SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ અભ્યાસ શરૂ કર્યો. દરમિયાન તેઓ થોડા સમય માટે ચાંદરાઈથી આજોદર ગુરુશ્રી પાસે રહેવા આવ્યા. યતિસંપ્રદાયમાં : પૂનામાં શ્રી ચારિત્રવિજયજી નામના યતિવર્ય હતા. તેઓ પ્રકાંડ વિદ્વાન અને મંત્રવિદ્યાના અજોડ જ્ઞાતા ગણાતા હતા. અત્યંત પ્રસન્નતાથી અને હાર્દિક આશીર્વાદ આપવાપૂર્વક ક્ષેમચંદ્રને શ્રી ચારિત્રવિજયજી સાથે પૂના મોકલ્યો. પ્રાંતે એક દિવસ ક્ષેમચંદ્રને યતિસંપ્રદાયમાં દીક્ષા આપવામાં આવી અને તેમનું નામ યતિ શ્રી ક્ષમાવિજયજી રાખવામાં આવ્યું. સાધનાના માર્ગે : શ્રી ક્ષમાવિજયજીની બુદ્ધિ તીવ્ર હતી. શ્રી ચારિત્રવિજયજી પાસે રહીને તેમણે વધુ ઊંડાણથી અધ્યયન કર્યું. તેઓશ્રીએ યતિજીવનમાં આવશ્યક ગણાતા એવા આયુર્વેદ, જ્યોતિષ આદિ વિષયોનો અભ્યાસ કર્યો અને ધીરે ધીરે એમાં પારંગત બન્યા. શ્રી ક્ષમાવિજયજીમાં ધીરતા, દૃઢ મનોબળ, સેવાવૃત્તિ, નિઃસ્વાર્થતા આદિ અનેક ગુણો શ્રી ચારિત્રવિજયજીને દેખાયા હતા. આથી પતિજીવનમાં મહત્ત્વના એવા મંત્રશાસ્ત્રના અભ્યાસમાં શ્રી ક્ષમાવિજયજીને જોડવામાં આવ્યા અને ધીરે ધીરે તેમણે ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. તેમને યોગસાધનામાં પણ ઘણો રસ પડ્યો હતો. તેથી તેમણે તે વિષયમાં પણ ઊંડું ખેડાણ કર્યું. તેઓ કલાકો સુધી યોગસાધનામાં અને ધ્યાનમાં લીન બની રહેતા. આથી તેઓ મંત્રવિદ્યાની સાથે યોગવિદ્યામાં પણ પારંગત બન્યા. શ્રી ક્ષમાવિજયજી બાલ્યાવસ્થા અને તરુણાવસ્થા ક્યારની યે વટાવી ચૂક્યા હતા. તેઓશ્રી ચારિત્રવિજયજીના ઉત્તરાધિકારી પણ થઈ ગયા હતા. ધીમે ધીમે તેમના મનમાં પ્રતીતિ થઈ ગઈ હતી કે ત્યાગપ્રધાન મુનિ જીવન જ સત્યમાર્ગ છે. ઘણાં મનોમંથનને અંતે તૈયાર થયેલું એ ‘નવનીત’ હતું. તેમણે નક્કી કર્યું કે આ વિષયમાં કોઈ વિદ્વાન સાધુ સાથે ઊંડાણથી ચર્ચા કરવી. એવો અવસર એક વાર આવી ઊભો. પોતે ઇચ્છતા હતા એવા શ્રમણશ્રેષ્ઠ અનાયાસે મળી ગયા. એ હતા પૂ. પંન્યાસપ્રવર શ્રી હિંમતવિમલજી મહારાજ. સત્યપંથના રાહી : શ્રી ક્ષમાવિજયજી જે પ્રશ્નો ઘણા સમયથી વિચારતા હતા તે પ્રશ્નો વિશે તેમણે પં. શ્રી હિંમતવિમલજી મહારાજ સાથે મોકળાશથી ચર્ચા-વિચારણા કરી. પંચમહાવ્રતોનું વાસ્તવિક સ્વરૂપ શું છે, વાસ્તવિક મુનિજીવન કેવું હોય, યતિ જીવનમાં વ્યક્તિએ કેવાં કેવાં અકર્તવ્યો કરવાં પડે એ, શ્રી હિંમતવિમલજી મહારાજશ્રીએ ખૂબ ઊંડાણથી શ્રી ક્ષમાવિજયજીને સમજાવ્યું. શ્રી ક્ષાવિજયજી Jain Education International ચતુર્વિધ સંઘ આમેય સાચા સાધુજીવન પ્રત્યે પહેલેથી આકર્ષાયા હતા. એમને શ્રી હિંમતવિમલજીની વાતોથી વધુ બળ મળ્યું. તેઓ શુદ્ધ સંયમજીવન અંગીકાર કરવા વધુ પ્રેરિત થયા. તેમણે શ્રી હિંમલવિમલજી મહારાજને પોતાને શુદ્ધ મુનિધર્મની દીક્ષા આપવા વિનંતી કરી. શ્રી ક્ષમાવિજયજીમાં શ્રી હિંમતવિમલજી મહારાજને વિશેષ યોગ્યતા જણાતાં એમની સુંદર મનોભાવનાથી પ્રસન્નતા પામીને મુનિજીવનની દીક્ષા આપી. વૈભવ છોડીને તેઓ યતિ મટીને મુનિ બન્યા : શ્રી ક્ષમાવિજયજી મટીને મુનિશ્રી શાન્તિવિમલજી’ બન્યા. આ શ્રેષ્ઠ કાર્યનું નિમિત્ત બન્યું મહારાષ્ટ્ર પ્રાંતનું ‘તળેગામ’ નગર. મુનિજીવનની સંસારતારિણી દીક્ષાનો એ હતો જેઠ સુદ ૩, ગુરુવારનો ધન્ય દિવસ! વર્ષ સં. ૧૯૮૩! યતિવર્ય શ્રી લક્ષ્મીવિજયજીના આગમ્ય સ્વપ્નનો સંકેત જાણે હવે સ્પષ્ટ થયો હતો! યતિસંપ્રદાયમાં એક દીપક તો પ્રગટ્યો હતો, પણ તે દીપક ત્યાંથી અલોપ થઈને જાણે મુનિજીવનમાં અજવાળાં પાથરવા સર્જાયો હતો! શ્રી મહાવીરપ્રભુની શ્રમણપરંપરામાં વિમલશાખાનો પણ એક અનોખો અને ગૌરવવંતો ઇતિહાસ છે. આ શાખામાં ત્યાગપ્રધાન, ક્રિયાપ્રધાન અનેક મુનિપુંગવો થયા છે. તેમાં એક નામ શ્રી જ્ઞાનવિમલસૂરિનું છે. તેમણે ગુજરાતી ગેયસાહિત્યને સમૃદ્ધ કરવામાં પોતાનો ઘણો મોટો ફાળો આપ્યો છે. આવું જ એક નામ પં. શ્રી કલ્યાણવિમલજી મહારાજનું છે. જૈનોના મહાન તીર્થ શ્રી સિદ્ધગિરિરાજની યાત્રાએ આવનાર પ્રત્યેક યાત્રિક યાત્રા કરીને ઊતર્યા પછી તલાટી પાસેના ભાતખાતામાં આવીને ભાતું વાપરે છે, પરંતુ ઘણા ઓછા લોકોને આ ભાતખાતાના ઇતિહાસનો ખ્યાલ હશે. આ ભાતાખાતા વિશે સૌ પ્રથમ વિચાર શ્રી કલ્યાણવિમલજી મહારાજને આવેલો. પૂજ્યશ્રીની પ્રેરણાથી તળેટી ઉપર ભાતાખાતાની શુભ શરૂઆત થઈ. ભાતાની આ પ્રથાનું ત્યાર પછી ઘણાં તીર્થોમાં અનુકરણ થયું છે. આ ભાતાખાતાના આદ્યપ્રણેતા પં. શ્રી કલ્યાણવિમલજી ગણિ વિમલશાખાના એક દેદીપ્યમાન નક્ષત્ર હતા. આવાં તો કેટલાંયે શ્રમણરત્નો વિમલશાખાની રત્નખાણમાં સમયે સમયે પાક્યાં છે. પં. શ્રી શાન્તિવિમલજી મહારાજની ગુરુસેવા અદ્ભુત હતી. તેઓ ગુરુનિશ્રાએ જ કાયમ માટે રહેતા, ગુરુશ્રીનો પડ્યો બોલ ઝીલી લેતા. ગુરુશ્રીનાં તમામ કાર્યોમાં તેઓ પૂરક બની રહ્યા. સં. ૨૦૨૦માં મહા માસની ૪ને શનિવારે શ્રી ઉપરિયાળા તીર્થમાં હજારો માણસોની મેદની સમક્ષ પૂ. આ. શ્રી વિજયન્યાયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે તેમને આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું અને આચાર્યપદ પ્રાપ્ત થતાં તેઓ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy