SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ અનેક દીક્ષા-પ્રતિષ્ઠા-અંજનશલાકા સ્વરૂપ પ્રભાવક પ્રસંગો ઊજવાયા છે અને ઊજવાય છે. તેથી તેઓશ્રીના જીવનમાં પ્રભાવકતા તો છે જ પરંતુ પ્રભાવકતા સાથે જ આરાધકતા પહેલેથી જ જોવા મળે છે. તે એક અનોખી વાત છે, કેમ કે માત્ર ૩૨ વર્ષની લઘુ વયમાં ૧૦૦ ઓળી પૂર્ણ કરવાની ભાવનામાં રમતા પૂજ્યશ્રી વર્ષમાં સાડાદસ મહિના આયંબિલ તપની આરાધના કરતા હતા, પરંતુ તે ભાવના સ્વાસ્થ્યની પ્રતિકૂળતાને કારણે પૂર્ણ ન થવા છતાં આજ સુધી એકાસણાંના તપને વળગી રહેવા દ્વારા શ્રમણસંઘને મોટો આદર્શ આપી રહ્યા છે. ચારિત્રનિષ્ઠા પણ આ પુણ્ય પુરુષની અજબ-ગજબની છે. એનું એક જ દૃષ્ટાંત લઈએ તો વલ્લભીપુર જેવા નાનકડા ગામમાં એકાએક હાર્ટએટેક જેવા જોખમી મહારોગનો પ્રવેશ થયો, ત્યારે પણ વાહનનો ઉપયોગ નહીં કરવાનો દૃઢ સંકલ્પ કરીને આ મહાપુરુષે જોખમ ખેડીને પણ ત્યાં જ ઉપચારો કરાવ્યા. ડોળી કે વ્હીલચેર કે વાહનોને જરાય મહત્ત્વ ન આપ્યું. આ રીતે એક સુંદર આદર્શ ઊભો કર્યો. સમર્પિતતા–નિસ્પૃહતા નિખાલસતા–સરળતા-વડીલો પ્રત્યે અહોભાવ-નમ્રતા આદિ ગુણોની ખીલવણી પણ પ્રશંસનીય છે. આજથી ૪૦૦ વર્ષ પૂર્વે જૂના ડીસા મુકામે પૂજ્ય હીરસૂરીશ્વરજી મહારાજાએ ત્રણ-ત્રણ મહિના સૂરિમન્ત્રની સાધના કરેલી અને શાસનદેવી પ્રત્યક્ષ થયાં હતાં. વિ.સં. ૨૦૫૩માં સૂરિપદ પામ્યા પછીના બીજા વર્ષે વિ.સં. ૨૦૫૫માં તેજ જૂના ડીસા મુકામે ૮૪ દિવસના મૌન અને એકાંતવાસપૂર્વક સૂરિમંત્રની પાંચે પ્રસ્થાનોની સળંગ આરાધના કરવા દ્વારા તે ઇતિહાસનું પુનરાવર્તન કર્યું હતું. આ રીતે પ્રથમ વાર વિશિષ્ટ આરાધના કર્યા પછી વિ.સં. ૨૦૫૬માં પ્રસંગવિશેષ રાધનપુર જવાનું થતાં પૂજ્યશ્રીનાં સંસારી માતુશ્રી સુશીલાબહેનનું સ્વાસ્થ્ય અસ્વસ્થ થવાથી પૂજ્યશ્રીએ તક ઝડપી લઈને પોતાના સંસારી પક્ષે પિતા મુનિશ્રી ચારિત્રસુંદરવિજયજી મ.સા. સાથે ૧૦ દિવસ સુધી નિર્યામણા કરાવતાં– કરાવતાં પૂજ્યશ્રીએ આ સૂરિમંત્ર પંચપ્રસ્થાનની આરાધના ફરી એકવાર સળંગ અથવા છૂટી-છૂટી કરવા સંભળાવ્યું હતું અને તે સાંભળીને અનુમોદના કરી પૂજ્યશ્રીના શ્રીમુખેથી જ અરિહંતનું શ્રવણ અને રટણ કરતાં-કરતાં પરલોકની વાટે સંચર્યાં. પૂજ્યશ્રીએ સમાધિપ્રદાન સ્વરૂપ શાંતિનો શ્વાસ લીધો. હવે તે સંભળાવેલી આરાધના અવસરને જોતાં આજે પાંચ વર્ષ પછી તે ઋણ અદા કરવા પૂજ્યશ્રી સફળ અને કટિબદ્ધ રહ્યા છે, જેથી ચાલુ વર્ષમાં અમદાવાદ ગિરધરનગર શ્રી સંઘની આગ્રહભરી વિનંતી સ્વીકારી વિ.સં. ૨૦૬૦ના મહા સુદ ૧૪, Jain Education International For Private ચતુર્વિધ સંઘ તા. ૫-૨-૨૦૦૪ દિને પ્રારંભેલી પૂર્વવત્ ભીષ્મ સાધના વિ.સં. ૨૦૬૦ના વૈશાખ સુદ ૯, તા. ૨૯-૪-૨૦૦૪ દિને સમાપન પામી રહી છે. તન્નિમિત્રક ગિરધરનગર શ્રીસંઘ આયોજિત ભવ્ય દશાલિક મહામહોત્સવનાં મંડાણ થઈ ચૂક્યાં છે. પ્રાંતે પૂજ્યશ્રી પાસે આપણે સૌ એજ ઝંખીએ કે આપ આપની આ આરાધનાસાધના દ્વારા ખૂબ-ખૂબ આત્મબળ કેળવી પ્રભુશાસનની વિશિષ્ટ આરાધના-રક્ષા-પ્રભાવના કરી ભવ્યાત્માઓને સંસારસાગરથી તારવા માટે મેઢી રૂપ બની રહો. પૂજ્યશ્રીની તેજસ્વી તવારીખો જન્મ : વિ.સં. ૨૦૦૯, કારતક સુદ ૧૪, મુંબઈ, તા. ૩૧-૧૦-૧૯૫૨. દીક્ષા : વિ.સં. ૨૦૨૫, માગસર સુદ ૧૦, રાધનપુર, તા. ૧૯-૧૧-૧૯૬૮. વડી દીક્ષા : વિ.સં. ૨૦૨૫, મહા સુદ ૧૩, પાલી, તા. ૩૧-૧-૧૯૬૯. ગણિ પદ : વિ.સં. ૨૦૪૯, માગસર સુદ ૬, કોલ્હાપુર. પંન્યાસ-ઉપાધ્યાય પદ : વિ.સં. ૨૦૫૨, વૈશાખ સુદ ૬, ભોરોલ. આચાર્ય પદ : વિ.સં. ૨૦૫૨, વૈશાખ સુદ ૭, ભોરોલ. પ્રથમ વાર સૂરિમંત્ર સાધના : વિ.સં. ૨૦૫૫, વૈશાખ સુદ ૮ થી, જુના ડીસા (ગુજ.) દ્વિતીયવાર સૂરિમંત્ર સાધના : વિ.સં. ૨૦૬૦, મહા સુદ ૧૪ થી, ગિરધરનગર (અમદાવાદ) પૂજ્યશ્રીની બેવાર થયેલ શ્રી સૂરિમંત્ર પંચપ્રસ્થાન સમારાધનાની વિશિષ્ટતાઓ : * સૂરિમંત્રની પાંચે પીઠોની સળંગ આરાધના * સળંગ થતી હોવાથી વચ્ચે ત્રણ છઠ્ઠ * ૮૪ દિવસ સુધી સંપૂર્ણ મૌન * સંપૂર્ણ એકાંતવાસનું સેવન * શક્ય પ્રયત્ને ઇશારાઓનો પણ અભાવ * સંપૂર્ણપણે બાહ્ય વ્યવહારોથી અલિપ્ત * જાપ સિવાયના સમયમાં ગ્રંથોના વાચન સિવાય પત્રોનું વાચન–શ્રવણ પણ નહીં * આ દિવસો દરમિયાન લગભગ ૮૪,૦૦૦- થી અધિક સંસ્કૃત શ્લોકોનું વાચન * માત્ર એક સાધુ અને ઉત્તરસાધક સિવાય એક પણ સાધુ કે શ્રાવકના પરિચયનો અભાવ * માત્ર પાંચ વર્ષમાં જ આ આરાધના બે વાર કરવી * છેલ્લાં ૪૦૦ વર્ષ પછી આ આરાધનાનું પુનરાવર્તન કરવું. સૌજન્ય : ભોમરાજજી ઓટરમલજી સેમલાની પૂના-(મહારાષ્ટ્ર) Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy