SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [ વિભાગ ૨ 6 6 હાઈ શકે; ઉલ્લેખ ઃ પ્રબન્ધકાશ 'માં છે.૧૦૯ ‘ સૂક્તાવલિ ' એ સુભાષિતાને સંગ્રહ કલાકલાપ ’ને ‘ પ્રબન્ધકાશ 'માં શાસ્ત્ર કહેવામાં આવ્યું છે, એટલે ક્ષેમેન્દ્રના ‘ કલાવિલાસ ’જેવા પર’પરાગત વિવિધ કલાઓનું નિરૂપણ કરતા ગ્રન્થ તે હાય એ સભવિત છે. અમચન્દ્ર અને પદ્મ મત્રી ૧૦૫. અમરચન્દ્રની કૃતિમાં પદ્માનંદ મહાકાવ્ય અથવા જિનેન્દ્રચરિત ' ખાસ ઉલ્લેખપાત્ર છે, કેમકે વસ્તુપાળના નહિં પણ પદ્મ મંત્રીના આશ્રય નીચે તે રચાયું હતું. પદ્મના નિર્દેશ પદ્માનન્દ ' એ નામમાં જ છે; સિદ્ધસારરવત મંત્રના જાપ કરતાં અમરચન્દ્ર એના મહાલયમાં રહ્યા હતા ( પુરા ૧૦૨ ). પદ્માનન્દ મહાકાવ્ય 'ની પ્રશસ્તિમાં અમચન્દ્રે પદ્મ મત્રી વિશે ઘણી હકીકત આપી છે. વિદ્યા અને સાહિત્યના શેાખીન, અણુહિલવાડના એક સમૃદ્ધ કુટુંબ વિશે એમાંથી ઘણું જાણવા મળે છે. વાયડા વિણક જ્ઞાતિમાં પદ્મના જન્મ થયા હતા. એની વંશાવલના પ્રારંભ વાસુપૂજ્ય નામે પુરુષથી અમરચન્દ્ર કરે છે. વાસુપૂજ્ય પણ એક મંત્રી હતો. પદ્મને રાજા વીસલદેવ તરફથી શ્રીકરણમુદ્રા પ્રાપ્ત થઈ હતી. એના નાના ભાઈ મલ્લદેવના ઉલ્લેખ પણ મત્રી તરીકે કરવામાં આવ્યા છે; વીસલદેવના મંત્રિમંડળમાં એ હશે અને વીસલદેવના ઉત્તરાધિકારી અર્જુનદેવના સમયમાં એ મહામાત્ય-પદ પહોંચ્યા હશે, કેમકે ઉત્કીર્ણ લેખા અનુસાર, અજુ નદેવના મહામાત્ય મહ્લદેવ નામે હતેા.૧ ૧૧૦ રાજનીતિમાં કુશળ હાવા ઉપરાંત પદ્મ એક કવિ પણ હતા, અને નવાં નવાં સ્તોત્રા રચીને તે તીર્થંકરની સ્તુતિ કરતા હતા. અમરચન્દ્ર અને ગૌરગુણ નામે એક પડિત વચ્ચે પદ્મ મત્રી સમક્ષ વાદવિવાદ થયા હતા, અને તેમાં અમરચન્દ્રના વિજયની માન્યતારૂપે પડ્યે એમને જયપત્ર તથા ‘ બ્રહ્મન્દુ બિરુદ આપ્યું હતું. આ પદ્મની વિનંતીથી જ અમરચન્દ્રે ‘ પદ્માનન્દ મહાકાવ્ય ’ રચ્યું હતું. આ બે પુરુષા–એક ગૃહસ્થ અને ખીજા સાધુ–એક જ સ્થળના વાયડના વતની અને એક જ ગચ્છના અનુયાયી હાઈ પરસ્પરના ગાઢ સંપક માં હતા, અને પરિણામે વસ્તુપાળની જેમ પદ્મ મત્રીએ પણ અમરચન્દ્રને એમની સાહિત્યપ્રવૃત્તિએમાં અનેકવિધ સહાય અને ઉત્તેજન આપ્યાં હાય એમાં કશું આશ્ચર્ય નથી. પદ્માનન્દ મહાકાવ્ય 'માં પ્રથમ તીર્થંકર આદિનાથના જીવનનું નિરૂપણ છે, અને તેથી એ ‘ જિનેન્દ્રચરિત ’તરીકે પણ , * 6 Jain Education International 6 ૧૦૯. પ્રા, પૃ. ૬૨ ૧૧૦, બાગ, પુ. ૧, ભાગ ૧, પૃ. ૨૦૬ For Private & Personal Use Only " www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy