SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૯૩ ભારે સાહિત્યિક કીર્તિ પ્રાપ્ત થઈ હતી, તે પણ પિતાને કલાગુરુ અરિસિંહ સર્વદા એમના માનપાત્ર હતા; “સુકૃતસંકીર્તન ના પ્રત્યેક સર્ગને અંતે અમરચન્ટે ઉમેરેલા શ્લોકમાંથી આ વસ્તુ બરાબર સ્પષ્ટ થાય છે. ઉદાહરણ તરીકે જુઓ– પ્રતિવાદીરૂપી હાથી માટે સિંહ સમાન અરિસિંહે સર્વદા પ્રસાદોન્મુખ વસ્તુપાળના દષ્ટિપાતના પીયૂષરસનું અનુકરણ કરતો આ પ્રબન્ધ રચ્યો છે.” (૧-૪૫.) “લાવણ્યસિંહના પુત્રના મુખચન્દ્રના રશ્મિસમૂહરૂપ અને દુષ્ટોનાં વદનરૂપી કમળામાંથી ભ્રમરને દૂર કરનાર આ પ્રબધુ શ્રીવાસ્તુપાળ સચિવાધિપતિના કીર્તિરૂપ ક્ષીરસમુદ્રમાં નિત્ય તરંગો પેદા કરે છે.” (૮-૪૮) અમરચન્દ્રની સાહિત્યકૃતિઓ ૧૦૪, અમરચન્દ્રની સાહિત્યરચનાઓ વિપુલ અને વિવિધ વિષયને લગતી છે. “મહાભારત ને પદ્યમય સંક્ષેપ “બાલભારત” અને કવિશિક્ષાને લગતો ગ્રન્થ “કાવ્યકલ્પલતા” એ બે કૃતિઓ તે સુપ્રસિદ્ધ છે. અમરચન્દ્રના પિતાના જ કથન મુજબ, “કાવ્યકલ્પલતા” ની કારિકાઓમાંની કેટલીક અમરચન્દ્રની પિતાની અને કેટલીક અરિસિંહની રચના છે. ૧૦૬ “ કાવ્યકલ્પલતા” ઉપર “કવિશિક્ષા” નામે ટીકા પણ અમરચન્ટે રચેલી છે. એ જ ગ્રન્થ ઉપરની બીજી બે ટીકાઓ “કાવ્યકલ્પલતાપરિમલ ” અને “કાવ્યકલ્પલતા-મંજરી” પણ તેમણે રચી છે.૧૦૭ એમાંથી “મંજરી” અત્યારે ઉપલબ્ધ નથી. આ બન્ને ટીકાઓને ઉલ્લેખ કર્તાએ “કાવ્યકલ્પલતા માં કર્યો છે. ૧૦૮ “અલંકારપ્રબોધ” નામે કાવ્યશાસ્ત્રને ગ્રન્થ અમરચન્ટે રચ્યા હતો; એને ઉલેખ તેમણે ઉપર્યુક્ત “કવિશિક્ષા ” વૃત્તિ (પૃ. ૧૧૬)માં કર્યો છે, પરન્તુ તે ગ્રન્થ પણ અત્યારે ઉપલબ્ધ નથી. આ ઉપરાંત અમરચન્દ્ર છંદ શાસ્ત્રની એક કૃતિ “છન્દોરત્નાવલિ ” અને વ્યાકરણની એક કૃતિ સ્વાદિશબ્દસમુચ્ચય ” રચી છે. “સ્વાદિશબ્દસમુચ્ચય' ઉપર જયાનંદની ટીકા મળી છે, પણ એ ટીકાને સમય જાણવામાં નથી. “સૂકતાવલિ' અને કલાકલાપ” નામની અમરચન્દ્રની બીજી બે અનુપલબ્ધ રચનાઓનો ૧૦૬. જુઓ ટિ. ૯૫ ૧૦૭. કાવ્યકલ્પલતા” ઉપર શુભવિજયે ઈ. સ. ૧૬૦૯ માં “મકરન્દ નામે ટીકા રચી છે (જિરકે, પ્ર. ૮૯). ૧૦૮. કાકલ, પૃ. ૧૯, ૨૮, ૬૩, ૬૭. વળી જુઓ કાપડિયા, “ પાનન્દ મહાકાવ્યની પ્રસ્તાવના, પૃ. ૨૮, ૪૨; જેસાઇ, પૃ. ૩૭૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy