SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા થાય છે. વતનમાં બાળપણ વિતાવીને શંકર રાજનગરઅમદાવાદ આવીને રહ્યો. તે એક માતાપિતા જેવું વાત્સલ્ય દાખવનાર શ્રાવકદંપતી સાથે રહેતો હતો. ત્યાં દિન-પ્રતિદિન સાધુ-સાધ્વીજીઓનો સમાગમ, જિનાલયમાં દેવદર્શન, લોકોત્તર પર્વ-પ્રસંગો, તપ-જપ-આરાધના આદિમાં જાડાવાના પ્રસંગો તેમના જીવનમાં બનતા રહ્યા અને તેના પરિણામે શંકરના ધાર્મિક સંસ્કારોનું સંવર્ધન થતું રહ્યું. ધન કમાવાના ધ્યેયથી ગામ છોડીને અમદાવાદ આવી વસેલા શંકરે એક દિવસ ધર્મધન કમાવા માટે સંસાર છોડવાનો નિર્ણય કર્યો. સં. ૧૯૫૫માં પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્ય માલવદેશોદ્ધારક આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ (તે વખતે મુનિશ્રી ચંદ્રસાગરજી મહારાજ)ના પટ્ટધર ગચ્છાધિપતિ આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજનું ચોમાસું અમદાવાદ, શાહપુર, મંગળ પારેખના ખાંચે હતું, ત્યાં થતી દરેક આરાધનામાં જોડાતાં શંકરનું મન પ્રાંતે વૈરાગ્યવાસિત બન્યું અને ૧૯૯૬ના કારતક વદમાં સંયમ ગ્રહણ કર્યું, પરંતુ કેમ જાણે, સંયમ પૂરો પાક્યો ન હોય તેમ, મોહપાશમાં પડેલાં કુટુંબીજનો આવી ચડ્યાં અને સંયમી નૂતન મુનિને પરાણે જેતપુર લઈ જઈ ફરી સંસારી બનાવી દીધા. નજરકેદમાં રહેતા આ પુણ્યાત્મા કાચી માટીના ન હતા. પુનઃ સંયમ પ્રાપ્ત કરવા મક્કમ અને અડગ રહ્યા. એક દિવસ લાગ શોધી જેતપુરથી નાસી છૂટવા. એકશ્વાસે મહેસાણા દોડી, ત્યાંથી ગાડી પકડી અમદાવાદ આવ્યા. પૂજ્યપાદ ગુરુદેવશ્રીનાં ચરણોમાં પુનઃ જીવન સમર્પિત કર્યું. દીક્ષા ગ્રહણ કરી મુનિશ્રી દોલતસાગરજી બન્યા. કુટુંબીજનો તરફથી પુનઃ વિટંબણા ન થાય તે કારણે તેમના સંસર્ગથી દૂર રહ્યા. ગુરુનિશ્રામાં સંયમસાધનાના માર્ગે આગળ વધી થોડા જ સમયમાં પૂ. શ્રી કમલસાગરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા ગ્રહણ કરી. સંયમની મસ્તીમાં મસ્ત બનેલા આ સાધકે જ્ઞાન, ધ્યાન, વિનય, વૈયાવચ્ચને પોતાના જીવનનો મંત્ર બનાવ્યો. જ્ઞાનધ્યાન અને આરાધનાના નિતનવા ગુણો વિકસાવતા ગયા. પોતાની આગવી બુદ્ધિપ્રતિભાએ સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, કાવ્ય આદિ ક્ષેત્રોમાં ખૂબ જ વિકાસ સાધ્યો. કર્મસાહિત્યના વિષયમાં તો અપૂર્વ વિદ્વત્તા પ્રાપ્ત કરી. સં. ૨૦૨૨માં ગણિપદ પ્રાપ્ત કરી શાસનપ્રભાવનાનાં કાર્યોમાં લીન બન્યા. પૂજ્યપાદ સાગરજી મહારાજે પણ જિનશાસનના અણમોલ ખજાનાનું સુવ્યવસ્થિત સંયોજન કર્યું, તેના સંરક્ષણ માટે આગમ મંદિર જેવા બેનમૂન શિલ્પની જિનશાસનને ભેટ ધરવામાં આવી. ૪૫ આગમોને મુદ્રિત કરી ‘આગમરત્નમંજૂષા’ Jain Education International For Private ૩૯૯ રૂપે પ્રકાશિત કરી તથા અન્ય અનેક ધર્મગ્રંથોનું પ્રકાશન કરવાનું ભગીરથ કાર્ય કર્યું “અને હું?” બસ, આ પ્રશ્ન પૂછી પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સમક્ષ પોતાની ભાવના જણાવી કે પોતાના નામ પ્રમાણે જિનશાસનની દોલતને સંરક્ષવા અને સંવર્ધવા જ જીવન સમર્પિત કરીશ.” પૂ. ગુરુદેવશ્રી અત્યંત પ્રસન્ન થયા અને આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા. સં. ૨૦૨૮માં સુરત-સ્થિત પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજની અનુમતિ અને આશીર્વાદથી પૂજ્યશ્રીએ શ્રુતભક્તિ કરવા કાજે જિનાગમની સેવના કરવાનો ભેખ લીધો. આજપર્યંત નવાં ૬ આગમમંદિર માટે ૪૫ મૂળ આગમોની બે નકલ પોતાની નિશ્રામાં તૈયાર કરાવી. ‘આગમરત્નમંજૂષા' નું પુનર્મુદ્રણ કરાવી, એકાગ્રતાપૂર્વક શ્રુતભક્તિ કરતાં કરતાં ‘જિનાગમસેવી’ નું હુલામણું નામ પ્રાપ્ત કર્યું! સં. ૨૦૪૩માં પૂ. ગુરુદેવશ્રીની ઇચ્છા આચાર્ય પદ અર્પણ કરવાની થઈ. પૂજ્યશ્રીની અનિચ્છા છતાં, પૂ. ગુરુદેવની આજ્ઞાને શિરોધાર્ય કરી, અમદાવાદ-નારણપુરામાં વૈશાખ સુદ ૬-ને દિવસે પ્રથમ ઉપાધ્યાય પદે સ્થાપ્યા. ત્યાર પછી પૂ. ગુરુદેવની કૃપાદૃષ્ટિનો પૂજ્યશ્રીને બહુ અલ્પ સમય લાભ મળ્યો. સં. ૨૦૪૩ના અષાઢ સુદ ૬-ના દિવસે અમદાવાદ–આંબાવાડી મુકામે પૂજ્ય ગુરુદેવશ્રીનો સ્વર્ગવાસ થતાં અસહ્ય આઘાત થયો. ૨૦૪૪ના ફાગણ વદ ૩–ના દિવસે ગુરુમંદિરની પ્રતિષ્ઠાવિધિ બાદ, પૂ. આ. શ્રી રામસૂરીશ્વરજી મહારાજ ડહેલાવાળા, પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ આદિની શુભ નિશ્રામાં અને શ્રમણશ્રમણીવૃંદની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે શ્રી પરમ આનંદ શ્વે. મૂ. જૈન સંઘ-પાલડી (અમદાવાદ)ના આંગણે મહામહોત્સવપૂર્વક પૂજ્યશ્રીને આચાર્યપદવીથી અલંકૃત કરવામા આવ્યા. આજે આયુષ્યના આઠમા દશકમાં પ્રવેશતા પૂજ્યશ્રી અવિરામ પુરુષાર્થથી આગમકાર્યોમાં જ પ્રવૃત્ત રહે છે. કોઈ એમના આ શ્રમ વિશે પૂછે તો હસતા મુખે ઉત્તર આપતા હોય છે કે, “આગમની સેવા તો મારે મન એક કલ્પવૃક્ષ છે. સતત એમાં વ્યસ્ત રહેવાને કારણે આંતર-મન અવર્ણનીય આનંદની અનુભૂતિ કરે છે!” ભારતવર્ષમાં છઠ્ઠા નંબરે અને મહારાષ્ટ્રમાં સર્વ પ્રથમ નિર્માણ પામી રહેલા શ્રી વર્ધમાન જૈન આગમતીર્થ પૂનાના આગમમંદિરને પૂજ્યશ્રીનું માર્ગદર્શન સાંપડી રહ્યું છે. જિનાગમના સંરક્ષણ અને સંવર્ધન કરતાં આ સૂરિવર આ તીર્થના વિકાસ પાછળ કંઈક સોનેરી સ્વપ્નાં અવગાહી રહ્યા છે ! તેઓશ્રીની આ મનોભાવના જિનશાસનમાં ઉત્તરોત્તર આગળ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy