SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ શ્રમણી સંઘની રૂપરેખા [એક વિહંગાવલોકન] —ડૉ. કવિન શાહ–બીલીમોરા શાસનમાં શ્રમણીરત્નો સંબંધે આ ગ્રંથમાં ઐતિહાસિક વિગતો રજૂ કરતી પ્રા. શ્રી કવિનભાઈ શાહની આ લેખમાળા જિનશાસનની અનન્ય પ્રેરણાદાયી જ્ઞાન, ભક્તિ અને યોગના ત્રિવેણીના સંગમમાં અમૃતાસ્વાદ કરવાની જિનશાસનના રસિકો માટે આ એક અણમોલ ક્ષણ પ્રાપ્ત થઈ છે. ચતુર્વિધ સંઘ શ્રી ચતુર્વિધ સંઘમાં ‘શ્રમણ’નો પ્રથમ ક્રમ આવે છે અને ‘શ્રમણી’નો દ્વિતીય ક્રમ આવે છે. શ્રમણી સંસ્થા વિષેનું વિહંગાવલોકન આ ગ્રંથના માધ્યમે પૂર્તિ કરવાનો અમારા ટાંચાં સાધનો દ્વારા વિનમ્ર પ્રયાસ થયો છે. મોક્ષમાર્ગનાં સાધક-શ્રમણીઓનું પ્રદાન ઋષભદેવ ભગવાનથી મહાવીરસ્વામી અને ત્યાર પછી વર્તમાન ચોવીશીમાં અદ્યાપિપર્યંત આર્યા ચંદનબાળાની પરંપરાનુસાર સાધ્વીસમુદાયમાં રત્નત્રયીની આરાધનારૂપે જોવા મળે છે. પ્રસ્તુત લેખમાં સૌ પ્રથમ શ્રમણીસંસ્થાના ઉદ્ભવ વિષેની માહિતી ભૂમિકારૂપે આપવામાં આવી છે. આ પ્રકરણ તૈયાર કરવામાં જૈન ઔર બૌદ્ધ ભિક્ષુણી સંઘ' એ પુસ્તકમાંથી ઘણી માહિતી મળી છે અને તેનો મુખ્ય સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. તદુપરાંત જૈન સાધ્વીઓની માહિતી માટે જૈન ધર્મકી પ્રમુખ સાલ્વિયાં ઔર મહિલાએઁ’ તથા ‘મુનિ-જીવનની બાળપોથી' ભાગ-૧ થી ૭નો પણ સંદર્ભગ્રંથ તરીકે સહયોગ લેવામાં આવ્યો છે. દશ દૃષ્ટાંતે દુર્લભ એવો માનવજન્મ પ્રાપ્ત કર્યા પછી જીવન કઈ રીતે જીવવું એ માટે આગમશાસ્ત્રમાં વિશદ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. એક ભૌતિક માર્ગ છે, બીજો આધ્યાત્મિક માર્ગ છે. ભૌતિકવાદ ભોગપ્રધાન સંસ્કૃતિનો પ્રચાર કરે છે. અધ્યાત્મવાદ આત્માના પરમપદની પ્રાપ્તિનો શાશ્વત માર્ગ દર્શાવે છે. જૈન, હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં તેમ જ અન્ય ધર્મો અને સંપ્રદાયોમાં સાધુ-સંન્યાસી કે ભિક્ષુઓ માટેના આધ્યાત્મિક જીવન અને આચારના સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. સાધુ એટલે કે પર્યાયવાચી શબ્દોમાં શ્રમણ, પરિવ્રાજક, યતિ, ઋષિ, મુનિ, ભિક્ષુ, જોગી વગેરે પ્રચલિત શબ્દો છે. Jain Education International ઉપરોક્ત પર્યાયવાચી શબ્દો એ પુરુષવાચક છે. તેમાં ગૌણરૂપે સ્રીનો સંદર્ભ મળે પણ મુખ્યરૂપે સ્ત્રીનો સંદર્ભ પ્રાપ્ત થતો નથી, તેમ છતાં નવા જૈન ગ્રંથો રામાયણમાં સાધ્વી નિગ્રંથી સંન્યાસિની, ભિક્ષુણી એવા શબ્દપ્રયોગ થયેલા છે. તે ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે સ્ત્રીઓ પણ સંન્યસ્તજીવન સ્વીકારીને સાધના કરતી હતી. એ જ રીતે મહાભારતના શાંતિપર્વમાં સુલભાનું વૃત્તાંત એ ભિક્ષુણીજીવનના સમર્થનમાં પ્રાપ્ત થાય છે. સુલભા પરિવ્રાજિકા બનીને અધ્યાત્મવાદનું પ્રતિપાદન કરતી ઉપદેશાત્મક વાણી લોકોને સંભળાવતી હતી. સુલભા માટે ‘ભિક્ષુકી’ શબ્દ પ્રયોગ થયેલો છે. સુલભા ક્ષત્રિય કન્યા હતી એટલે ન્યાતજાતના ભેદભાવરહિત ‘ભિક્ષુણી' ધર્મ સ્વીકારીને સૌ કોઈ આત્મસાધના કરી શકે છે, એવો સ્ત્રી-પુરુષસમાનતાનો ઉદાર વિચાર જોઈ શકાય છે. શ્રમણીસંસ્થા વિષેની આ લેખમાળા બીલીમોરાના ડૉ. વિન શાહે ભારે પુરુષાર્થ કરી તૈયાર કરી છે. આશા છે કે સૌને ઉપયોગી બની રહેશે. For Private & Personal Use Only —સંપાદક www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy