SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા અગણિત ગુણોના માનસરોવરમાં કલહંસ સમા જ્યોતિર્વિદ જૈનાચાર્ય ૫.પૂ. આ.ભ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. gu બનાસના પાણીની આજુબાજુ ઘૂમતી ઘૂમરી લેતી લીલીછમ અને ધર્મઆરાધનાના જીવંત ધબકારથી ધબકતી બનાસકાંઠાના લોવાણા ગામની ધન્યધરાએ વિ.સં. ૧૯૯૮ના આસો સુદ-૬ના સોનેરી સુપ્રભાતે પ્રતિષ્ઠા સંપન્ન રાયચંદભાઈ અને ધર્મનિષ્ઠ સુસંસ્કારી કંકુબહેનની રત્નકુક્ષિએ એક પુણ્યક્ષણે મહાતેજસ્વી લલાટ અને ભવ્ય મુખમુદ્રા ધરાવતા પુત્રરત્નનું પુનીત અવતરણ થયું, જેથી કુટુંબ-પરિવારમાં આનંદની લહેરો લહેરાવવા લાગી અને માતાપિતાએ યથા નામ તથા ગુણાઃ એવું લહેરચંદ નામ પાડ્યું. વિચક્ષણ, કર્તવ્યનિષ્ઠ અને મમતામયી માએ ધર્મકર્મના મર્મનું સમજણપૂર્વક શિક્ષણ આપી ગુણદીપકમાં અધ્યાત્મતેજનું સિંચન કર્યું. આમ માતા-પિતાએ લહેરચંદને શૈશવકાળથી જ શિષ્ટ સંસ્કારોથી સંસ્કારિત કર્યા. કિશોરવયમાં જ દૈવસંકેતથી આત્મસંશોધનના વિજ્ઞાનની ઝંખના જાગી અને એ ઉત્કટ ભાવના પ.પૂ.આ. ભ. શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા. અને બાંધવબેલડી પૂ. મુ. શ્રી પ્રેમવિજયજી મ. અને પૂ.મુ. શ્રી સુબોધવજયજી મ.ના ગુરુગમથી વિકાસ પામી અને આત્મવિકાસના અભિયાનમાં પ્રચંડ પુરુષાર્થનો યજ્ઞ માંડ્યો. વિ.સં. ૨૦૦૬ મહા સુદ-૩ના દિવસે આત્મમાંગલ્યની કેડીએ પ્રયાણ કરી પંચમ પદને ગ્રહણ કરવા દ્વારા પૂ. મુનિશ્રી લબ્ધિવિજયજી બની પૂ. મુનિ શ્રી સુબોધવિજયજી મ.નાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું. અસાધારણ વિદ્વત્તા અને પ્રચંડ પુરુષાર્થથી મુનિશ્રીએ Jain Education International For Private ૪૯૩ ન્યાયકરણ, કાવ્ય, તર્ક, સાહિત્ય, જ્યોતિષ વગેરેનો વિસ્તૃત અભ્યાસ કર્યો. પૂ. મુનિશ્રીની સમ્યક્ પ્રેરણાથી થયેલ જિનશાસન પ્રભાવના વિવિધ સત્કાર્યોને અને અપૂર્વ યોગ્યતાને નિહાળીને જામનગરના શ્રી દેવબાગ જૈન સંઘની વિનંતીથી સંવત ૨૦૩૦, માગસર સુદ-૫ના શુભ દિવસે ગણિ પદવી પ્રદાન કરાઈ. આ પદવી બાદ ગણિ લબ્ધિવિજયજીને પૂ. ગુરુદેવશ્રીની હૃદયમનની અંતરંગ ભાવનાથી પૂનામાં શ્રી આદિનાથ સોસાયટીમાં સંવત ૨૦૩૨, મહા વદી ૧૪ના રોજ પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા, સાથે સાથે વિ.સં. ૨૦૩૨, ફાગણ સુદ-૨ ના દિવસે પૂના મુકામે સૂરિપદ તેમ જ સંઘનું સુકાન સોંપવામાં આવ્યું. પૂજ્યશ્રીએ સંયમજીવનના પાંચ-પાંચ દાયકાના સુવર્ણ યુગ (ગોલ્ડન પિરિયડ)માં તનતોડ પુરુષાર્થથી શાસનઉન્નતિનાં અનેક કાર્યો કરેલ છે. * પૂજ્યશ્રી દ્વારા ઐતિહાસિક કાર્ય : જિનશાસનના ઉત્કર્ષમાં પાયાની ઈંટ રૂપે બનેલી શ્રી જૈન ધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ'ની સ્થાપના કરી. ભારતવર્ષનાં પંડિતવર્યો, શિક્ષક, શિક્ષિકાઓને સંગઠનના એક સૂત્રે બાંધેલ છે. આમ, જ્ઞાનની જ્યોત જ્વલંત રાખવા શાસનરૂપી કોડિયામાં ‘તેલ’ પૂરવાનું વીસમી સદીનું ઐતિહાસિક, અદ્વિતીય કામ કર્યું છે. * શાસનપ્રભાવક પૂ. ગુરુદેવશ્રી : જિનાલય, ઉપાશ્રય, આયંબિલશાળા, પાઠશાળા આદિ નિર્માણ, અનેક શ્રી સંઘમાં ભક્તિયુવક મંડળની સ્થાપના તેમ જ છ'રીપાલિત સંઘ, ઉપધાન તપ આદિ અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો કરેલ છે. * અહિંસામૂર્તિ પૂ. ગુરુદેવશ્રી : બનાસકાંઠાની ધર્મનગરી થરા ચાતુર્માસમાં પાંજરાપોળ ઉત્કર્ષ માટેના વિરલ કોટિના આયોજનમાં ઉદારદિલ શ્રાવક-શ્રાવિકાઓએ ભારે ઉલ્લાસ સહ પોતાની સંપત્તિનું દાન કર્યું. આમ થરા, સમી, ગઢડા, વિરમગામ, રાધનપુર આદિ અનેક પાંજરાપોળમાં અબોલ પ્રાણીઓને અભયદાન તેમ જ જીવદયાનાં અનેકવિધ કાર્યોનાં દિગંતવ્યાપી તોરણો બંધાયાં છે. * વાત્સલ્યમૂર્તિ પૂ. ગુરુદેવશ્રી : સાધર્મિકોના સહોદર પૂજ્યશ્રી ગુપ્તસહાય દ્વારા સાધર્મિકોને આર્થિક ક્ષેત્રે પગભર અને માનસિક ક્ષેત્રે સમાધિસભર બનાવવાનું અનુપમ કાર્ય કર્યું. * દીક્ષા દાનવીર પૂ. ગુરુદેવશ્રી : તેઓશ્રીએ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy