Book Title: Tattvagyan ane Kalyanno Marg
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shah Premchand Mahasukhram

View full book text
Previous | Next

Page 299
________________ (૨૮૨) શાસ્ત્રોના કેઈ એક વચનને અણસમજણુભાવે ગ્રહણ કરીને સમજે છે. દાનાદિ ક્રિયા જે કઈ અહંકારાદિથી, નિદાનબુદ્ધિથી કે જયાં તેવી ક્રિયા ન સંભવે એવા છઠ્ઠી ગુણસ્થાનાદિસ્થાને કરે છે તે સંસારહેતુ છે, એમ શાસ્ત્રોને મૂળ આશય છે, પણ સમૂળગી. દાનાદિ ક્રિયા ઉત્થાપવાને શાસ્ત્રોને હેતુ નથી; તે માત્ર પિતાની મતિકલ્પનાથી નિષેધે છે. તેમ જ વ્યવહાર બે પ્રકારના છે; એક પરમાર્થમૂળહેતુ વ્યવહાર અને બીજો વ્યવહારરૂપ વ્યવહાર. પૂર્વે આ જીવે અને તીવાર કર્યા છતાં આત્માર્થ થયો નહીં એમ શાસ્ત્રોમાં વાક્યો છે, તે વાયગ્રહણકરી સડો વ્યવહાર ઉત્થાપનારા પોતે સમજ્યા એવું માને છે, પણ શાસ્ત્રકારે તે તેવું કશું કહ્યું નથી. જે વ્યવહાર પરમાર્થહેતુમૂળ વ્યવહાર નથી, અને માત્ર વ્યવહારહેતુ વ્યવહાર છે, તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યું છે. જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહાર વ્યવહારહેતુ કહી શકાય, અથવા જે વ્યવહારથી આત્માની વિભાવદશા. જવાયોગ્ય ન થાય તે વ્યવહારને વ્યવહારહેતુ વ્યવહાર કહેવાય. એનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે, તે પણ એકાંતે નહીં; કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મોક્ષમાર્ગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306