SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ માતૃહૃદયા–મહા તપસ્વી-ત્યાગી પૂ. સાધ્વીવર્યાશ્રી સર્વોદયાશ્રીજી મ. પરમ પૂજ્ય દાદા ગુરુદેવશ્રી લબ્ધિસૂરિજી મહારાજના વરદ્ હસ્તે વિ. સં. ૨૦૦૭માં ઝઘડિયા તીર્થમાં દીક્ષા ગ્રહી, પૂ. શ્રી સર્વોદયાશ્રીજી મહારાજે પોતાની સંયમયાત્રાનો પ્રારંભ કર્યો. એમનું સંસારી નામ શાંતાબહેન. માતા ભૂરીબહેન અને પિતા સમજુભાઈનાં પુત્રી શાંતાબહેનનું લગ્ન જેઠાભાઈ ઝવેરીના સુપુત્ર તિભાઈ સાથે થયું હતું. સાસુ ચંદનબહેનના ધર્મસંસ્કારથી અને શ્રી પૂજ્યોના વ્યાખ્યાન-શ્રવણે વૈરાગી બનેલાં શાંતાબહેને ૩૬ વર્ષની યુવાવસ્થામાં પોતાનું અને પોતાનાં સંતાનોનું જીવન ગુરુચરણે ધરી દીધું. આજે પણ તેમની રત્નત્રયી જેવી ત્રણ પુત્રીઓ-પૂ. સા. શ્રી રત્નચૂલાશ્રીજી, પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી (પૂ. બહેન મહારાજ સા.), પૂ. સા. શ્રી શુભોદયાશ્રીજી સુંદર ધર્મ-આરાધના કરી રહ્યાં છે. પૂ. સાધ્વીવર્યા શ્રી સર્વોદયાશ્રીજી મહારાજનો જીવનમંત્ર એક જ હતો, ‘ગુર્વાશા આરાધન.' ગુર્વાશાને સદાય શિરસાવંધ બનાવવી, વિનય–વિવેક અને વૈયાવૃત્ય દ્વારા નિર્મળ સંયમનું સુંદર પાલન એ જ કર્તવ્ય બની રહેવું જોઈએ. સહજસ્વભાવી કાર્યદક્ષતા અને લઘુલાઘવી ક્રિયાકલા દ્વારા અપૂર્વ ભક્તિ-સેવાવૈયાવૃત્યનો તેઓશ્રીને અપૂર્વ લાભ મળેલ હતો. કોઈ પણ વ્યક્તિને ધર્મમાર્ગે જોડવાની તેમની હૈયાઉકલત હતી. આને લીધે એક વાર આવેલ વ્યક્તિ ફરી વાર તેમનાં દર્શને આવે જ. નાનાં નાનાં બાળસાધ્વીજીઓ અને વયોવૃદ્ધ સાધુભગવંતો પર એમનો એટલો નિર્મળ પ્રેમ વહેતો કે ‘મા'ની મમતાનો અનુભવ થાય. તેથી જ પૂજ્યશ્રી સાધ્વી સર્વોદયાશ્રીજી કરતાં પણ જૈન જગતમાં ‘મા મહારાજ'ને નામે જ ઓળખાતાં હતાં. તેઓશ્રીનાં શિષ્યાઓમાં સાધ્વીશ્રી નયપદ્માશ્રીજી, શ્રી શુભાંશુયશાશ્રીજી, શ્રી સુધાંશુયશાશ્રીજી, શ્રી શીતાંશુયશાશ્રીજી, શ્રી કુલયશાશ્રીજી આદિ અને પ્રશિષ્યાઓમાં શ્રી દીપયશાશ્રીજી, શ્રી તારકયયશાશ્રીજી, શ્રી અક્ષયયશાશ્રીજી, શ્રી વિજ્ઞપ્તિયશાશ્રીજી, શ્રી મોક્ષયશાશ્રીજી, શ્રી તત્ત્વયશાશ્રીજી, શ્રી નમ્રયશાશ્રીજી, શ્રી કુંજનયશાશ્રીજી આદિનો વિશાળ પરિવાર છે. પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજ તો તેઓશ્રીની ભક્તિ અને શાસનપ્રેમ નિહાળી ગદ્ગદ્ બની જતા અને તેમના પર વણમાગ્યા આશીર્વાદ વર્ષાવતા. મા મહારાજના મુખમાંથી પણ સદાય એક જ બોલ નીકળે, “મારી કાંઈ શક્તિ નથી, જે છે તે ગુરુકૃપા છે.'' Jain Education International ચતુર્વિધ સંઘ મા મહારાજ સદાય પ્રવૃત્ત અને કાર્યરત જોવાં મળતાં. આ જોઈ ભક્તગણ નવાઈ પામે અને કોઈ કોઈ પૂછે પણ ખરો કે, “મા મહારાજ, આખો દિવસ આપ કંઈક ને કંઈ કરતાં જ હો છો. શું આપને થાક નથી લાગતો?’’ ૭૭ વર્ષની ઉંમરે પણ એક યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ તરવરતી જોઈ કોઈ પૂછે, “મા મહારાજ! આટલો મોટો પરિવાર તો પણ આપ બધું કાર્ય કરો?’” મા મહારાજનો એક જ જવાબ, “હું કામ કરું, તો મારી કર્મનિર્જરા થાય. હું કરું તો મને લાભ મળે.' ત્યાગ તો તેમના જીવનનો મુખ્ય મંત્ર. વર્ષોથી મેવા-મીઠાઈ-ફૂટની બાધા. ગોચરીની માંડલીમાંથી હંમેશાં પહેલાં સૌ સાધ્વી મહારાજની ગોચરી કાઢી આપ્યા પછી પોતે વાપરે. તપ ઉપર અપૂર્વ પ્રેમ. ૭૫ વર્ષની ઉંમરે ત્રીજુ વર્ષીતપ કર્યું. તેમનાં આ તપ-ત્યાગના સંસ્કારો સાધ્વીગણે ઝીલ્યા છે. તેઓશ્રીના અપાર વાત્સલ્ય અને ભક્તિથી પ્રેરિત સાધ્વીજી ગીતપદ્માજીએ જીવનમાં ૨૬ માસક્ષમણ કર્યાં અને સાધ્વીજી દીપયશાશ્રીજીએ ૨૪ માસક્ષમણ કર્યાં. તેમના સમસ્ત સાધ્વીસમુદાયનાં માસક્ષમણનો સરવાળો કરીએ તો ૧૦૮ ઉપર જવા જાય. તેઓજીએ પણ પોતાના જીવનમાં ૨૧ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ચત્તરિ અટ્ટ દસ દોય તપ–અઠ્ઠાઈ– ૪ વર્ષીતપ, નવપદની ઓળી, વર્ધમાન તપની આયંબિલ ઓળી કરેલ છે. પ્રતિવર્ષ તેમની બે-ત્રણ અઠ્ઠમની આરાધના અવશ્ય હોય જ. વર્ષો સુધી જ્ઞાનપંચમીની આરાધના કરેલ. પૂજ્યશ્રીની જૈફ ઉંમરે તપમાં અપૂર્વ અપ્રમત્ત ભાવ જોવા મળતો. જેમ તેમનાં જીવનમાં તપ-ત્યાગ જોવા મળે તેમ, તેમની નીડરતા પણ અપૂર્વ કોટિની હતી. વિહારમાં પોતાનો સંથારો દરવાજા પાસે જ રાખે. કોઈ અજાણ્યું માણસ આવે તો તરત જ પારખી લે. ગમે તેવા પ્રસંગોને હિંમતથી અને નીડરતાથી પતાવે. બંગાળ પ્રદેશમાં વિહાર કરતાં હતાં, ત્યારે એક રાત્રે ડાકુઓ ચડી આવ્યા, પણ પોતાના નિર્મળ ચારિત્રના પ્રભાવે ડાકુઓને પોબારા ગણાવ્યા હતા. પૂજ્યશ્રીની અનુશાસનની લાક્ષણિકતા હતી—‘એક આંખમાં પ્રીતિ, બીજી આંખમાં ભીતિ.' શ્રીફળ બહારથી કડક હોય, પણ અંદરના કોપરાને અને મીઠા પાણીને સુરક્ષા મળે, તેમ તેમનું કડક અનુશાસન સંયમ-ત્યાગ-મોક્ષમાર્ગની સીધી સડક હતી. શ્રી લબ્ધિ-વિક્રમ-રાજયશ ગુરુવર નિશ્રાવર્તી અમારા સૌનાં પરમોપકારી પૂ. સાધ્વીવર્યા સર્વોદયાશ્રીજી મ. સા. (પૂ. મા. મ. સા.) મેરુત્રયોદશીના આદીશ્વર પ્રભુના નિર્વાણ કલ્યાણક દિને તા. ૮-૨-૯૪ મંગળવારના રાત્રે ૯-૩૦ મિનિટે અત્યંત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy