SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮] સંસ્કૃત સાહિત્યમાં ફાળે વસ્તુપાળ અને તેજપાળનાં સત્કૃત્યો વર્ણવતી પ્રશસ્તિ ૨૦૮ વસ્તુપાળ અને તેજપાળના~સંક્ષિપ્ત તેમજ સુદી -પુષ્કળ શિલાલેખા મળે છે, પણ અહીં આપણે એવા જ લેખાના વિચાર કરીશું, જે સ્વતંત્ર કાવ્યા તરીની ગણનાને પાત્ર છે. આપણે એવાં કાવ્યાની પણ સમીક્ષા કરીશું, જે કયાંય કાતરાયેલાં નથી, પરન્તુ જેની રચના પ્રશસ્તિ તરીકે થઈ હતી. ડભોઇના વૈદ્યનાથ મહાદેવના મન્દિરનું તથા રાજા વીસલદેવે કરાવેલા એના જર્ણોદ્ધારનું વર્ણન કરતી, વતુપાળના મિત્ર સામેશ્વરકૃત • વૈદ્યનાથપ્રશસ્તિ ’સિવાય આ બધાં જ કાવ્વામાં મધ્યવતી વ્યક્તિ તરીકે વસ્તુપાળ અને તેજપાળ છે. માટા ભાગની પ્રશસ્તિના વિષય વસ્તુપાળનાં સત્કૃત્યાનેા હાઇ એમાંની લગભગ બધી જ પરંપરાગત શૈલીએ અતિશયાક્તિપૂર્ણ વર્ણના કરે છે, એટલે તેનેા કાવ્યગુણ સાધારણ છે. અલબત્ત, ટલેક સ્થળે એમાં કવિતાના વિશિષ્ટ ચમકારા દેખાય છે. [ ૧૭૭ સામેશ્વરકૃત ‘આબુપ્રશસ્તિ’ , , ૨૦૯. સોમેશ્વરકૃત ‘ આબુપ્રશસ્તિ ' એ આખુ ઉપરના મન્દિરમાં મુકાયેલા શિલાલેખ છે. એમાં વિવિધ વૃત્તોમાં ૭૪ શ્લાક છે. પહેલા બે ક્ષેાકેામાં અનુક્રમે સરરવતી તથા આજીના મન્દિરના મૂલનાયક નેમિનાથની સ્તુતિ કરી છે, અને ત્રીજા ક્લાકમાં અણુહિલવાડનું ટૂંકું વર્ણન છે. પછી વસ્તુપાળ તેજપાળની વશાવિલ તથા એમનાં માતાપિતા, ભાઇ અને બહુના વિશેના પ્રશ’સાપૂર્ણ ઉલ્લેખા (લાક ૪–૨૪) આવે છે. ‘ચૌલુકયની એક શાખા ( વાઘેલા ) ના તિલકસમાન ' અર્ણોરાજના તથા એના પુત્ર અને પૌત્રલવણપ્રસાદ અને વીરધવલના ઉલ્લેખ કવિ ૨૫–૨૯ શ્લાકમાં કરે છે. પછી આખુનું વર્ણન અને ત્યાંના રાજ્યકર્તા પરમારેાની શાલિ આવે છે; વસિષ્ઠના હામુકુંડમાંથી પરમારાની પુરાણેાની ઉત્પત્તિથી માંડી ચંદ્રાવતીના તત્કાલીન રાજ્યકર્તા સામસિંહ અને એના યુવરાજ કૃષ્ણરાજ સુધી એ વંશાવલિ આવે છે ( લેાક ૩૦-૩૨ ). એ પછી વસ્તુપાળ અને એનાં કુટુંબીજનાની~એની પત્ની લલિતાદેવી અને પુત્ર જયન્તસિંહ, તેજપાળ અને એની પત્ની અનુપમા, તથા એમના મેાટા ભાઈ મલ્લદેવ અને એનાં પત્ની અને પુત્રની-પ્રશસા ( શ્લાક ૪૩-૫૮ ) આવે છે. પછી તેજપાળે બધાવેલાં મન્દિરાની તથા એનાં કુટુંબીજનેાની હત્યાઢ દશ મૂર્તિએ-જે જિનને નમસ્કાર કરવા આવેલા દશ દિક્પાલ જેવી દેખાતી હતી તેની વાત કવિ કરે છે (શ્લાક ૫૯-૬૫ ). શ્લોક ૬૬-૬૮ વસ્તુપાળનાં ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy