SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૧ તવારીખની તેજછાયા મુદ્રાવાળી ભગવંત વિચરતા હતા ત્યારે જ પ્રતિમા બનાવીને વસ્ત્રાલંકારથી વિભૂષિત કરીને પેટીમાં સુરક્ષિત રાખીને આ પેટી સમુદ્રમાર્ગે જતા નાવિકને આપીને કહ્યું કે, “હે ભદ્ર! તારું કલ્યાણ થશે. તું આ પેટી સૌવીર દેશના વીતભયનગરના ચોકમાં મૂકી દેજે અને જે આ પેટી ઉઘાડશે તે ભાગ્યશાળી ગણાશે અને સર્વ રીતે સુખ ને કલ્યાણને પામશે.” વીતભયનગરના ચોકમાં મુકાયેલી આ પેટી ઘણા પ્રયત્નો કરવા છતાં ખૂલતી ન હતી. રાજા ચિંતાતુર બનીને ભોજન કરતો હતો ત્યારે રાણી પ્રભાવતીએ ચિંતાનું કારણ પૂછ્યું. કારણ જાણીને રાણીએ પેટી ખોલવા માટેની તૈયારી દર્શાવી. જનસમૂહની વચ્ચે રાણી પ્રભાવતીએ જઈને પેટી પર જળ-દૂધથી અભિષેક કર્યો. ધૂપ-દીપ-અક્ષત વગેરેથી પૂજા કરી. પછી અરિહંત ભગવાનનું સ્મરણ કરીને બોલી; “હે દેવાધિદેવ! અરિહંત ભગવાન! મને દર્શન આપો.” અને પેટી ખૂલી ગઈ! લોકોમાં જૈન ધર્મનો પ્રભાવ વધ્યો. રાજાએ જિનમંદિર બનાવીને પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. નગરજનો પ્રતિમાની હંમેશાં પૂજા કરવા લાગ્યાં. પ્રભાવતીના જીવનનો એક બીજો પ્રસંગ પણ અત્રે ઉલ્લેખનીય છે. એક વખત પ્રભાવતી પ્રભુભક્તિ કરતી હતી ત્યારે રાજાએ તેનું મસ્તક ન જોયું, માત્ર ધડ જોયું. રાજા ચિંતાતુર બની જતાં વીણાવાદનમાં ભંગ પડ્યો. રાણીના આગ્રહથી રાજાએ પૂર્વવૃત્તાંત સંભળાવ્યો પણ રાણી મૃત્યુની આ આશંકાથી ચિંતિત કે વ્યથિત ન બની. એક વખત રાણી પ્રભાવતીએ પૂજાવિધિના ઉપયોગ માટે દાસી પાસે શુદ્ધ વસ્ત્ર મંગાવ્યાં. આ વસ્ત્રો પર લોહીના ડાઘ જોઇને આક્રોશથી દાસી પર પ્રહાર કર્યો. આ પ્રહારથી દાસીનું મરણ થયું. રાણીએ એ જ વસ્ત્ર પુનઃ જોતાં તે સફેદ દેખાયાં. રાણીને ઘણો પશ્ચાત્તાપ થયો. પંચેન્દ્રિય જીવની હત્યાથી અત્યંત વિવશ બની ગઈ. તેણીએ વિચાર્યું કે, હવે મારું આયુષ્ય અલ્પ છે, એટલે રાજાની આજ્ઞા લઈને દીક્ષા અંગીકાર કરીશ. રાજાએ પ્રભાવતીને દીક્ષાની સંમતિ આપી કહ્યું કે, “તું દેવલોકમાં જાય તો મને યાદ કરીને પ્રતિબોધ કરજે.” - પ્રભાવતીએ ઉત્કૃષ્ટ તપ કરીને સંયમની અપૂર્વ આરાધના કરી. અંતે અનશન કરીને દેવગતિ પ્રાપ્ત કરી. પ્રભાવતી સતીઓમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે, તેનું કારણ નિષ્ઠાપૂર્વકની અરિહંત પરમાત્માની ભક્તિ કે જેમાં સમર્પણભાવના હતી. તેમ જ જૈન ધર્મપ્રત્યેની અવિચળ શ્રદ્ધાને કારણે વીતભયનગરના રાજા અને નગરજનોને તેમણે જૈન ધર્મના અનુયાયી બનાવ્યા હતા. પ્રભાવતીએ જૈન ધર્મની આરાધના કરીને જિન શાસનની સુંદર પ્રભાવના કરી એટલે પ્રાતઃસ્મરણીય સતીઓની યાદીમાં સ્થાન પામી છે. ચલણા : ચેટક રાજાની પુત્રી અને મહારાજા શ્રેણિકની રાણી. ચેલણા સતીએ શ્રેણિકની જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધારીને તેમાં દિનપ્રતિદિન વધુ આરાધનામય બને તે માટેનું પુણ્યકાર્ય કર્યું હતું. રાજા-રાણી હર્ષોલ્લાસથી સમય વ્યતીત કરી રહ્યાં હતાં. સમય જતાં ચેલણાના ગર્ભમાં પૂર્વભવનો શ્રેણિકનો વિરોધી જીવ ઉત્પન્ન થયો. એનું નામ કુણિક પાડવામાં આવ્યું. તદુપરાંત હલ અને વિહલ નામના બે પુત્રોનો પણ જન્મ થયો. રાજાને વિચાર આવ્યો કે ચેલણા માટે એક મહેલ બનાવું. પછી રાજાએ એક સ્તંભવાળો મહેલ બનાવ્યો. આ મહેલ બનાવવા માટે અભયકુમારે વનમાં સર્વલક્ષણયુક્ત વૃક્ષના અધિષ્ઠાયક દેવની કૃપા પ્રાપ્ત કરી હતી. વનમાં આ જગ્યા નંદનવન સમાન બની ગઈ. બેનમૂન સુંદર વૃક્ષો અને વનરાજિથી પ્રફુલ્લિત વાતાવરણવાળા મહેલમાં રાણી ચેલણા પુષ્પમાળા ગૂંથતી ને સર્વજ્ઞ ભગવાનની હૃદયની શુભભાવનાથી ભક્તિ કરતી હતી. એક વાર રાજા-રાણી મહાવીર ભગવંતની દેશના સાંભળવા ગયાં. પ્રભુવાણીનું શ્રવણ કર્યા પછી પાછાં વળતાં રસ્તામાં ખભા પરનાં વસ્ત્રરહિત શીત પરિષહ સહન કરતા મુનિ મહારાજ જોયા. ચેલણાએ રથમાંથી નીચે ઊતરીને વંદન કર્યું અને મુનિરાજ શીતપરિષહ સહન કરે છે એ વિચારમાં લીન બની ગઈ. શ્રેણિક રાજાને ચેલણા રાણીના શીલ પર શંકા થઈ. અનેક તર્ક-વિતર્ક કરતાં રાત વીત્યા પછી વહેલી સવારે રાજાએ અભયકુમારને આવેશમાં આવીને હુકમ કર્યો કે, “મારા અંતઃપુરમાં દુરાચાર ફેલાઈ ગયો છે માટે ત્યાં આગ લગાડી ઘો.” અભયકુમારે પોતાની બુદ્ધિથી નિર્ણય કરીને જીર્ણ હસ્તિશાળાને સળગાવી દીધી અને રાજાને સંદેશો મોકલ્યો કે આપનું અંતઃપુર સળગાવી દીધું છે. - શ્રેણિક રાજા ભગવાન મહાવીરની દેશના સાંભળવા ગયા. દેશના પૂર્ણ થતાં પ્રભુને વંદન કરી વિનમ્રભાવે પૂછ્યું કે, “ચલણા પતિવ્રતા છે કે નહિ?” ભગવંતે પ્રત્યુત્તર આપ્યો, “રાજન, તારી રાણી પતિવ્રતા છે, મહાસતી છે. તે શીલરૂપી અલંકારથી વિભૂષિત છે.” રાજાએ ત્યારબાદ સત્ય વૃત્તાંત જાણી અભયકુમારની બુદ્ધિની પ્રશંસા કરી. રાજાના મનની શંકા પણ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy