SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૯૫ ઓળખાય છે. વીસે તીર્થકરોની સંક્ષિપ્ત જીવનકથા આલેખતું બીજું એક નાનું કાવ્ય, “ચતુર્વિશતિજિનેન્દ્ર-સંક્ષિસ-ચરિતાનિ' પણ અમરયને રચ્યું છે. અમરચન્દ્રની કૃતિઓની આનુપૂર્વી ૧૦૬, અમરચન્દ્રની રચનાઓની આનુપૂર્વી વિશે નિશ્ચયપૂર્વક કશું કહી શકાય એમ નથી, કેમકે એમાંથી એકેયમાં રચનાવર્ષ નથી. આ વિશે પ્રકાશ પાડે એવો ઝાઝો આંતરિક પુરાવો પણ નથી. આપણે એટલું જ કહી શકીએ કે “કાવ્યકલ્પલતા-મંજરી” “કાવ્યકલ્પલતા–પરિમલ” અલંકારપ્રબોધ” અને “ ઇન્દોરત્નાવલી” એ ચારે કૃતિઓ, “કાવ્યકલ્પલતા-વૃત્તિ'માં એમનો ઉલ્લેખ હોવાથી,૧૧૧ એની પહેલાં રચાઈ હોવી જોઈએ. વળી ‘કાવ્યકલ્પલતા ની ટીકાઓના વિશિષ્ટ નામ ઉપરથી એમ પણ અનુમાન થાય કે પહેલાં “મંજરી' અને ત્યારપછી “પરિમલ ની રચના થઈ હશે. ‘પદ્માનન્દ મહાકાવ્ય ની રચના ઈ. સ. ૧૨૩૮ (વીસલદેવને રાજ્યાભિષેક ) અને ઈ. સ. ૧૨૪૧ (સં. ૧૨૯૭ ખંભાતના ભંડાર માંની એની હસ્તપ્રતનું લેખનવર્ષ)ની૧૧૨ વચ્ચે થઈ હોવી જોઈએ, કેમકે એની પ્રશસ્તિમાં રાજ્યર્તા તરીકે વીસલદેવનો ઉલ્લેખ હોઈ એના રાજ્યાભિષેક પહેલાંનું એ હોઈ ન શકે; અને એ જ રીતે એની નકલ થયાના વર્ષ-ઈ. સ. ૧૨૪૧ પછીનું પણ એ ન હોય. “ચતુર્વિશતિજિનેન્દ્ર–સંક્ષિપ્તચરિતાનિ'માંના એક ઉલ્લેખ૧૧૩ ઉપરથી જણાય છે કે સંક્ષિપ્ત કૃતિની રચના “પદ્માનન્દ મહાકાવ્ય 'ની પહેલાં થઈ હતી. ૧૦૭, અમરચન્દ્રને નામે ચડેલી કેટલીક સૂક્તિઓ પ્રબધામાં સચવાઈ છે. વસ્તુપાળની એક સંધયાત્રાનો પ્રસંગે અમરચન્દ્ર ઝોકાં ખાતા હતા એ જોઈને વસ્તુપાળે એમને મીઠે ટોણો માર્યો, પણ અમરચન્ટે પિતાની યોગનિદ્રાનું કારણ આપતો એક કવિત્વમય શ્લેક તુરત રચે અને એમાં સંધયાત્રાની ભવ્યતા વિશે વાર્તાલાપ કરતાં વિષ્ણુ અને લક્ષ્મીને વર્ણવ્યાં;૧૧૪ ૧૧૧. ઇન્દોરત્નાવલિના ઉલ્લેખ માટે જુઓ કાકલ, પૃ. ૬. ૧૧૨. ગૂલર, ઇએ, પુ. ૩૩૧, પૃ. ૪૮૦ ૧૧૩. પૂર્વે બીવૃષમાનામëતાં ચરિતાનિ તે | पुरः श्रीपद्मसंक्षेपाद् वक्ष्ये विस्तरतस्ततः ॥ (१-२) ૧૧૪. ફિક્સ પ્રેસિ. (વચ, ૬-૯૦). પ્રસ્ત (પૃ. ૬૨)માં આ લેક નરચંદ્રાચાર્યના મુખમાં મુકાયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy