SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ કવિની લુપ્ત “બૃહત્કથા’ને સંક્ષેપ છે એ જાણીતી હકીકત છે. વલભીનાં દાનપત્રો ઉપરથી જણાય છે કે આખાયે રાજ્યમાં વેદાધ્યયનને રાજ્યાશ્રય મળતો હતો. આનંદપુર(વડનગર)ના વિદ્વાન વેદપાઠી બ્રાહ્મણોને ઉલ્લેખ એ દાનપત્રોમાં વારંવાર આવે છે. ભદિનું પ્રસિદ્ધ “ભદિકાવ્ય” અથવા રાવણવધ( ઈ. સ. ૫૦૦ અને ૬૫૦ ની વચ્ચે), જે સંસ્કૃત સાહિત્યના ઈતિહાસમાં પહેલું જ વ્યાકરણકાવ્ય છે તે વલભીમાં રચાયેલું છે. રામાયણની કથા વર્ણવતા એ કાવ્યમાં પાણિનિનાં વ્યાકરણસૂત્રને વિનિયોગ ભાષામાં કઈ રીતે થાય એનાં ઉદાહરણ આપેલાં છે અને એ રીતે એમાં, કવિતાની વાત બાજુએ રાખીએ તોપણ, એક પ્રચંડ બૌદ્ધિક પ્રયત્ન છે. પછીના સમયમાં રચાયેલાં આચાર્ય હેમચન્દ્રનાં બે વ્યાકરણકા –એક સંસ્કૃત અને બીજું પ્રાકૃત-જે ચૌલુક્યયુગીન ગુજરાતનાં સાહિત્ય અને સંરકૃતિના અધ્યયન માટે બહુ ઉપયોગી સાધનો છે, એના મૂળ નમૂના તરીકે આ “ભદિકાવ્ય” હોય એમ જણાય છે. વલભીની બ્રાહ્મણ સાહિત્યપ્રવૃત્તિનો આ એકમાત્ર અવશેષ બચે છે, પણ તે અનેક રીતે વિશિષ્ટ અને વિલક્ષણ હોઈ ત્યાંની વ્યાપક સાહિત્યપ્રવૃત્તિનો સૂચક બની રહે છે. આ અનુમોદનના ટેકામાં કેટલાંક પ્રમાણે છે; જેમકે વલભીના કેટલાક રાજાઓને ખૂબ વિદ્વાન તરીકે વર્ણવવામાં આવ્યા છે. ધ્રુવસેન ૨ જા (ઈ. સ. ૩૨૯)ને દાનપત્રોમાં સાલાતુરીય અર્થાત પાણિનીય વ્યાકરણમાં તેમજ રાજનીતિમાં નિષ્ણાત (TIળનાટાસુરીયતંત્રમથોજિ નિદાત...) કહ્યો છે. ધરસેન ૨ જા (ઈ. સ. ૪૭૮)ને એક દાનપત્રમાં એના પિતા ગુહસેનને સંરકત, પ્રાકૃત અને અપભ્રંશ એ ત્રણે ભાષાઓમાં પ્રબન્ધરચના કરવામાં નિપુણ (સંસ્કૃતપ્રતાપભ્રંશમાત્ર પ્રતિવપ્રવધરનાનિgતાન્ત કારડ) કહ્યું છે. વલભીના લેખો કેવળ દાનની નોંધ કરતા દસ્તાવેજો છે, પણ એમાં દાન દેનાર રાજા અને એના પૂર્વજોના ઉલ્લેખ એવી ભાષામાં છે કે જે પછીના સમયમાં સંસ્કૃત ગદ્યકાવ્યોમાંના ગદ્યની આગાહી કરતી લાગે છે. ૭, જૈન વિદ્યાનું વલભી કેન્દ્ર હતું એ માટેનાં પણ પ્રમાણ છે. જૈન ૬. ૨. છે. પરીખ, ઉપર્યુક્ત પૃ. ૫૬ ૭. ગુએલે, નં. ૬૩ ૮. એ જ, નં. ૫૦. ડે. મ્યુલરના મત પ્રમાણે (ઇએ, પુ. ૧૦, પૃ. ૨૭૮ અને આગળ), આ બનાવટી દાનપત્ર છે અને એમાં આપેલા વર્ષ કરતાં અર્વાચીન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy