Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
૨૦ ઉપવાસની ભીષ્મ તપશ્ચર્યા આદરેલ હોવા છતાં સાત્ત્વિકતાપૂર્વક દરેક આરાધક યાત્રિકોની સગવડતા વગેરેની ખડે પગે તકેદારી રાખતા.. જન્મ લોહાણાજ્ઞાતીય પરંતુ ધર્મ જૈન એવા સંઘના અન્ય સંઘપતિ જતીનભાઈ
ઠક્કરના મનોભાવ પણ સતત ઉછાળા મારતાં હતા... પૂજ્યશ્રીના સંપર્કમાં આવ્યા ત્યારથી લગભગ દરેક અનુષ્ઠાનોમાં તેઓ પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરતાં હતા. વળી સંઘ દરમ્યાન દરેક યાત્રિકજનોની આદરબહુમાનપૂર્વક જે ભક્તિ કરતાં તે જોઈને તો ભલભલાના હૈયા ગદ્ગદ્ બની જતાં, આંખો હર્ષાશ્રુથી ભીની થતી. આરાધકોની રોજ ૫૫-૬૦ આયંબિલની વિવિધ અનુકૂળ વાનગીથી એવી ભક્તિ કરતાં કે નિરસ એવા આયંબિલના ભોજનમાં પણ સૌને મિષ્ટાન્ન ભોજનના રસ કરતાં પણ વિશેષ રસનું આસ્વાદન થતું હતું...
Education international
અંતિમ સંઘનો તીર્થપ્રવેશ તથા અંતિમ દીક્ષા
વિ. સં. ૨૦૫૮ કારતક વદ ચૌદશના શુભ દિને સિદ્ધગિરિથી રૈવતગિરિના આયંબિલપૂર્વક ઐતિહાસિક છ'રી પાલિત સંઘની ધામધૂમથી જૂનાગઢમાં પધરામણી થઈ... મહાભિનિષ્ક્રમણના મહામંગલ પંથે પ્રયાણ કરવા પગરવ માંડી રહેલ મુમુક્ષુ દંપતિ દ્વારા અપાઇ રહેલા વર્ષીદાન અવસરે જિનશાસનના જય જયકારના મંગલનાદ સાથે જૂનાગઢ શહેરના રાજમાર્ગો ગુંજી રહ્યા હતા... જૂનાગઢ શહેરની જનમેદનીના હૈયામાં શાસન પ્રત્યે બહુમાન જગાડતાં-જગાડતાં છ'રી પાલિત સંઘ આપણા આસન્નોપકારી, કરુણામૂર્તિ, વર્તમાન શાસનશણગાર ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીરસ્વામી જિનાલયે દર્શન કરવા પધાર્યો. મોક્ષપદને પામવાના મનોરથોમાં મહાલતાં એવા દંપતિએ મહાવીરે ચિંધેલા રાહે વિચરવા સંઘ સાથે હેમાભાઈના વંડાના વિશાળ શામીયાણાં મંડપમાં પ્રવેશ કરતાં વિશુદ્ધ વિધિ સમેત વિરતિધર્મ અંગીકારની ક્રિયાનો મંગલ પ્રારંભ થયો... મુમુક્ષુ
For Private & Personal Use Only
BH
૬૦
www.janbrary.org