SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા પ્રતિમાજી માટે સવાલાખની આંગી અર્પણ કરેલ. * પદ્મ નામના ચક્રવર્તી પોતાની માતાની ઇચ્છા પૂર્ણ કરવા દરરોજ એક જિનાલયનું નિર્માણ કરતા. પાટણના સિધાવા નામના શરાફે સં. ૧૪૨૮માં આઠ જૈનમંદિરો બંધાવેલાં. * * * સંઘવી દયાલશાહે ૧ કરોડ રૂપિયા ખર્ચીને નવ માળનું જિનાલય બનાવેલ જે હાલ દયાલશા કિલ્લા નામે પ્રસિદ્ધ છે. * દોશી રત્નાશાહે ચિત્તોડના કિલ્લામાં ભવ્ય જિનાલય બનાવેલ. * હેમચન્દ્રસૂરિજીના ઉપદેશથી મંત્રી આંબડે ઉદાવસહિમાં ૨૪ દેરીઓ બંધાવી અને ઉદયનવિહાર નામ આપ્યું. ધોળકાના શેઠ ધવળના પુત્રે તથા શેઠ વૈરસિંહે તે જિનાલય ઉપર સોનાના કળશો ચડાવેલ. ★ ★ થરાદના આભૂ સંઘવીએ ૧૫૧૦ નવી પ્રતિમાઓ ભરાવેલ તથા સાડાત્રણ કરોડ સોનારૂપાનાં ફૂલો વડે શત્રુંજય તીર્થને વધાવેલ. * મંત્રી આંબડે ભરૂચના શકુનિકાવિહારમાં બે કરોડ દ્રવ્ય ખર્ચી જીર્ણોદ્ધાર કરાવેલ. ★ આભડ વસાહે ત્રણ લાખ સોનામહોર સુધીનું પરિગ્રહ પરિમાણવ્રત લીધેલ. દ્રવ્ય વધી જતાં ૨૪ ભગવાનનાં ૨૪ જિનાલયો અને ૮૪ પૌષધશાળા બંધાવેલ તથા સાતેય ક્ષેત્રમાં ૯૦ લાખ સોનામહોર વાપરેલ. શ્રેણિક મહારાજા દરરોજ મહાવીરપ્રભુ જે દિશામાં વિચરે તે દિશામાં સાત આઠ ડગલાં આગળ જઈ ૧૦૮ સોનાના જવથી સ્વસ્તિક કરતા. * જ્યારે આબુ ઉપર જિનાલયો બંધાતાં તે વખતે કારીગરો ધીરે ધીરે કામ કરતા ત્યારે અનુપમાદેવીએ કહ્યું કે આરસ ઘડતાં જેટલો ભૂકો પડશે તેની ભારોભાર સોનું આપવામાં આવશે. * કુંડકોલી નગરના સોમદેવ રાજાએ ૫૦૦ સોનાનાં અને ૧૭૦૦ લાકડાનાં જિનાલયો બંધાવેલાં અને કરોડો મનુષ્યો સાથે શત્રુંજય ઉપર આદિનાથની સ્તુતિ કરેલ. બાહડ મંત્રીએ ૬૩ લાખ સોનોમહોર ખર્ચીને ગિરનારજી તીર્થનાં પગથિયાં બંધાવી રસ્તો સુગમ બનાવ્યો અને શત્રુંજયનાં જિનાલયો માટે ૨૪ ગામ અને ૨૪ બગીચા ભેટ આપેલાં. Jain Education International For Private ⭑ * જ્યારે વસ્તુપાલમંત્રી સંઘ લઈ ગિરનાર જાય છે તે વખતે અનુપમાદેવી ભાવવિભોર બનતાં પોતાના ગળામાં રહેલા ૩૨ લાખના દાગીના પ્રભુને વહોરાવી છે. પછી એક કરોડ પુષ્પો વડે પૂજા કરે છે. ગિરનારથી શત્રુંજય જતાં લલિતાદેવીએ ૩૨ લાખના દાગીના આદિનાથને પહેરાવી દીધા. * દાનવીર જગડુશાહે ૧૦૮ જિનાલયો બંધાવ્યાં, શત્રુંજયના ત્રણ સંઘ કાઢ્યા, ભદ્રેશ્વરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. * ધર્મનંદન રાજાએ શત્રુંજય ઉપર યક્ષે આપેલી રસકૂપિકાથી કોટિભાર પ્રમાણ સોનું બનાવી ૧૦ ભારપ્રમાણ સોનાનાં ૧૦૦ જિનબિંબો, ચાંદીનાં એક લાખ જિનબિંબો, પિત્તળનાં નવ લાખ જિનબિંબો અને પાષાણનાં ૯૦ લાખ જિનબિંબો ભરાવીને શાસનપ્રભાવના કરી. * માંડવગઢનો જાવડશાહ જે ‘લઘુશાલિભદ્ર' કહેવાતો તેણે પાંચ જિનાલયો બંધાવ્યાં, તેમાં ૧૧ શેર સોનાની, ૨૨ શેર ચાંદીની એમ બે પ્રતિમા બનાવેલ. પ્રતિષ્ઠામાં ૧૧ લાખ દ્રવ્યનો ખર્ચ કરેલ. * ૧ રાજિયા વાજિયા શેઠ ગંધારથી ખંભાત આવીને વસ્યા. વ્યાપારમાં ધનસંપન્ન થવાથી ખંભાતમાં ૧૨ થાંભલાવાળું, છ દરવાજાવાળું ભવ્ય જિનાલય બનાવ્યું. આ શેઠે ખંભાતમાં આવીને એક જ વર્ષમાં ૨૩ લાખ રૂપિયા ખર્ચીને ઘણાને સહાય કરેલી. તેથી કહેવાય છે કે “ગંધારના રાજિયા વાજિયા, ખંભાત બંદરે ગાજીયા.” ⭑ * કૃષ્ણમહારાજાએ ગિરનારજી ઉપર સોનારૂપા અને મણિનાં મંદિરો બંધાવેલાં. * દશાર્ણભદ્ર રાજાએ ‘વીર પ્રભુ પધાર્યા' એવી વધામણી આપનાર વ્યક્તિને સાડાબાર લાખ ચાંદીના દ્રમક અને પોતાનાં અંગ ઉપરનાં બધાં જ આભૂષણો ભેટ આપેલ. વઢવાણના રત્નાશેઠે વસ્તુપાલના સંઘના ૭ લાખ માણસોની સંઘપૂજા અને સાધર્મિકભક્તિ કરેલ તથા સંઘવીને દક્ષિણાવર્ત શંખ અર્પણ કરેલ. ★ ★ ગંધારના ઇન્દ્રજી પોરવાલે હીરસૂરિજીના ઉપદેશથી ૩૬ જિનાલયો બંધાવેલાં. સંપ્રતિ મહારાજાએ ભરતક્ષેત્રના ત્રણે ખંડમાં, દરેક ગામમાં સાધર્મિક વાત્સલ્ય કરેલ, અને ૭૦૦ દાનશાળા ખોલેલ. ગોવિંદચંદ્ર રાજાના પુત્ર જયન્તચંદ્રે ૧૮ લાખ સોનામહોર Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy