SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ ડળ [વિભાગ ૩ સ્મારકરૂપે પ્રશસ્તિ રચવાની આ પરપરા ઠેઠ અર્વાચીન કાળ સુધી ચાલુ રહી હતી. ગુજરાત, રાજસ્થાન અને માળવામાં—ખાસ કરીને જૈનામાં પ્રશસ્તિના એક વિશિષ્ટ પ્રકાર છે, જે ગ્રન્થપ્રશસ્તિ' તરીકે ઓળખાય છે. જૈન ગ્રન્થકારે। પાતાની રચનાને અંતે લાંખી પ્રશસ્તિ આપે છે, જેમાં પેાતાને વિશે તથા પોતાના ગુરુ, ગુચ્છ અને અન્ય ઐતિહાસિક બાબતે વિશે વિગતે તેએ આપે છે. આ ઉપરાંત, જે શ્રાવકના આશ્રય નીચે ગ્રન્થાની નકલા થઈ તથા જેમણે ધાર્મિક ગ્રન્થેાની હસ્તપ્રતા ખરીદીને ચેાગ્ય સાધુસાધ્વીએને દાન આપી એમની પ્રશસ્તિએ પણ તે તે ગ્રન્થાને અંતે હાય છે. આવી . સંખ્યાબંધ પ્રશસ્તિ પિટર્સન અને ભાંડારકર જેવા વિદ્વાનેાના હસ્તપ્રતાની શેાધના અહેવાલેામાં, પાટણ અને જેસલમેરના ભડારાની સૂચિમાં તથા ‘જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ' જેવા અનેક સંગ્રહામાં છપાયેલી છે. મધ્યકાલીન ગુજરાતનાં કેટલાંયે શ્રીમંત જૈન કુટુંબે। વિશે તથા એકંદરે સાંસ્કૃતિક ઇતિહાસ વિશે વિવિધ દષ્ટિએ ઘણી અગત્યની માહિતી આવી પ્રશસ્તિએામાંથી મળે છે. ૨૦૭. પ્રશસ્તિરચના અહુ સરલ હેાય છે. મંગલાચરણુ પછી તે સ્થાપત્ય બધાવનારનું કે દાતાનું વર્ણન કરે છે. એ વ્યક્તિ તત્કાલીન રાજ્ય કર્તાથી ભિન્ન હોય તેા રાજ્યકર્તા વિશે પણ કંઇક ઉમેરવામાં આવે છે. બન્નેયમાં વશાવલીએ કૈક આપવામાં આવે છે. પછી દાનની વિગતે અપાય છે અથવા કાવ્યશૈલીએ સ્થાપત્યનું વર્ણન કરવામાં આવે છે. વળી એમાં સ્થપતિનું, પ્રતિષ્ઠા કરાવનાર પુરહિત અથવા ધર્મગુરુનું, પ્રશસ્તિ રચનાર કવિનું, પથ્થર અથવા તામ્રપત્ર ઉપર એ લખનાર લહિયાનું તથા એ કાતરનાર કારીગરનું નામ પણ માટે ભાગે આપવામાં આવે છે. પ્રશસ્તિ મન્દિરમાં હાય, જાહેર ઉપયાગના ાઇ મકાનમાં હાય, મૂર્તિ ઉપર કે તામ્રપત્રમાં હોય અથવા કાઈ હસ્તપ્રતને અંતે હાય તે અનુસાર એના સ્વરૂપમાં ઘેાડેાક તફાવત હેાય છે. ઐતિહાસિક દષ્ટિએ અગત્યના ભાગ તે એમાં આપેલી વંશાવલીના તથા વર્ણવેલાં પરાક્રમેા અથવા ધાર્મિક કાર્યાના હાય છે. કેટલીક પ્રકૃિતએ બહુ ટૂંકી-માત્ર ઘેાડીક પક્તિઓની હોય છે, ત્યારે ખીજી કેટલીક સા કરતાં પણ વધુ પકિતએ કે શ્લોકાની હાય છે. કેટલીક પ્રશસ્તિએ ગદ્યમાં તે કેટલીક પદ્યમાં હાય છે, જ્યારે કેટલીક ગદ્યપદ્યાત્મક હૈાય છે; અને ઇતિહાસ અને કવિતા તરીકેના મૂલ્યની દૃષ્ટિએ પણ જુદી જુદી પ્રસ્તિ વચ્ચે માટા તફાવત હાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy