SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૯૧ ખાસ ઉલ્લેખને પાત્ર છે. એ પછી ઠેઠ ૧૯મી શતાબ્દી સુધી જૈન સાધુઓ (આમાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રની લીક તત્વજ્ઞાનપ્રધાન વિશિષ્ટ સ્તોત્રરચનાઓને સમાવેશ થાય છે, તેમજ શ્રાવકોએ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીમાં તથા બીજી કેટલીક પ્રાદેશિક ભાષાઓમાં રચેલાં પુષ્કળ સ્તોત્રો મળે છે, અને એ સ્તોત્રોના “કાવ્યમાલા” (ગુચ્છ ૭), જૈન તેત્ર સંદેહ અને “જૈનસ્તોત્રસમુચ્ચય' જેવા કેટલાક સંગ્રહો પણ પ્રસિદ્ધ થયેલા છે. વસ્તુપાલ-રચિત સ્તોત્રો રપ. શ્રાવક ગૃહએ રચેલાં તેત્રોમાં વસ્તુપાલકૃત સ્તોત્રો એક સુપ્રસિદ્ધ ઐતિહાસિક પુરુષની એ રચનાઓ છે એટલા જ કારણસર માત્ર નહિ, પરંતુ એની અંતર્ગત સાહિત્યિક ગુણવત્તાને કારણે પણ સેંધપાત્ર છે. વસ્તુપાળે રચેલાં ચાર સ્તોત્રો મળે છે: (૧) “આદિનાથસ્તોત્ર' એ પ્રથમ તીર્થંકર આદિનાથનું બાર કનું સ્તોત્ર છે. એ સ્તોત્રને “મનેરથમય” કહેવામાં આવ્યું છે, કારણ કે એમાં ધાર્મિક અને આધ્યાત્મિક વિષયમાં કર્તા પિતાના મનોરથો વ્યકત કરે છે. એના છેલ્લા લેકમાં કર્તા પિતાને “ગુર્જરચક્રવર્તિ સચિવ તરીકે ઓળખાવે છે. (૨) ‘મિસ્તવ એ દશ શ્લોકમાં બાવીસમા તીર્થંકર નેમિનાથનું સ્તોત્ર છે. એમાં ખરેખર તેત્ર તો આઠ શ્લોકનું અષ્ટક છે, અને છેલ્લા બે લેકમાં કવિ પોતાની ઓળખાણ આપે છે. લોક માં કવિ પોતાને “શારદાધર્મસૂ નું કહે છે. (૩) “અંબિકાસ્તોત્રમ્ એ દશ શ્લોકમાં અંબિકાનું સ્તવન છે. અંબિકા નેમિનાથની શાસન દેવતા છે અને વસ્તુપાળની પ્રાગ્વાટ જ્ઞાતિની કુલદેવતા છે. “અંબિકાતેત્ર” પણ અષ્ટક છે, કેમકે સ્તુતિ પૂરી થયા પછી ૯ માં લેકમાં ભક્તને આશીર્વાદ આપવા માટે પ્રાર્થના છે અને ૧૦મા શ્લોકમાં કર્તા પિતાને ઉલ્લેખ કરે છે. આ સ્તોત્રમાં અંબિકાને “હિમાલયમાં જન્મેલી” અને “હૈમવતી” (શ્લેક ૧), “કુષ્માંડી ” (લેક ૨, ૩, ૪), પુરુષોત્તમ-માનનીયા, (શ્લેક ૬) અને “સરસ્વતી” (લેક ૯) તરીકે વર્ણવેલી છે, જે બતાવે છે કે ઉત્તરકાલીન જૈન દેવસમૂહમાં જૈન અને બ્રાહ્મણ તરોનું કેવું સમિશ્રણ થયું હતું. (૪) “આરાધના' એ સંસારની ક્ષણભંગુરતા અને ધર્મની કલ્યાણમયતા વર્ણવતું દશ શ્લેકનું સાદુ કાવ્ય છે. એને પહેલો લેક (ન થતં સુત ની ચર્ચા માટે જુઓ મહેન્દ્રકુમાર શાસ્ત્રી, “પ્રમેયકમલમાર્તડ, પ્રસ્તાવના, પૃ. ૩૦-૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy