SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [વિભાગ ૩ શીર્ષક કોષર-TY- T-મેનિય છે. એમાં કર્તાએ કાવ્યને હેતુ તથા કાવ્યની સર્વસામાન્ય વ્યાખ્યા આપ્યાં છે, તથા એના ત્રણ પ્રભેદો ધ્વનિ, ગુણીભૂત વ્યંગ્ય અને અવરની પણ વ્યાખ્યા આપી છે. બીજા તરંગનું નામ રવિવાર૪ છે, અને એમાં શબ્દની પણ શક્તિઓ અભિધા, લક્ષણ અને વ્યંજનાની ચર્ચા કરવામાં આવી છે. તરંગ ૨, ૧૬-૨૦માં કર્તાએ કાવ્યમાં બંધની ૩નારWદ્ધ ચત્ર સવ નમઃ એવી વ્યાખ્યા આપી છે તથા બંધમાંથી પેદા થતી શેભાને કાવ્યમાં એક મહત્ત્વની વસ્તુ તરીકે વર્ણવી છે. ત્રીજા તરંગનું નામ ધ્વનિ નિજ છે. અભિધા અને લક્ષણાની ચર્ચા કર્યા પછી લેખક વ્યંજના અથવા ધ્વનિ તરફ વળે છે. વનિ કેવી રીતે પેદા થાય છે એના નિરૂપણમાં તેઓ કાવ્યપ્રકાશને અનુસરે છે, પણ એની ઉત્પત્તિમાં જુદા જુદા સંયોગો કેવી રીતે કારણભૂત થાય છે એ બતાવવા માટે તેમણે સંખ્યાબંધ નવાં ઉદાહરણો આપ્યાં છે (પૃ. ૪૯-૫૩). રસના સિદ્ધાન્તને લગતો ભાગ “કાવ્યપ્રકાશના ચાથા ઉલ્લાસમાંથી લેવામાં આવ્યા છે, જે કે નવ રસની ચર્ચામાં (૩. ૧૩–૨૫) નરેન્દ્રપ્રભનું નિરૂપણ ઉદાહરણે અને બીજી આનુષંગિક બાબતમાં પ્રમાણમાં વિરતૃત છે. નરેન્દ્રપ્રભે વનિને ૩૯ વિભાગ પાડયા છે (૩-૬૩), અને પછી સંકર અને સંસ્કૃષ્ટિથી એ સંખ્યા ૬૧ર૩ સુધી વધારી છે (૩-૬૪), જ્યારે કાવ્યપ્રકાશ' (૪-૪૪) એ પ્રભદોની સંખ્યા ૧૦૪૪૫ આપે છે. આ તરંગને અને કર્તા કહે છે કે ધ્વનિ કાવ્યનો આત્મા છે, અને તે કાર્ય હાઈને ૩રંવાર બની શકે નહિ; અને તેથી કેટલાક આલંકારિક કહે છે તેમ રસવત’ને અલંકાર ગણી શકાય નહિ. ર૫૯ગુfમૂતવન નામે ચોથ તરંગ ધ્વનિના ગૌણ પ્રકારની ચર્ચા કરે છે. રોષuraઈન9 નામે પાંચમ તરંગ કાવ્યના દોષ લંબાણથી ગણાવે છે. આ તરંગમાં સંખ્યાબંધ કારિકાઓ અને તેની વૃત્તિ ઉપર મમ્મટની શાબ્દિક અસર પણ પુષ્કળ જણાય છે, અને કેટલેક સ્થળે તે આખી કંડિકાઓ “કાવ્યપ્રકાશમાંથી લેવામાં આવી છે. છટ્ટા તરંગ ૨૩. સરખાવો કામ, ઉલ્લાસ ૧. પ્રયોગનાળ-વપવિશેષનર્ણય. ૨૪. સર૦ એ જ, ઉલ્લાસ ૨. શનિળય. ૨૫. સર૦ એ જ, ઉલ્લાસ ૩-૪. રાઘવ્યતાનિર્ણય અને દવનિનિર્ણય. ૨૧. સરવે એ જ, ઉલ્લાસ પ. ઇવનિ-જુનીમૂતવ્યથ-વાર્થ-નિર્ણય ૨૭. સર૦ એ જ, ઉલ્લાસ ૭. રીવરીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy