SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ ] સંસ્કૃત નાટકનાં લક્ષણે [ ૧૫૯ રાવણ પ્રવેશે છે અને બળપૂર્વક સીતાનું હરણ કરી જાય છે. ગીધને રાજા જટાયુ સીતાને બચાવવા આવે છે, પણ એને સફળતા મળતી નથી, અને રાવણના અનુચર ઘરાક્ષ દ્વારા જાણવા મળે છે કે જટાયુ મરણતોલ ઘાયેલ થયો છે. સીતાને પર્ણકુટીમાં નહિ જોતાં રામ અને લક્ષ્મણ એની શોધ કરવા નીકળે છે, અને માર્ગમાં જટાયુ પાસેથી એમને સીતાનું હરણ થયાના સમાચાર મળે છે. દક્ષિણમાં પંપાસર તરફ જવાની અને ત્યાં સુગ્રીવ આદિ વાનરરાજાઓ સાથે મૈત્રી કરવાની સલાહ જટાયુ રામને આપે છે. છઠ્ઠી અંકના આરંભમાં માલ્યવાન, સારણ અને શક એ ત્રા| રાક્ષસના સંવાદમાંથી જણાય છે કે રામે વાલિન વધ કર્યો છે અને હનુમાને લંકાનું દહન કર્યું છે; સીતા રામને પાછી સોંપી દેવા વિભીષણે રાવણને સલાહ આપી હતી, પણ રાવણે વિભીષણનું અપમાન કર્યું અને પરિણામે એ રામના શિબિરમાં ચાલ્યો ગયો છે. વાલિપુત્ર અંગદ વિષ્ટિ માટે રાવણના દરબારમાં આવે છે, પણ એની વિષ્ટિ નિષ્ફળ જાય છે અને બન્ને વચ્ચે સામસામે આક્ષેપ થાય છે. નેપથ્યમાંથી વાનરોદ્ધાઓની યુદ્ધપણું સંભળાય છે. પોતાના મહેલની અગાશીમાંથી રાવણ રામના સૈન્યનું અવલોકન કરે છે, અને એમાંના મુખ્ય દ્ધાઓને પરિચય એને શક આપે છે. એ જ રીતે સુવેલ પર્વતના શિખર ઉપરથી રામ અને વિભીષણ રાવણનું સૈન્ય નિહાળે છે. ૧૮૯. લગભગ આખોયે સાતમે અંક રાવણના મિત્ર મથુરાના રાજા લવણના ગુપ્તચર કાપટિક અને વૃકમુખ નામે એક રાક્ષસ વચ્ચેના સંવાદથી રોકાયેલે છે. એમાંથી પ્રેક્ષકો જાણે છે કે રાવણને વધ થયો છે, સતા અગ્નિપરીક્ષામાંથી પસાર થયાં છે અને લંકાના રાજ્યસન ઉપર વિભીષણને અભિષેક થયો છે. આમ છતાં રામના માર્ગમાં હજી પણ વિધ્રો નાખવાનો નિશ્ચય કાપટિક વ્યક્ત કરે છે. અંતમાં, અયોધ્યા જવા પુષ્પક વિમાનમાં બેસવા વિનંતિ કરતે વિભીષણને અવાજ નેપથ્યમાંથી સંભળાય છે. આઠમા અંકને પ્રારંભ પુષ્પક વિમાનમાં રામના લંકાથી અયોધ્યા તરફના પ્રવાસથી થાય છે. માર્ગમાં આવતાં સ્થળો જેમાંનાં કેટલાંક તે દંડકારણ્યમાં નિવાસને કારણે પૂર્વપરિચિત હતાં એ વિશે સીતા પ્રશ્ન કરે છે અને રામ એનું કુતૂહલ શાંત કરે છે. કાપટિક એક યુવાન મુનિને વેશ ધારણ કરે છે અને જલદીથી અયોધ્યા પહોંચી જાય છે, જ્યાં રાવણના મરણના સમાચાર હજી પહોંચ્યા નથી. કાપટિક ત્યાં એવા બેટા ખબર આપે છે કે રામ અને લક્ષમણનો રાવણે વધ કર્યો છે અને હવે અયોધ્યા ઉપર આક્રમણ કરવા માટે તે પુષ્પક વિમાનમાં આવે છે. આ સાંભળીને ભરત સૈન્યને સજ્જ થવાની આજ્ઞા કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy