Book Title: Yashovijayji Jivan Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ ઉપાધ્યાયના નિબંધની પ્રસ્તાવના. | વિક્રમ સંવત ૧૯૬૮ ના માગશર માસમાં મુંબાઈથી વિહાર કર્યો અને ત્યાંથી દમણ, વલસાડ થઈ સુરત આવવાનું થયું અને ત્યાં પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી વિગેરેને મેળાપ થય ને ત્યાંથી સાયણ, અંકલેશ્વર થઈ ઝગડીયા તીથિંમાં જવાનું થયું અને ત્યાં સાગરાનંદસૂરીશ્વરજી બિરાજમાન હતા તેમની સાથે જૈનસંઘની ઉન્નતિ અને વાર્તમાનિક જૈન પ્રગતિનાં કર્તવ્ય સંબંધી અનેક પ્રકારની વાટા ઘાટ ચાલી. ત્યાંથી શુકલતીર્થમાં જવાનું થયું અને મહાદેવના એટલા ઉપર રાત્રે રહેવાનું થયું. સાથે મુનિ શ્રીવૃદ્ધિસાગરજી, હેતમુનિજી વિગેરે સાધુઓ હતા. શુકલતીર્થમાં રાત્રે બ્રાહ્મણોને ઉપદેશ આપ્યો, ત્યાંથી નિકેરા,ઝનેર,પાલેજ, મિયાગામ, કરજણ થઈ ઈટોલા આવવાનું થયું અને ઈટોલામાં સ્થાનકવાસી સાધુઓના ઉપાશ્રયમાં ઉતરવાનું થયું અને ત્યાં દરિયાપારી સંધાડાના સાધુઓ સાથે આગના જ્ઞાનની ગાછી ચાલી અને તેથી તેઓને ઘણો રસ પડે અને ત્યાંથી વિહાર કરીને દરાપરામાં આવવાનું થયું, અને ફાગણ માસમાં www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 180