SearchBrowseAboutContactDonate
Page Preview
Page 856
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૨ પુત્રરત્ન અતુલકુમારનો પરમ ઉપકારી આચાર્યદેવશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં વિ.સં. ૨૦૪૭ના વૈશાખ વદ ૫ને રવિવાર તા. ૨-૬-૧૯૯૧ના મંગળ દિને વડલા જેવા ઘેઘૂર શ્રી પ્રેમચંદઈશ્વરલાલ પરિવાર તરફથી આયોજિત ભવ્ય દીક્ષા સમારંભ. વિવિધ ક્ષેત્રની નીચે મુજબની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. પ્રમુખ-શ્રી આબુ તળેટી તીર્થ-માનપુર-આબુરોડ (રાજસ્થાન), શ્રી અલૌકિક પાર્શ્વનાથ તીર્થ-ઉજ્જૈન (એમ.પી.), શેઠ આણંદજી કલ્યાણજી પેઢીઅમદાવાદ, શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર કોન્ફરન્સ-મુંબઈ, શ્રી વડગામ તાલુકા વેપારી એસોસિએશન–વડગામ (ઉ. ગુજરાત), શ્રી વડગામ માધ્યમિક કેળવણી મંડળ, વી.જે. પટેલ હાઇસ્કૂલ-વડગામ, ટ્રસ્ટી : શ્રી વાલમ જૈન તીર્થ, શ્રી રાંતેજ જૈન તીર્થ, શ્રી મેત્રાણા જૈન તીર્થ, શ્રી પાલનપુર જૈન મિત્રમંડળ, શ્રી વડગામ જૈન સંઘ, શ્રી જૈન મિત્રમંડળ–પાલનપુર–પ્રમુખ ૬ વર્ષ, ટ્રસ્ટી ૭ વર્ષ, શ્રી વડગામ ગ્રામપંચાયત-વડગામ–સરપંચ ૫ વર્ષ, શ્રી પાલનપુર-વડગામદાંતા માર્કેટ કમિટી-પાલનપુર-૧૫ વર્ષ, શ્રી બનાસકાંઠા જિલ્લા વેપારી મહામંડળ–પાલનપુર-૫ વર્ષ, શ્રી પાલનપુર ગંજબજાર એસોસિએશન-પાલનપુર-૫ વર્ષ, શ્રી ધાણધાર કેળવણી મંડળપ્રમુખ-૧૭ વર્ષ. શત્રુંજય ગિરનાર, સમેત શિખરજી, પાવાપુરી આદિ લગભગ ૯૦ તીર્થોની યાત્રા. પિતાશ્રી ૫૧ વર્ષની ઉંમરે વિ.સં. ૨૦૧૩ના કારતક સુદ ૭ના દિવસે સમાધિમય રીતે પરલોક સિધાવ્યા. માતુશ્રી હાલ ૮૦ વર્ષની ઉંમરે પણ પૂજા કરી શકે છે. છોટાલાલ, રમણિકલાલ, સેવંતીલાલ–ભાઈઓ સુરત-મુંબઈમાં વેપાર-કારોબાર સંભાળે છે. ચિ. અતુલ અમદાવાદ મુકામે વિ.સં. ૨૦૪૭ના વૈશાખ વદ પના રવિવારના મંગલ દિવસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી, મુનિશ્રી હિતરુચિવિજયજી તરીકે સુંદર આરાધના આરાધી રહ્યા છે. ચિ. અનિલ–મુંબઈ ભાઈઓ સાથે વ્યવસાયમાં સંકળાયેલા છે. સુધીર, રાજેશ, નીલેશ, હિતેશ, રૂપેશ પાંચેય ભત્રીજા મુંબઈ-સુરતમાં ભાઈઓ સાથે વ્યવસાયમાં સંકળાયેલા છે. દીકરી-ત્રણ, ભત્રીજી પાંચ છે. દેવગુરુની ભક્તિ અને કૃપાથી જિનવાણીશ્રવણથી સદ્વિચારોનું મનન–સિંચન થયું. સારા સંસ્કારોથી જીવનમાં તન–મન અને ધનનો સદુપયોગ શક્ય હોય તેટલો કરી શકાયો. આ કુટુંબે સંયુક્તપણે શ્રી પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવાર અને માતુશ્રી ચંપાબહેનના નામે સંપત્તિનો નીચે દર્શાવ્યા મુજબ Jain Education International ચતુર્વિધ સંઘ સય કરેલ છે. વાલમ જૈન તીર્થમાં—શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ જૈન ભોજનશાળા, રાંતેજ તીર્થમાં શાહ ચંપાબેન જૈન ભોજનશાળા, આબુ તીર્થમાં-આબુ-દેલવાડા તીર્થમાં મુખ્ય મંદિર મહાવીર સ્વામી ભગવાનના દેરાસરમાં મૂળનાયકજીની પ્રતિષ્ઠા તથા નેમિનાથ ભગવાનના દેરાસરજીમાં એક દેરીની પ્રતિષ્ઠા, સિદ્ધગિરિ પાલિતાણામાં ગિરિરાજ ઉપર નૂતન બનેલ આદીશ્વર ભગવાનના દેરાસરજીમાં શ્રી સંભવનાથ, શ્રી અજિતનાથ તથા શ્રી અભિનંદન સ્વામીજીની પ્રતિષ્ઠા, વીસનગરમાં-કાજીવાડના નૂતન દેરાસરજીનું ખાતમુહૂર્ત-મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા, રાંતેજમાં રાંતેજ–તીર્થમાં એક દેરીમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા, વીસનગરમાં શ્રાવક—પૌષધશાળા (ઉપાશ્રય)નું ખાતમુહૂર્ત તથા ઉદ્દઘાટન. વીસનગરમાં શ્રાવિકા ઉપાશ્રયનું ઉદ્ઘાટન, પૂણી તીર્થમાં ઉપાશ્રયનું ઉદ્ઘાટન, ઈડર તીર્થમાંજ્ઞાનમંદિર ખાતમુહૂર્ત. આબુ તળેટી તીર્થમાં-માનપુરમાં ૨૪ દેરીમાં ૧ દેરી, વડગામમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરજીના ધ્વજદંડનો લાભ, પાલનપુરમાં–આસો માસની નવપદજીની કાયમી ઓળી તથા પારણાં કરાવવાનું ચાલુ છે. તારંગામાં —નવીન ધર્મશાળા) શાહ ચંપાબહેન પ્રેમચંદ ઈશ્વરલાલ પામી ભવન, વડગામમાં–સેવંતીભાઈનાં લગ્ન પ્રસંગે ઝાંપા, ચૂંદડી (ગામ જમણ), શેઠ પ્રેમચંદ ઈશ્વરલાલ હાઇસ્કૂલ ભવન, દુષ્કાળમાં વડગામ મુકામે કેટલ કેમ્પ અને દર વર્ષે અનેક પાંજરાપોળમાં દાન. આ સિવાય દેરાસર, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ભોજનશાળા, આયંબિલશાળા, ધર્મશાળા, સાધર્મિક ભક્તિ, પાંજરાપોળ, અનુકંપા આદિ વિવિધ કાર્યોમાં સમયે સમયે યથા–યોગ્ય અનુદાનનો લાભ મેળવાય છે. દેવગુરુની ભક્તિ, સાધર્મિક ભક્તિ, જ્ઞાન, જીવદયા, અનુકંપામાં અનુદાન અને ધાર્મિક ક્ષેત્રોનો વહીવટ. એ તેમની ખાસ રુચિ છે. શુભ વિચારો ગ્રહણ કરવાનું, અશુભ વિચારો દૂર કરવાનું અને સમાધિમરણ મેળવવાનું મન છે. પ્રથમ ઉપધાન પછી બિયાસણાંથી ઓછું પચ્ચક્ખાણ કરેલ નથી. પાંચ તિથિ એકાસણાં અથવા તે ઉપરાંત કરેલ છે. બાર વ્રત અંગીકાર કર્યાં છે. શક્ય હોય ત્યાં સુધી ૨૫ વરસથી સવાર-સાંજ પ્રતિક્રમણ, સામાયિક, જિનપૂજા વગેરે વરસોથી કરેલ છે. ૧૫ વર્ષથી જિનેશ્વરની પૂજા કર્યા સિવાય પાણી પણ પીધું નથી. જિંદગીમાં કદી પણ હોટલનું પાણી કે ચા પીધી નથી અને જૈન ભોજનશાળા સિવાય કદી પણ લોજનું ખાધું નથી. ૧૦ વર્ષની ઉંમરથી તિવિહાર રાખેલ છે. તેમાં ફક્ત ૧૫ દિવસ લગભગ બિમારીના કારણે ભંગ કરેલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy