SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ ooo ચતુર્વિધ સંઘ જિનાલયોના જીર્ણોદ્ધાર અને નિમણમાં શ્રાવકોનું વિશિષ્ઠ યોગદાન સંકલનકાર : પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજ અત્યંત સંક્ષેપમાં, અલ્પ શબ્દો દ્વારા ઘણી મોટી અને મહત્ત્વની વાતને પ્રસ્તુત કરવી અને લોકમાનસ પર ટકોરાની જેમ રણકાર કરતી આ લેખમાળાની પદ્ધતિ અને શેલી ખરેખર પ્રશસ્ય છે. શ્રાવકના જિનમંદિર ક્ષેત્રના યોગદાનકર્તા અનેક પાત્રોનાં ચિતાર માનસપટ પર અંકિત કરી દે છે. વર્તમાનકાળમાં જે રીતે બોલાતા-લખાતા “રેકર્ડરૂપ” અને “અભૂતપૂર્વ” બન્ને શબ્દો સામે આ લેખમાળા રેડ સિગ્નલ દેખાડે છે કે સબુર : તમારા કાર્યોનો ગર્વ અનુભવતા પહેલા તમારા પૂર્વજો પરત્વે એક લાંબી દૃષ્ટિ જરૂર કરી લ્યો....તમારૂ મસ્તક આપોઆપ ઝૂકી જશે આ મહાન શ્રાવકોના ચરણમાં. આ લેખમાળાનું સંકલન કરનાર પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજશ્રીને સંદર્ભ સાહિત્યમાં ઘણી જ દિલચસ્પી જણાય છે. મઘર દેશમાં આવેલ જાલોર જિલ્લામાં માલવાડા ગામ જે નગરમાં આજ સુધીમાં ચાલીશથી વધારે દીક્ષાઓ થઈ છે. આ પવિત્ર ભૂમિ માલવાડાના વતની પ. પૂ. આ. શ્રી રત્નશેખરસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. આ.શ્રી રત્નાકરસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજશ્રીને જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં અને શ્રુતસાહિત્યના પ્રચાર-પ્રસારમાં ભારે રસ લાગ્યો છે-માલવાડાના વતની, સંસારી નામ ઘનપાલભાઈ, સંસારી પિતા ઉત્તમચંદજી અને સંસારી માતા રંગુબહેન, સં. ૨૦૩૭ના મહા સુદ ૬ના દીક્ષા લીધી. સંસ્કૃત-પ્રાકૃત હસ્તપ્રતોની જાળવણી તેમજ અવનવાં પ્રકાશનો પ્રગટ કરવાની તેમની દિલચસ્પી ખરેખર દાદ માગી લે છે. તેમનાં પ્રકાશનોમાં “રત્નસંચય” ભાગ-૧-૨ તથા “સાગરમાં મીઠી વીરડી' (પ્રાચીન સજઝાય), પાર્શ્વનાથ ચરિત્ર' (ગદ્યમાં) અને વિવિધ તીર્થકલ્પનું ગુજરાતી ભાષાંતર ભારે લોકાદર પામ્યાં છે. નવું નવું સંશોધન-સંપાદનનું તેમનું કાર્ય ચાલુ જ છે. ધર્મકાર્યોમાં શ્રાવકોનું યોગદાન ઉપર સુંદર માહિતી સંકલન કરીને આપણી સમક્ષ રજૂ કરી છે. આપણાં ઉપર મહાન ઉપકાર કર્યો છે. – સંપાદક કે પાટણમાં કુબેરદત્ત નામે દરિયાઈ વ્યાપારી હતો, તેના ઘરે રત્નજડિત જિનાલય હતું, જેનું ભોંયતળિયું રત્નોથી જડેલું હતું અને ચંદ્રકાન્ત મણિની જિનપ્રતિમા હતી. કે એક સમયે ચંદ્રાવતી નગરીના ૩૬૦ કરોડપતિઓ વારાફરતી આબુજી ઉપર જિનાલયોમાં ઠાઠમાઠથી પૂજા ભણાવતા. * વંથલીના નગરશેઠ ભીમા સાથરિયાએ ગિરનાર પર શ્રી નેમનાથ ભગવાનને મહા કિંમતી ઝવેરાતનો હાર પહેરાવેલો અને ગિરનારના જીર્ણોદ્ધાર માટે ૭૨ લાખ દ્રવ્ય આપવાનું વચન આપેલ. + આચાર્ય ધર્મઘોષસૂરિજીનો ઉપદેશ સાંભળી હરિફેણ ચક્રીએ પોતાના ધનભંડારમાંથી દરેક ગામે જિનાલયો બંધાવા આજ્ઞા કરી, ઠાઠથી પ્રતિષ્ઠા કરાવી અને અંતે તેઓ રાજ્ય છોડી, સંયમ લઈ કેવળી બની મોક્ષે ગયેલ. મહાપા નામના નવમાં ચક્રવર્તીએ ભરતક્ષેત્રમાં કરોડો જિનાલયો બનાવેલાં તથા ૩૨000 રાજાઓને જૈન બનાવ્યા. કે મહારાણા સર ફતેસિંહરાવે શ્રી કેસરિયાજી તીર્થના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy