SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૪ મુખવાળા એવો થાય છે. નામ પ્રમાણે તપના તેજથી તેમની મુખાકૃતિ દેદીપ્યમાન છે. (પૂ. સા. શ્રી સુવઇનાશ્રીજી મ.સા.) ૫.પૂ. આ.ભ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયનાં બે સાધ્વીજી ભગવંતોએ પણ સળંગ ૨૦-૨૦ ઉપવાસથી વીશસ્થાનક તપની આરાધના કરેલ છે. તેમણે સહુથી વધુ માસક્ષમણ પણ કરેલ છે. ૧૧ અંગસુત્રોને કંઠસ્થ કરનાર વિદુષી સાધ્વીજી પૂ. સા. શ્રી રત્નસૂલાશ્રીજી મ.સા. સંસારથી વિરકત બનેલ પોતાનાં માતુશ્રીના સુસંસ્કારોથી ગોળી બાલ્યવયમાં જ રાજીમતીએ વર્ધમાન તપનો પાયો નાખ્યો અને ત્યારબાદ માત્ર ૧૪ વર્ષની વયે વિ.સં. ૨૦૦૬માં કવિકુલકિરીટ આચાર્ય ભગવંતશ્રીના સમુદાયમાં પોતાની નાની બહેન વસુ સાથે દીક્ષા અંગીકાર કરી. બાલ્યાવસ્થાથી જ તેમનામાં અભ્યાસની લગન હતી અને રોજની 100 ગાથા કંઠસ્થ કરી શકે તેવી તીવ્ર યાદશકિત હતી! વડી દીક્ષાના યોગો દ્વહન વખતે જે દિવસે જે અધ્યયનની અનુજ્ઞા મળે તે દિવસે તે અધ્યયન આખું કંઠસ્થ કરી લે! માત્ર કંઠસ્થ કરી લે એટલું જ નહીં પરંતુ નિયમિત સ્વાધ્યાયના કારણે ગોખેલું પછી પણ હંમેશાં મોઢે હોય! જોતજોતામાં તેમણે ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રંથ, ક્ષેત્રસમાસ, બૃહસંગ્રહણી, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર, જ્ઞાનસાર, તત્ત્વાર્થસૂત્ર, વીતરાગ સ્તોત્ર, અભિધાન ચિંતામણિ કોશ વગેરે નવકારની જેમ કંઠસ્થ કરી લીધા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં તો તેમના જેવા વિદુષી સાધ્વીજી શ્રવણીસંઘમાં ગણ્યા ગાઠયા જ હશે! દશવૈકાલિકની ટીકા', “ઉત્તરાધ્યયનસૂત્ર'ની ટીકા, “પિંડ નિયુકિત', “ઓઘ નિયુકિત', “૧૦ પન્ના,’ ‘ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર' જેવા અનેક ગ્રંથો તેમણે વાંચ્યા છે અને વંચાવ્યા છે. | ‘વિજયપ્રશસ્તિ,’ ‘હીર સૌભાગ્ય,' “મેઘદૂત,' “અભિજ્ઞાન શાંકુતલ,’ ‘શાંતિનાથ મહાકાવ્ય' આદિ અનેક મહાકાવ્યો તેમજ સંસ્કૃત દ્વયાશ્રય, પ્રાકૃત દ્વયાશ્રય જેવા કઠિન ગ્રંથોનો અભ્યાસ વર્તમાનમાં પણ ખૂબ સરળતાથી કરાવે છે!.. - તેઓશ્રીની આવી અપૂર્વ સ્વાધ્યાયમગ્નતા અને અપર્વ ગ્રહણશકિત જોઈને તીર્થપ્રભાવક આચાર્ય ભગવંતશ્રીએ તેમને ચતુર્વિધ સંઘ ૧૧ અંગસૂત્રો કંઠસ્થ કરવા પ્રેરણા કરી. એ પ્રેરણાને ઝીલી લઈને તેમણે “આચારાંગ’–‘સૂયગડાંગ’–‘ઠાણાંગ’–‘સમવાયાંગ'ભગવતી–“જ્ઞાતાધર્મકથા-‘ઉપાશક દશાંગ'-‘અંતકૃત્ દશાંગ'“અનુત્તરોપપાતિક દશાંગ’–પ્રશ્ન વ્યાકરણ તથા વિપાક સૂત્ર એ નામનાં ૧૧ અંગસૂત્રો કંઠસ્થ કરી લીધાં! તેમાં આખું ‘ભગવતી સૂત્ર’ એકાસણાના તપ પૂર્વક કંઠસ્થ કરેલ. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં છંદોબદ્ધ કાવ્યરચના પણ તેઓ કરી શકે છે. “વિક્રમ ભકતામર’ની તેમની રચના ખૂબ જ સુંદર અને વિદ્વભોગ્ય બની છે. જ્ઞાનાભ્યાસ ઉપરાંત ભકિત, વૈયાવચ્ચ, ગુરુ આજ્ઞાપાલન, સહનશીલતા, ન ભાવતાંને નિભાવવાની સુંદર કળા, વગેરે અનેક સદ્ગણોના કારણે તેમણે વિશિષ્ટ ગુરુકૃપા અને સહવર્તી સહુની સારી ચાહના પ્રાપ્ત કરી છે. અનેક શિષ્યા-પ્રશિષ્યાઓના પરિવારથી પરિવરેલાં તેઓશ્રી સ્વોપકાર સાથે વિશિષ્ટ પરોપકાર અને સુંદર શાસન પ્રભાવના કરી રહ્યાં છે. વિદુષી સાધ્વીજી “બહેન મહારાજ’ પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી મ.સા. ઉપરોકત સાધ્વીજીની સાથે ૧૦ વર્ષની ઉંમરે દીક્ષિત થયેલ તેમનાં નાનાં “બહેન મહારાજે પણ પોતાની અપૂર્વ ગ્રહણશકિત દ્વારા પ્રકરણ, ભાષ્ય”, “કર્મગ્રંથ', “કમ્મપયડી', પંચસંગ્રહ', સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, ન્યાય, કાવ્ય, જ્યોતિષ આદિ અનેક વિષયોમાં પ્રભુત્વ મેળવ્યું છે. તેમની અધ્યાપન કળા પણ અવ્વલકોટિની છે. તેમની વકતૃત્વ શકિત અદ્ભુત છે. વસ્તૃત્વ કરતાં પણ અધિક શકિત તેમની લેખિનીમાં છે. “શ્રીદશવૈકાલિક ચિંતનિકા', શ્રી ઉત્તરાધ્યયન ચિંતનિકા', “શ્રી આચારાંગ ચિંતનિકા', “પાથેય કોઈનું–શ્રેય સર્વનું' વગેરે પુસ્તકોમાં તેમની કલમે જે ગહનચિંતન મનન વહેવડાવ્યું છે તે ખરેખર અદ્ભુત છે. સ્થાનકવાસી સાધ્વીજીઓ જો તેઓ નજીકના ક્ષેત્રમાં હોય તો અવશ્ય તેમનાં દર્શન કરી, વારંવાર તેમના શ્રીમુખે કંઈક ચિંતનધારા ઝીલવા આતુર હૃદયે ઉપસ્થિત થાય જ. અધ્યયન-અધ્યાપન-વકતૃત્વ તેમજ લેખન, ઉપરાંત તેમનામાં આયોજનશકિત પણ ખૂબ જ વિશિષ્ટ પ્રકારની છે. છ'રીપાલક પદયાત્રા સંઘ હોય કે જિનભકિત મહોત્સવ હોય. ઉપધાન તપ હોય કે મહિલા શિબિર હોય. સામૂહિક તપ હોય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy