SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ નાટકે પૌરાણિક પ્રયજનો( Motifs)ને ઉપયોગ કરે છે, અને એથી તેમને મર્યાદિત અર્થમાં જ ઐતિહાસિક ગણી શકાય. વસ્તુપાળ અને વીરધવલે ગુજરાત ઉપરના મુસ્લિમ આક્રમણને ખાળ્યું એ શુદ્ધ ઐતિહાસિક પ્રસંગ “હમ્મીરમદમન'ના વસ્તુ તરીકે લેવાયો છે, એટલું જ નહિ, પણ એનું નિરૂપણ જે રીતે થયું છે એ બતાવે છે કે કર્તાને સમકાલીન ઘટનાઓનું બરાબર જ્ઞાન હતું. “હમ્મીર' એ અરબી શબ્દ “અમીર'નું ભ્રષ્ટરૂપ છે, અને દિલ્હીના સુલતાન માટે એ શબ્દ વપરાયો છે; નાટકમાં સુલતાનને કેટલીક વાર મિલચ્છીકાર કહેવામાં આવ્યો છે. ૨૦૧, “હમ્મીરમદમર્દન” એ પાંચ અંકનું નાટક છે. જેનાથી લેકે કંટાળી ગયા છે એવાં ભયાનકરસમય પ્રકરણોથી જુદા જ પ્રકારનું આ નવરસમય નાટક છે એવો દાવો કર્તા શરૂઆતમાં જ (પૃ. ૧) કરે છે. પ્રસ્તાવના પછી પહેલા અંકમાં વરધવલ અને તેજપાળ પ્રવેશે છે તથા એક રાજપુરુષ તરીકે વસ્તુપાળની પ્રશંસા કરે છે. એમના સંવાદમાંથી જાણવા મળે છે કે તુરષ્ક હમ્મીર અને યાદવ સિંહણ ગુજરાત ઉપર આક્રમણું કરવાની તક શોધે છે, તથા એમાં લાટરાજ સિંહના ભત્રીજા સંગ્રામસિંહ તરફથી સહાયની તેઓ આશા રાખે છે. તેજપાળના પુત્ર લાવણ્યસિંહના ગુપ્તચરો અગત્યના સમાચાર લાવે છે, જેને પરિણામે રાજા વિરધવલ હમ્મીર ઉપર હુમલો કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. વસ્તુપાળ પણ બહુ લાંબે સુધી શત્રને પીછો પકડવાના સાહસથી દૂર રહેવાની તથા મારવાડના રાજાઓની સહાય લેવાની સલાહ એને આપે છે. બીજા અંકમાં લાવણ્યસિંહની ઉક્તિઓમાંથી જણાય છે કે આ સલાહને બરાબર અનુસરવામાં આવી છે. પછી નિપુણક નામે એક ગુપ્તચર આવીને પિતાનાં પરાક્રમની વાત કરે છે: “હું સિંહણની છાવણીમાં પ્રવેશ્યો અને વીરધવલના સૈન્યની હિલચાલની ખબર રાખનાર ગુપ્તચર હોવાને મેં સફળ દેખાવ કર્યો, હમ્મર ઉપર આક્રમણ કરવા માટે વિરધવલ તૈયાર હોવાના સમાચાર તેણે આપ્યા અને હમીર સાથેના યુદ્ધથી વિરધવલનું સૈન્ય નબળું પડી જાય ત્યાર પછી એના ઉપર હુમલો કરવાને લાગ સાધવા માટે તાપીનાં જંગલોમાં રાહ જોવા માટે મેં સિંહણને સમજાવ્યા.” નિપુણકને ભાઈ સુવેગ મારવાડના રાજા દેવપાલની સેવામાં ગુપ્તચર હતો; તેની યુક્તિપ્રયુક્તિઓ દ્વારા નિપુણક સિહણના મન ઉપર એવી છાપ પાડવામાં સફળ થાય છે કે સંગ્રામસિંહ દુશ્મનોની સાથે છે; બીજી તરફ તે સંગ્રામસિંહને ભય પમાડીને નસાડી મૂકે છે. પછી વસ્તુપાળ રંગભૂમિ ઉપર આવે છે. એને ચર કુશલક એને સમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy