SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ દીનદુઃખી જનો પાછળ ખર્ચેલ. મહારાજા અશોકે વટેમાર્ગુઓ માટે અડધા અડધા ગાઉના અંતરે પાણીની પરબો ખોલેલી અને તેની અન્નશાળામાં ૬0000 બ્રાહ્મણો દરરોજ ભોજન લેતા. દોલતાબાદના કરોડપતિ શેઠ જગતસિંહે ૭૦૦ વસ્ત્રો, ૭00 સોનામહોરો, શ્રેષ્ઠ તાંબુલની સાથે સાધર્મિકોને આપેલ. પુત્ર સંપ્રતિએ કુલ સવા લાખ જિનમંદિરો બંધાવેલાં તથા છત્રીશહજાર જીર્ણોદ્ધાર કરાવેલાં. આમ રાજાએ ગોવર્ધન પર્વત ઉપર સાડાત્રણ કરોડ સોનામહોર ખર્ચીને જિનાલય બનાવ્યું હતું. તેના મૂળ મંડપમાં સવાલાખ સોનામહોર તથા રંગમંડપમાં ૨૧ લાખ સોનામહોર વાપરી હતી. પેથડમંત્રીએ સાત કરોડ સોનામહોર, વસ્તુપાલે અઢાર કરોડ સોનામહોર અને થરાદના આભૂ સંઘવીએ ત્રણ કરોડ સોનામહોર ખર્ચી શાસગ્રંથો લખાવ્યા હતા. * સારંગ શેઠ સુવર્ણટંકોની ઝોળી ભરીને ફરતા, રસ્તે ચાલતાં, દુકાનમાં કે કોઈપણ ઠેકાણે જે નવકાર મંત્ર બોલે તેને એક સુવર્ણટંક આપતા હતા. જગડુશાહે કુલ આઠ અબજ અને સાડાછ કરોડ મણ અનાજ દુષ્કાળમાં આપ્યું હતું. જ્યારે આ દાનવીર મૃત્યુ પામ્યા ત્યારે દિલ્હીના શાહે ભરસભામાં મુગટ ઉતાર્યો હતો, સિંધપતિએ બે દિવસ અન્નપાણીનો ત્યાગ કર્યો હતો અને રાજા અર્જુનદેવ ચોધાર રડ્યા હતા. * રાજા વિક્રમે એક કરોડ સોનામહોરથી આ. સિદ્ધસેન દિવાકરસૂરિજીનું ગુરુપૂજન કરેલું. ચોરાશી હજાર સોનામહોર વાપરીને તૈયાર કરાવેલો નવો મહેલ પૂ. વાદિદેવસૂરિજીના ઉપદેશથી શાન્તનૂ મંત્રીએ ઉપાશ્રય તરીકે જાહેર કર્યો હતો. પેથડમંત્રીનાં ધર્મપત્ની જિનમંદિરે જતી વખતે રોજ સવાશેર સુવર્ણનું દાન આપતાં હતાં ત્યારે યાચકોની ભીડ જામતી ચતુર્વિધ સંઘ ભગવતીસૂત્રનો મહામહોત્સવ કરેલ અને ‘ગોયમા’ શબ્દ પાછળ એક એક સુવર્ણમુદ્રાથી પૂજા કરેલ. ભીનમાલના સોમદેવ શ્રાવકે ગુરુભગવંતના પ્રવેશ વખતે સાચા મોતીની ગહુલી ઉપર ૫00 સોનામહોર મૂકેલ. કે આમ રાજાએ સવા કરોડ સોનામહોરથી બપ્પટ્ટસૂરિજીનું ગુરુપૂજન કર્યું હતું, અને તેની આચાર્યપદવીમાં એક કરોડ સોનામહોર ખર્ચી હતી. કે તેજપાલ સોનીએ આચાર્ય હીરસૂરિજીના ઉપદેશથી સં. ૧૯૫૦માં શત્રુજ્ય ઉપર ઘણાં જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વસ્તુપાલ મંત્રી દરરોજ ૫૦૦ મુનિઓની ભક્તિનો લાભ લેતા તદુપરાંત ૧000 યાચકોને ભોજન કરાવતા હતા. લંકેશ્વર રાવણને ત્યાં જૈન ગૃહમંદિર હતું, જેમાં નીલરત્નોની બનેલી ભગવાન મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા હતી, તેની રોજ ભક્તિ કરતો. રાજા રાવણે અષ્ટાપદ પર્વત ઉપર જિનની ભક્તિ કરતાં કરતાં તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. કે શ્રી હેમચન્દ્રાચાર્યની કુમારપાળ ૧૦૮ સુવર્ણકમળો દ્વારા નિત્ય પૂજા કરતા હતા. દયાના અવતાર ધનપાલ : એમના પિતાએ પુત્ર માટે ૩૬, હજાર ચરુ દાટી રાખ્યા હતા, પણ ધનપાલ કવિએ ગરીબોની આગળ બધા ચરૂઓ ખાલી કરી દીધા. વળી, ભોજરાજાએ ચાર લાખ સોનામહોર ભેટ આપી તે પણ ટોળે વળેલા ગરીબોને ભેટ આપી દીધી હતી. આચાર્ય તુલસીજી (તેરાપંથી)એ શત્રુંજયગિરિની પ્રશંસા કરી તેથી તેમના એક ભક્ત દાદાનાં ચરણમાં મહામૂલ્યવાન એક મણિની ભેટ ધરી, જે આજે પણ પેઢીમાં વિદ્યમાન છે. કે જ્યારે હેમચન્દ્રાચાર્યનો અગ્નિસંસ્કાર થયો ત્યારે હજારો લોકો એકત્રિત થયા અને રાખ લેવા માટે એટલી મોટી પડાપડી થઈ કે જ્યાંથી લોકો માટી ઉઠાવવા માંડ્યાં–ત્યાં મોટો ખાડો પડી ગયેલ, જેનું નામ હેમખાડ પડી ગયું. મુંબઈ-મલબાર હિલ ઉપર વાલકેશ્વરમાં આવેલું શ્રી આદિનાથપ્રભુનું ભવ્ય મંદિર બાબુ અમીચંદ પન્નાલાલે બંધાવેલ છે. જૈન, જૈનેતર અને વિદેશીઓ પણ ખાસ દર્શનાર્થે આવે છે. હતી. ભરૂચમાં મુનિસુવ્રતસ્વામી સન્મુખ આરતી-દીવો ઉતાર્યા પછી આપ્રદેવે ૩૨ લાખ દ્રવ્ય દીનદુઃખિયાઓને આપેલું. * મથુરાનગરીમાં પધાશાહે સવાલાખ સોનૈયા ખર્ચીને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy