેળવતા હતા, પણ હવે પછી રજૂ થનાર પુરાવાને આધારે એ જોઈ શકાશે કે તેઓ વાઘેલા રાજા વિશેની પ્રશંસાત્મક કાવ્યરચના કઈ કઈ પ્રસંગે જ કરતા હતા, જે પુરવાર કરે છે કે એમને વસ્તુપાળને જ મુખ્ય આશ્રય હતા અને વસ્તુપાળ દ્વારા જ એમની સાહિત્યઉલ્લેખ કરી શકાય. મંડન વિદ્યાને માટે આશ્રયદાતા હતા તથા પોતે પણ સારા સંસ્કૃત લેખક હતો (જેસાઇ, પૃ. ૪૭૬ અને આગળ). ગુજરાતની બીજી કેટલીક વણિક જ્ઞાતિઓ–પર્કટ, મોઢ, વાયડા વગેરેએ પણ સંસ્કૃત સાહિત્યમાં ફાળો આપે છે. દરેકનું માત્ર એક ઉદાહરણ લઈ એ. “મુદ્રિતકુમુદચન્દ્ર પ્રકરણનો કર્તા યાશ્ચન્દ્ર (પંરા ૨૩, ટિપ્પણ) ધર્કટ હતો. “મહરાજપરાજય'ને કર્તા ચશપાલ (પૈરા ૩૨) મેઢ હતો. પર્વ મંત્રી જેણે કેટલાંક સ્ત્રોતોની રચના કરી હતી (પૈરા ૧૦૫) તે વાયડા જ્ઞાતિને હતા. બીજા ઘણુ લેખકો છે, જેમને આ રીતે ઉલ્લેખ કરી શકાય, પણ ગુજરાતના રાજપુરુષો તથા શાહસેદાગરે લક્ષમી અને સરસ્વતીની સમાન આરાધના કેવી રીતે કરતા હતા એ બતાવવા માટે આ ડાંક ઉદાહરણ પણ પૂરતાં થઈ પડશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy