SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ચતુર્વિધ સંઘ સંયમજીવન અંગીકાર કરેલ છે. ધર્મમાતા શ્રી ધાપુબહેન ધનરાજજીના ધર્મસંસ્કારોનું પરિણામ એટલે જ નરોલીની ૧૩ દીક્ષા! જો કે સમગ્ર સંઘ પ્રદેશમાંથી આજ સુધીમાં ૨૦-૨૦ જેટલી દીક્ષાઓ થઈ છે. કોઈને થશે કે અત્યંત જંગલ વિસ્તારમાં કે જ્યાં ૮૦ થી ૯૦ ટકા વસ્તી આદિવાસીની છે ત્યાં આટલી એટલે ૨૦-૨૦ દીક્ષા? હા, નરોલીમાં ૧૩ દીક્ષા, દાદરાની ૪ દીક્ષા! અને સેલવાસની ૩ દીક્ષા! આમ ૨૦ દીક્ષા થઈ છે. આ બધી દીક્ષાના મૂળમાં છે આજથી ૩૨ વર્ષ પહેલાં નરોલીમાં સૌ પ્રથમ દીક્ષા ગ્રહણ કરનાર કુ. મંજુલાબહેન. આ મંજુલાબહેન એટલે જ સાધ્વીજી શ્રી મુક્તિપ્રશાશ્રીજી મહારાજ! બસ તેમની દીક્ષાથી શરૂ થયેલો દીક્ષાનો સિલસિલો આજે પણ ચાલુ જ છે. આ વિસ્તારમાં ખાસ કરી દીક્ષા યુગપ્રવર્તક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિજી મહારાજાનો તથા તેઓનાં પ્રશિષ્યરત્નો શાસનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજા તથા પ્રવચનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજાનો વિશેષ ઉપકાર છે. તેઓના સદુપદેશે દીક્ષાઓ વિશેષ થઈ છે. એજ પ્રમાણે વર્ધમાનતપોનિધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજા તેમ જ વર્ધમાન તપોનિધિ તીર્થ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા તેમ જ તીર્થપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજાના સમુદાયનો પણ ઉપકાર રહ્યો છે. ૨૦૨૩ની સાલથી ચાલી આવતી આ દીક્ષા આજે પણ અવિરત ચાલુ છે. સંઘપ્રદેશનાં મુખ્ય ૩ ગામો–સેલવાસ–દાદરા અને નરોલી છે. આ ત્રણે જગ્યાએ નયનરમ્ય ભવ્ય શિખરબંધી જિનમંદિરો, જૈન ઉપાશ્રયો શોભી રહ્યાં છે. સંઘ પ્રદેશના વિસ્તારમાં ૨૦–૨૦ જૈનદીક્ષાઓ થઈ તે પણ એક ઇતિહાસ કહી શકાય. દાદરાનગર હવેલીમાંથી દીક્ષિત થયેલ પુણ્યાત્માઓ નરોલી પૂ. મુ. શ્રી પુણ્યપ્રભવિજયજી મ.સા. પૂ. મુ. શ્રી ધર્મરક્ષિતવિજયજી મ.સા. પૂ. મુ. શ્રી પુન્યરક્ષિતવિજયજી મ.સા. પૂ. મુ. શ્રી આત્મરક્ષિત વિજયજી મ.સા. પૂ. સા. શ્રી મુક્તિપ્રશાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી જયણાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી પૂર્ણપ્રશાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી બોધિરત્નાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી તત્ત્વદર્શનાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી વિરાગરસાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી અક્ષયરસાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી હંસપ્રશાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી સિદ્ધિરસાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી પદ્મકીર્તિશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી વિગતમોહાશ્રીજી મ.સા. Jain Education International (પ્રદીપભાઈ) (ખીમચંદભાઈ) (પંકજભાઈ) (અજયભાઈ) (મંજુલાબહેન) (જ્યોત્સનાબહેન) For Private (પદ્માબહેન) (બીનાબહેન) (દક્ષાબહેન) (બિન્દીબહેન) (અલકાબહેન) (હીરાબહેન) (શિલ્પાબહેન) દાદરા (પરસનબહેન) (ઉમાબહેન) Personal Use Only તિથિ ફા. સુ. ૪ ફા. સુ. ૭ ફા. સુ. ૭ વૈ. સુ. ૭ વૈ. સુ. ૧૦ ચૈ. વ. ૫ મહા સુ. ૪ ફા. સુ. ૪ શ. સુ. ૪ જે. સુ. ૨ જે. સુ. ૨ ફા. સુ. ૭ મહા વ. ૭ વૈ. સુ. પ સંવત ૨૦૩૮ ૨૦૪૫ ૨૦૪૫ ૨૦૪૯ ૨૦૨૩ ૨૦૨૬ ૨૦૩૦ ૨૦૩૭ ૨૦૩૮ ૨૦૪૪ ૨૦૪૪ ૨૦૪૫ ૨૦૫૦ ૨૦૨૮ www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy