SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ : વિભાગ ૨ સમન્વય કરવાનો પ્રયાસ “કાવ્યપ્રકાશ કરે છે. નિરૂપણમાં આમ સર્વગ્રાહિતા તેમજ સંક્ષેપને કારણે વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ પાક્યગ્રન્થના ગુણ કાવ્યપ્રકાશ” માં હોવાને લીધે, દૂર કાશ્મીરમાં એની રચના થઈ હોવા છતાં એ પછી થોડાક દશકામાં આખાયે ભારતવર્ષમાં એને અભ્યાસ થવા લાગ્યો તથા એના ઉપર પુષ્કળ ટીકાઓ લખાઈ, પરિણામે, સંસ્કૃતમાં એવી એક ઉક્તિ પ્રચારવામાં આવી કે “કાવ્યપ્રકાશ” ઉપર ઘેર ઘેર ટીકાઓ રચાઈ છે છતાં તે એવો ને એવો કઠિન રહ્યો છે. ધ્વનિસંપ્રદાયની રવીકૃત શ્રેષ્ઠતાને ત્યાગ કર્યા સિવાય મમ્મટે કવિતા વિશેના વિવિધ સિદ્ધાન્તો વચ્ચે સમાધાન સાધવાને પ્રયત્ન કર્યો, અને એના અભિપ્રાયને સંસ્કૃતમાં કવિતા વિશેના સૌથી સમતલ અભિપ્રાયો તરીકે સામાન્ય રીતે ગણવામાં આવે છે. વિવરણની પદ્ધતિ અને વિષયના વર્ગીકરણની બાબતમાં “કાવ્યપ્રકાશ” એક પ્રમાણભૂત ગ્રન્થ લેખાય છે. અનેક પ્રસિદ્ધ અલંકારશાસ્ત્રીઓએ એ ગ્રન્થ ઉપર ટીકા લખવાનું પિતાને માટે માનાસ્પદ ગણ્યું છે, જો કે તેમણે પણ સ્વતંત્ર ગ્રન્થમાં મમટથી ભિન્ન એવા પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. મમ્મટે નિરૂપેલું કાવ્યશાસ્ત્ર–વિશેષ ઉદાહરણે, નવીન વ્યાખ્યાઓ અને સૂક્ષ્મ વર્ગીકરણે બાદ કરીએ તે–તેના સમયથી માંડી આજ સુધી લગભગ એ જ સ્વરૂપે રહ્યું છે. ૨૫૦ ઈ. સ. ની ૧૨મી સદીના પૂર્વાર્ધમાં “કાવ્યાનુશાસન રચનાર મહાન વિદ્વાન હેમચન્દ્ર પિતાનાં સૂત્રોની રચનામાં “કાવ્યપ્રકાશ ને આધાર લીધે છે અને એમાંથી પુષ્કળ અવતરણોકેટલેક સ્થળે તે શબ્દશઃ–આપ્યાં છે તથા મમ્મટને નામ દઈને પણ ઉલ્લેખ કર્યો છે. એ બતાવે છે કે “કાવ્યપ્રકાશને એની રચના પછીનાં ડાંક વર્ષોમાં જ ગુજરાતમાં ઉત્સાહપૂર્વક અભ્યાસ થવા લાગ્યો હતો. હેમચન્દ્રના સમયની પહેલાં પણ ગુજરાતમાં મમ્મટના પ્રન્થને પાઠ્યપુસ્તક તરીકે ઉપયોગ થતો હતો એ રપષ્ટ છે. “કાવ્યપ્રકાશ” (ઈ. સ. ૧૧૦૦ આસપાસ) તથા “કાવ્યાનુશાસન” (ઈ. સ. ૧૧૪૩ આસપાસ)ની રચનાને સમય ધ્યાનમાં લેતાં આ હકીકત ખાસ નોંધપાત્ર ५. काव्यप्रकाशस्य कृता गृहे गृहे टीका तथाप्येष तथैव दुर्गमः ।। આ ઉક્તિ મૂળે કાવ્યપ્રકાશના એક ટીકાકાર મહેશ્વરની છે. (કૃષ્ણમાચારિયર, કલાસિકલ સંસ્કૃત લિટરેચર, પૃ. ૭૫૬). મહેશ્વર ઘણું કરીને ઈસવી સનના ૧૭મા સૈકામાં થઈ ગયે (દે, ઉપર્યુક્ત, પુ. ૧, પૃ. ૧૭૯). ( ૬. કૃષ્ણમાચારિયર, કલાસિકલ સંસ્કૃત લિટરેચર, પૃ. ૭૧૯ ૭. ૨. છે. પરીખ, “કાવ્યાનુશાસન', પ્રસ્તાવના, પૃ. ૩૧૭ અને ૨૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy